Covid-19 Updates: ભારતમાં કોરોનાથી મોતનો આંકડો 3 લાખને પાર, માત્ર 26 દિવસમાં 1 લાખ લોકોએ જીવ ગુમાવ્યા

ભારતમાં કોરોના વાયરસના નવા કેસ ઘટતા જાય છે પણ મોતનો આંકડો  ચિંતાજનક રીતે વધી રહ્યો છે. દેશભરમાં કોવિડ-19થી 24 કલાકમાં 4454 લોકોએ જીવ ગુમાવ્યા. આ સાથે જ કોનાથી કુલ મૃત્યુનો આંકડો હવે 3 લાખને પાર કરી ગયો છે.

Covid-19 Updates: ભારતમાં કોરોનાથી મોતનો આંકડો 3 લાખને પાર, માત્ર 26 દિવસમાં 1 લાખ લોકોએ જીવ ગુમાવ્યા

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના નવા કેસ ઘટતા જાય છે પણ મોતનો આંકડો  ચિંતાજનક રીતે વધી રહ્યો છે. દેશભરમાં કોવિડ-19થી 24 કલાકમાં 4454 લોકોએ જીવ ગુમાવ્યા. આ સાથે જ કોનાથી કુલ મૃત્યુનો આંકડો હવે 3 લાખને પાર કરી ગયો છે. એક દિવસમાં કોરોનાના નવા 2.22 લાખ નવા કેસ નોંધાયા છે. 

છેલ્લા 24 કલાકમાં 2.22 લાખ નવા કેસ
ભારતીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 2,22,315 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 2,67,52,447 પર પહોંચી ગયો છે જેમાંથી 2,37,28,011 દર્દીઓ રિકવર થઈ ગયા છે જ્યારે  27,20,716  લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાએ 4454 લોકોનો ભોગ લીધો. આ સાથે કુલ મૃત્યુઆંક હવે 3,03,720 થઈ ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ કુલ 19,60,51,962 કોરોનાના ડોઝ અપાઈ ચૂક્યા છે. 24 કલાકમાં કોરોનાથી 3,02,544 લોકો રિકવર પણ થયા છે. 

Total cases: 2,67,52,447
Total discharges: 2,37,28,011
Death toll: 3,03,720
Active cases: 27,20,716

Total vaccination: 19,60,51,962 pic.twitter.com/hLqCFosYuw

— ANI (@ANI) May 24, 2021

કોરોનાથી 3 લાખ મોતવાળો ભારત ત્રીજો દેશ બન્યો
આ સાથે જ અમેરિકા અને બ્રાઝિલ બાદ ભારત ત્રીજો એવો દેશ છે જ્યાં કોવિડ-19થી 3 લાખ લોકોના મોત થયા છે. અમેરિકામાં 6 લાખ 4 હજાર 82 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે બ્રાઝિલમાં 4 લાખ 49 હજાર 185 લોકોના મોત થયા છે. ભારતમાં આ આંકડો હવે 3 લાખને પાર ગયો છે અને કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 3,03,720  લોકોના જીવ ગયા છે. 

વધી રહ્યો છે Black Fungus નો પ્રકોપ, જીવલેણ બીમારીથી બચવા માટે કારગર નીવડી શકે છે આ સરળ ઉપાયો

ફક્ત 26 દિવસમાં થયા એક લાખથી વધુ મોત
ભારતમાં છેલ્લા એક મહિનામાં કોવિડ-19થી થનારા મોતમાં ચોંકાવનારો વધારો થયો છે. છેલ્લા 26 દિવસમાં એક લાખથી વધુ લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ ભારતમાં 28 એપ્રિલના રોજ મોતનો આંકડો 2 લાખ હતો અને હવે 26 દિવસ બાદ આ આંકડો 3 લાખને પાર ગયો છે. 

એક Coronavirus ની ચુંગલમાંથી છૂટ્યા નથી, ત્યાં તો બીજા 2 કોરોના વાયરસ હુમલો કરવા માટે તૈયાર

એક દિવસમાં 19 લાખથી વધુ કોરોના ટેસ્ટ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ ગઈ કાલે દેશભરમાંથી 19,28,127 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે અત્યાર સુધીમાં દેશમાં કુલ 33,05,36,064 કોરોના ટેસ્ટ કરાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news