નીતીશ કુમારે પ્રશાંત કિશોરને આપી મોટી જવાબદારી, બનાવ્યા JDUના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ

ચૂંટણી વ્યૂહરચનાકારના નામખી જાણીતા પ્રશાંત કિશોરને બિહારના મુખ્યમંત્રી અને જનતા દળ યૂનાઇટેડ (જેડીયૂ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતીશ કુમારે પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવ્યા છે. હાલમાં જ પ્રશાંત કિશોરે જેડીયૂનો હાથ પકડ્યો હતો.

નીતીશ કુમારે પ્રશાંત કિશોરને આપી મોટી જવાબદારી, બનાવ્યા JDUના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ

પટના: ચૂંટણી વ્યૂહરચનાકારના નામખી જાણીતા પ્રશાંત કિશોરને બિહારના મુખ્યમંત્રી અને જનતા દળ યૂનાઇટેડ (જેડીયૂ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતીશ કુમારે પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવ્યા છે. હાલમાં જ પ્રશાંત કિશોરે જેડીયૂનો હાથ પકડ્યો હતો. સીએમ નીતીશ કુમારે તેમને પાર્ટીના સભ્ય બનાવ્યા હતા.

પ્રશાંત કિશોરે જેડીયૂ જોઇન્ટ કર્યા બાદથી સતત એવું જાણવા મળી રહ્યું હતું કે તેમને કોઇ મોટા પદ આપવામાં આવી શકે છે.

बिहार की इस सीट से 2019 का लोकसभा चुनाव लड़ सकते हैं रणनीतिकार प्रशांत किशोर

2014ની લોકસબા ચૂંટણીમાં પ્રશાંત કિશોરને પ્રધાનમંત્રી ઉમ્મેદવાર નરેન્દ્ર મોદી માટે રણનીતિ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ વર્ષ 2015ના બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રશાંત કિશોરે મહાગઠબંધન માટે કામ કર્યું હતું. આ ચૂંટણીમાં મહાગઠબંધને બીજેપીને હરાવ્યું હતું.

જેડીયૂના પ્રધાન મહાસચિવ કેસી ત્યાગીએ પ્રશાંત કિશોરને ઉપાધ્યક્ષ બનાવવાના નિર્ણયનો સ્વાગત કર્યો છે સાથે જ તેમને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. આ ઉપરાંત પાર્ટીના પ્રવક્તા સંજય સિંહે પણ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.

કેસી ત્યાગીએ કહ્યું કે પ્રશાંત કિશોરની પસંદગીનું અમે સ્વાગત કરી છે. પાર્ટી તે ક્ષેત્રોમાં પણ સારુ પ્રદર્શન કરશે, જ્યાં અમે નબળા રહ્યાં હતા. ત્યાં પાર્ટીને નવું પરિણામ આપવામાં સફળ થઇશું એવો મારો વિશ્વાસ છે. જેડીયૂમાં નંબર બેની સ્થિતિના સવાલ પર તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રીય અધ્યક્ષ તેમની ભૂમિકા નક્કી કરશે. તેઓ ખુબ મહત્વપૂર્ણ પદાધિકારી રહેશે તેમાં કોઈ બે મંતવ્યો નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news