RSS અને BJPના કારણે વધી રહી છે મોબ લિંચિંગની ઘટનાઓ: દિગ્વિજય સિંહ

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે એકવાર ફરીથી ભારતીય જનતા પાર્ટી અને આરએસએસને નિશાન બનાવ્યાં છે.

RSS અને BJPના કારણે વધી રહી છે મોબ લિંચિંગની ઘટનાઓ: દિગ્વિજય સિંહ

નવી દિલ્હી: મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે એકવાર ફરીથી ભારતીય જનતા પાર્ટી અને આરએસએસને નિશાન બનાવ્યાં છે. ઈન્દોરમાં ભાજપના ધારાસભ્ય આકાશ વિજયવર્ગિય દ્વારા નગર નિગમના એક અધિકારીની બેટથી પીટાઈ કરવાની ઘટનાનું ઉદાહરણ આપતા દિગ્વિજય સિંહે ભાજપની માનસિકતા પર સવાલ ઉઠાવ્યાં. પૂર્વ મુખ્યમંત્રીએ મીડિયા સાથે વાત કરતા ભાજપ અને આરએસએસની માનસિકતાના કારણે મોબ લિંચિંગની ઘટનાઓ વધી રહી છે. 

તેમણે કહ્યું કે 'મોબ લિંચિંગના બે કારણ છે. પહેલું કે લોકોને સમય પર ન્યાય મળતો નથી જેનાથી લોકોમાં ગુસ્સો વધી જાય છે. અને આવી ઘટનાઓને અંજામ આપે છે. બીજુ કારણ છે ભાજપ અને આરએસએસની માનસિકતા.' ઈન્દોરમાં આકાશ વિજયવર્ગિય દ્વારા નગર નિગમ અધિકારીની પીટાઈ કરવાના મામલાને નિશાને લેતા તેમણે કહ્યું કે 'આકાશ વિજયવર્ગિયને જ જોઈ લો. તેમણે કહ્યું હતું કે અમને શિખવાડવામાં આવે છે કે પહેલા આવેદન (અરજી), પછી નિવેદન અને અંતમાં દે દનાદન. આ ભાજપ અને આરએસએસની જ માનસિકતા છે.' 

— ANI (@ANI) July 7, 2019

અત્રે જણાવવાનું કે આકાશ વિજયવર્ગિયએ ગત 26 જૂનના રોજ એક નગર નિગમના અધિકારી ધીરેન્દ્ર બાયસને બેટથી માર્યા હતાં. ત્યારબાદ તેમણે 4 દિવસ જેલમાં પણ જવું પડ્યું. હકીકતમાં નગર નિગમના અધિકારી ધીરેન્દ્ર બાયસ પોતાની ટીમ સાથે ઈન્દોરના એક જર્જરિત મકાનને પાડવા માટે આવ્યાં હતાં. આ દરમિયાન ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગિયના પુત્ર આકાશ વિજયવર્ગિય ત્યાં પહોંચ્યાં અને ટીમને કાર્યવાહી કરવાની ના પાડી. પરંતુ અધિકારીઓએ  ભાજપના ધારાસભ્યની વાત ન સાંભળી અને કાર્યવાહી ચાલુ રાખી. ત્યારબાદ ગુસ્સામાં આવેલા આકાશ વિજયવર્ગિયએ અધિકારીની બેટથી પીટાઈ કરી. ત્યારબાદ આ મામલે ખુબ ટીકાનો પણ તેમણે સામનો કરવો પડ્યો. પીએમ મોદીએ પણ આ બાબાતે નારાજગી વ્યક્ત કરી હતી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news