Coronavirus: કોરોનાના કેસમાં ધરખમ ઉછાળો, 89 હજાર નવા કેસ, 714 લોકોએ ગુમાવ્યા જીવ

કોરોના (Corona) થી વધુ પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર (Maharashtra) ની હાલત ચિંતાજનક છે. એનસીપી નેતા નવાબ મલિકે કહ્યું કે મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ દરરોજ 50,000 ની નજીક પહોંચવા આવ્યા છે. કડક પગલાં ભરવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી.

Coronavirus: કોરોનાના કેસમાં ધરખમ ઉછાળો, 89 હજાર નવા કેસ, 714 લોકોએ ગુમાવ્યા જીવ

નવી દિલ્હી: ભારતમાં ગત 24 કલાકમાં  COVID-19 ના 89,129 નવા કેસ સામે આવ્યા બાદ કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1,23,92,260 પર પહોંચી ગઇ છે. 714 નવા મોત બાદ કુલ મોતની સંખ્યા 1,64,110 થઇ ગઇ છે. દેશમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા 6,58,909 છે અને ડિસ્ચાર્જ થયેલા કેસની કુલ સંખ્યા 1,15,69,241 છે. 

મહારાષ્ટ્રમાં લાગી શકે છે નવા પ્રતિબંધ
કોરોના (Corona) થી વધુ પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર (Maharashtra) ની હાલત ચિંતાજનક છે. એનસીપી નેતા નવાબ મલિકે કહ્યું કે મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ દરરોજ 50,000 ની નજીક પહોંચવા આવ્યા છે. કડક પગલાં ભરવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. આંકડા વધતા રહ્યા તો બેડની સંખ્યા ઓછી પડી શકે છે. મુખ્યમંત્રીએ કાલે અધિકારીઓની સાથે બેઠક કરી. જે પણ પ્રતિબંધ લગાવવાના છે, 2  દિવસ બાદ સરકાર નિર્ણય લેશે. 

થાણેમાં 4,371 નવા કેસ, 15ના મોત
એકલા મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં જ કોરોના વાયરસના 4,371 નવા કેસ સામે આવ્યા છે, ત્યારબાદ અહીં સંક્રમિતોની કુલ સંખ્યા 3,27,732 થઇ ગઇ છે. કોરોના વાયરસના સંક્રમણ્થી 15 દર્દીઓએ અંતિમ શ્વાસ લીધા બાદ જિલ્લામાં કોવિડ 19 ના લીધી મોતને ભેટનારાઓની સંખ્યા 6,525 પહોંચી ગઇ છે. એક અધિકારીએ કહ્યું કે કોવિડ 19 થી મૃત્યું દર 1.99 ટકા છે. એક અન્ય અધિકારીના અનુસાર પડોશી પાલધર જિલ્લામાં કોવિડ 19ના કેસની સંખ્યા 51,043 થઇ ગઇ છે, તો બીજી તરફ મૃતકની સંખ્યા 1,232 પહોંચી ગઇ છે. 

કોરોના પ્રોટોકોલના ધજાગરા
કોરોના કેસ સતત વધી રહ્યા છે તેમછતાં પણ લોકો કોરોના પ્રોટોકોલનું પાલન કરી રહ્યાનથી. મહારાષ્ટ્રમાં કોરોના (Coronavirus) ના કેસમાં વધારો થયા છતાં લોકો મુંબઇની દાદર સબજી મંડીમાં કોવિડ નિયમોનું ઉલ્લંઘન કરતાં જોવા મળ્યા. મહારાષ્ટ્રમાં કાલે કોરોનાના 47,827 નવા કેસ સામે આવ્યા હતા. 

महाराष्ट्र में कल कोरोना के 47,827 नए मामले सामने आए थे। #COVID19 pic.twitter.com/KtpJcW18Vh

— ANI_HindiNews (@AHindinews) April 3, 2021

શાકમાર્કેટમાં કોઇ નિયમ નહી?
ઉત્તર પ્રદેશમાં કોરોના પ્રોટોકોલના ધજાગર ઉડી રહ્યા છે. મુરાદાબાદના શાક માર્કેટમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા પહોંચ્યા. આ દરમિયાન લોકોએ કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કર્યું. 

— ANI_HindiNews (@AHindinews) April 3, 2021

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news