ખેડૂત આંદોલન: પંજાબના પૂર્વ CM પ્રકાશસિંહ બાદલે પદ્મવિભૂષણ પરત કર્યો

કૃષિ કાયદા વિરુદ્ધ દેશમાં ખેડૂતોનું આંદોલન ઉગ્ર થઈ રહ્યું છે. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને અકાલી દળના દિગ્ગજ નેતા પ્રકાશસિંહ બાદલે (Prakash Singh Badal) કૃષિ કાયદાના વિરોધમાં પોતાનો પદ્મવિભૂષણ (padma vibhushan) સન્માન પરત કર્યું છે. 

ખેડૂત આંદોલન: પંજાબના પૂર્વ CM પ્રકાશસિંહ બાદલે પદ્મવિભૂષણ પરત કર્યો

નવી દિલ્હી: કૃષિ કાયદા વિરુદ્ધ દેશમાં ખેડૂતોનું આંદોલન ઉગ્ર થઈ રહ્યું છે. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને અકાલી દળના દિગ્ગજ નેતા પ્રકાશસિંહ બાદલે (Prakash Singh Badal) કૃષિ કાયદાના વિરોધમાં પોતાનો પદ્મવિભૂષણ (padma vibhushan) સન્માન પરત કર્યું છે. પ્રકાશસિંહ બાદલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને લગભગ ત્રણ પાના જેટલો પત્ર લખીને કૃષિ કાયદાનો વિરોધ વ્યક્ત કર્યો. ખેડૂતો પર કાર્યવાહીની ટીકા કરી અને આ સાથે જ પોતાનું સન્માન પરત કર્યું. 

પોતાનો પદ્મવિભૂષણ પરત કરતા પંજાબના પૂર્વ સીએમ પ્રકાશસિંહ બાદલે લખ્યું કે હું એટલો ગરીબ છું કે ખેડૂતો માટે બલિદાન આપવા માટે મારી પાસે બીજું કશું નથી. હું જે પણ કઈ છું તે ખેડૂતોના કારણે છું. આવામાં જો ખેડૂતોનું અપમાન થઈ રહ્યું હોય તો કોઈ પણ પ્રકારનું સન્માન રાખવાનો કોઈ ફાયદો નથી. 

— ANI (@ANI) December 3, 2020

પ્રકાશસિંહ બાદલે લખ્યું કે ખેડૂતો સાથે જે પ્રકારે દગો થઈ રહ્યો છે, તેનાથી મને ખુબ દુખ પહોંચ્યું છે. ખેડૂતોના આંદોલનને જે પ્રકારે ખોટી રીતે રજુ કરાઈ રહ્યું છે તે દર્દનાક છે. અત્રે જણાવવાનું કે આ અગાઉ બાદલ પરિવાર તરફથી  કૃષિ કાયદાનો પૂરજોશમાં વિરોધ કરાયો હતો. હરસિમરત કૌર બાદલે કેન્દ્રીય મંત્રીપદથી રાજીનામું આપી દીધુ હતું અને કેન્દ્રના નવા કાયદાને ખેડૂતો સાથે મોટો દગો ગણાવ્યો હતો. એટલું જ નહીં સુખબીર બાદલે અકાલી દળના NDAથી અલગ થવાની જાહેરાત કરતા પંજાબમાં ચૂંટણી એકલા હાથે લડવાની વાત કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news