ખેડૂત આંદોલન પર ભાજપની હાઈ લેવલ મીટિંગ, લેવાયો અત્યંત મહત્વનો નિર્ણય

ભાજપ હેડક્વાર્ટર પર થયેલી આ ઉચ્ચ સ્તરની બેઠકમાં કહેવાયું કે અનેક ખેડૂત સંગઠનોએ ત્રણ કૃષિ કાયદાનું સમર્થન કર્યું છે. આવામાં કાયદા અંગે દેશભરમાં યોગ્ય જાણકારી આપવાથી ધીરે ધીરે ખેડૂતોનું સમર્થન સરકારને મળશે.

ખેડૂત આંદોલન પર ભાજપની હાઈ લેવલ મીટિંગ, લેવાયો અત્યંત મહત્વનો નિર્ણય

નવી દિલ્હી: ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ની અધ્યક્ષતામાં ગુરુવારે ભાજપ (BJP) ના હેડક્વાર્ટર પર થયેલી હાઈ લેવલની બેઠકમાં સપ્ટેમ્બરમાં બનેલા ત્રણ કૃષિ કાયદા (Farm Laws)ને મજબૂતાઈથી ડિફેન્ડ કરવાની સાથે ખેડૂતો (Farmers) નું સમર્થન ભેગું કરવાનો નિર્ણય લેવાયો. કહેવાયું કે વિપક્ષ અને કેટલાક સંગઠનો તરફથી ફેલાવવામાં આવેલા ભ્રમને દૂર કરતા ત્રણ કાયદાનો પાર્ટી કાર્યકર્તાઓએ મજબૂતાઈથી બચાવ કરવા માટે સતત અભિયાન ચલાવવું જોઈએ. જ્યારે દેશભરના ખેડૂતો હકીકતથી રૂબરૂ થશે તો ભ્રમ દૂર થશે. જેનાથી આંદોલનની અસર ઓછી થશે. 

આ બેઠકમાં ખેડૂતો વચ્ચે જનસંપર્ક અભિયાનમાં વધુ તેજી લાવવા પર ભાર મૂકવામાં આવ્યો. ગૃહમંત્રી અમિત શાહ, કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર, રેલવે મંત્રી પિયુષ ગોયલ અને નાણામંત્રી નિર્મલા સીતારમણની હાજરીમાં ભાજપ હેડક્વાર્ટર પર સાંજે મહાસચિવો અને અન્ય પદાધિકારીઓ સાથે બેઠક થઈ. આ બેઠકમાં કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂત સંગઠનો સાથે થયેલી અત્યાર સુધીની વાતચીતમાં ઉઠેલા મુદ્દાની જાણકારી આપી. તેમણે ખેડૂત આંદોલનના વિભિન્ન પહેલુઓથી બધાને માહિતગાર કર્યા. ખેડૂત આંદોલનના ઉકેલ લાવવાના રસ્તામાં કેટલાક ખેડૂત સંગઠનો તરફથી પેદા થયેલા પડકારો અંગે પણ જાણકારી આપી. 

કાયદાને મજબૂતાઈએથી ડિફેન્ડ કરવાની જરૂર
પાર્ટી સૂત્રોએ જણાવ્યું કે મંત્રીઓ અને ભાજપના સંગઠન પદાધિકારીઓ વચ્ચે નક્કી તયું છે કે જનતા વચ્ચે ત્રણ કૃષિ કાયદાઓને મજબૂતાઈથી ડિફેન્ડ કરવાની જરૂર છે. ખેડૂત સંગઠનો તરફથી સૂચવવામાં આવેલા જરૂરી પ્રસ્તાવ પર સરકાર અમલ કરશે પરંતુ ત્રણ કાયદાને રદ કરવાની માગણી પર કોઈ વિચાર નહીં થાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઈચ્છા મુજબ દેશભરમાં ખેડૂતો અને નાગરિકો વચ્ચે ત્રણ કૃષિ કાયદાની યોગ્ય જાણકારી આપવા માટે ચાલી રહેલા અભિયાનને વધુ તેજ કરવા પર મંથન થયું. 

ખેડૂતોનું સમર્થન મેળવશે પાર્ટી
ભાજપ હેડક્વાર્ટર પર થયેલી આ ઉચ્ચ સ્તરની બેઠકમાં કહેવાયું કે અનેક ખેડૂત સંગઠનોએ ત્રણ કૃષિ કાયદાનું સમર્થન કર્યું છે. આવામાં કાયદા અંગે દેશભરમાં યોગ્ય જાણકારી આપવાથી ધીરે ધીરે ખેડૂતોનું સમર્થન સરકારને મળશે.  ભાજપ કાર્યકરોને ખેડૂતોની વચ્ચે જઈને સમર્થન મેળવવાની રણનીતિ ઉપર પણ ચર્ચા થઈ. 

ભાજપના વરિષ્ઠ પદાધિકારીએ જણાવ્યું કે અનેક ખેડૂત સંગઠનોએ કૃષિ સુધારાનું સ્વાગત કર્યું છે. ખેડૂતોએ નવા કૃષિ કાયદાના લાભ લેવાનું શરૂ કરી દીધુ છે. પાર્ટીને મહેસૂસ થયું છે કે કાયદાને લઈને ફેલાયેલા ભ્રમને મજબૂતાઈથી એન્કાઉન્ટર કરવા પડશે. અમે ખેડૂતો વચ્ચે જઈને તેમને જણાવીશું કે MSP પર સરકારી ખરીદી પહેલા કરતા વધુ થઈ રહી છે. ખરીદ કેન્દ્રોની સંખ્યા વધી રહી છે. છેલ્લા 6 વર્ષમાં MSP દ્વારા બમણી રકમ ખેડૂતોના ખાતામાં મોકલી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ 6 હજાર રૂપિયા વાર્ષિક આપવામાં આવે છે. એક લાખ કરોડ રૂપિયાનું કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ પણ બનાવવામાં આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news