જ્યાં સુધી રાહુલ ગાંધી પ્રધાનમંત્રી ન બને ત્યાં સુધી 'ઉધાર બંધ', દુકાનદારે લગાવ્યું ગજબનું બોર્ડ

દુકાનદાર મોહમ્મદ હુસૈને જણાવ્યુ કે તેણે 1 જાન્યુઆરી 2023થી સંપૂર્ણ રીતે પોતાની દુકાનમાંથી લોકોને ઉધાર આપવાનું બંધ કરી દીધુ છે. પરંતુ લોકો સતત તેની પાસે ઉધાર માંગતા હતા. ત્યારબાદ તેણે આ વસ્તુથી છુટકારો મેળવવા માટે દુકાનની બહાર બોર્ડ મારી દીધુ.

જ્યાં સુધી રાહુલ ગાંધી પ્રધાનમંત્રી ન બને ત્યાં સુધી 'ઉધાર બંધ', દુકાનદારે લગાવ્યું ગજબનું બોર્ડ

નવી દિલ્હીઃ Borrowing stopped till Rahul Gandhi becomes PM: છિંદવાડા શહેરની એક દુકાનની સોશિયલ મીડિયા પર અનેક ચર્ચાઓ થઈ રહી છે. છિંદવાડામાં હુસૈન પેલેસ અને કરબલા ચોકની ડેલી નીડ્સની ચર્ચાનું કારણ તેમની દુકાનમાં લગાવવામાં આવેલા પોસ્ટર છે.

તમે દુકાનોમાં ઉધાર માંગનારા ગ્રાહકો માટે વિવિધ પ્રકારના ક્વોટેશન વાંચ્યા જ હશે જેમ કે આજે કેશ કાલે ઉધાર, ઉધાર એ પ્રેમની કાતર છે, ઉધાર માંગીને શરમમાં ના મુકશો.

એકદમ અલગ રીતે, હુસૈન પેલેસના 30 વર્ષીય મોહમ્મદ હુસૈને તેમની દુકાનમાં એક પોસ્ટર લગાવ્યું, જેમાં લખ્યું છે કે 1 જાન્યુઆરી 2023થી ઉધાર બંધ છે. રાહુલ ગાંધી પ્રધાનમંત્રી ના બને ત્યાં સુધી ઉધાર બંધ છે. શહેરના કરબલા ચોકમાં રહેતા મોહમ્મદ હુસૈન છેલ્લા 5 વર્ષ કરતાં વધુ સમયથી પોતાની પૈતૃક દુકાન ચલાવે છે.

મોહમ્મદ હુસૈને જણાવ્યું કે, અગાઉ દુકાનમાં ઘણા લોકો ઉધાર માગતા હતા. રોજના સરેરાશ બે હજાર રૂપિયાનો ધંધો થતો હતો, જેમાંથી 500થી 700 રૂપિયાની ઉધારી થતી હતી. યોગ્ય સમયે ઉધારની વસૂલાત ના થવાના કારણે આર્થિક સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. આને ધ્યાનમાં રાખીને મેં એક પોસ્ટર લગાવ્યું છે, જેમાં લખ્યું છે કે 1 જાન્યુઆરી 2023થી ઉધાર બંધ છે. રાહુલ ગાંધી દેશના પ્રધાનમંત્રી ના બને ત્યાં સુધી ઉધાર લેવાનું બંધ છે. પોસ્ટર લગાવ્યા પછી દુકાનમાં ધિરાણ સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે અને હવે 1000 રૂપિયાનો ધંધો રોકડમાં થઈ રહ્યો છે.
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news