નાગરિકતા સંશોધન બિલ વિરૂદ્ધ અસમમાં છાત્ર સંગઠનોએ કર્યું 12 કલાક બંધનું એલાન

નાગરિકતા સંશોધન બિલ (Citizenship Amendment Bill 2019) સોમવારે લોકસભામાં પાસ થઇ ગયું છે. પૂર્વોત્તરમાં આ બિલ વિરૂદ્ધ પહેલાંથી જ વિરોધ થઇ રહ્યો છે. સરકારે બિલમાં નોર્થ-ઇસ્ટના રાજ્યોની આશંકાઓને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ તેમછતાં અસમમાં આજે આ બિલના વિરોધમાં ઘણા વિદ્યાર્થી સંગઠનોએ રાજવ્યાપી બંધનું એલાન કર્યું છે. 

નાગરિકતા સંશોધન બિલ વિરૂદ્ધ અસમમાં છાત્ર સંગઠનોએ કર્યું 12 કલાક બંધનું એલાન

નવી દિલ્હી: નાગરિકતા સંશોધન બિલ (Citizenship Amendment Bill 2019) સોમવારે લોકસભામાં પાસ થઇ ગયું છે. પૂર્વોત્તરમાં આ બિલ વિરૂદ્ધ પહેલાંથી જ વિરોધ થઇ રહ્યો છે. સરકારે બિલમાં નોર્થ-ઇસ્ટના રાજ્યોની આશંકાઓને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ તેમછતાં અસમમાં આજે આ બિલના વિરોધમાં ઘણા વિદ્યાર્થી સંગઠનોએ રાજવ્યાપી બંધનું એલાન કર્યું છે. નોર્થ-ઇસ્ટ સ્ટુડન્ટ્સ યૂનિયન (NESO) અને ઓલ ઇન્ડીયા સ્ટુડન્ટ યૂનિયન (AASU)એ આજે અસમમાં 12 કલાકના બંધની જાહેરાત કરી છે. તેના લીધે ગુવાહાટીમાં આજે સવારે રસ્તાઓ પર સન્નાટો જોવા મળ્યો અને દુકાનો બંધ જોવા મળી. અસમમાં ઘણી જગ્યાએ પ્રદર્શનકારીઓએ વિરોધ-પ્રદર્શન પણ કર્યું. ડિબ્રુગઢ અને જોરહટમાં પ્રદર્શનકારીઓએ ટાયર સળગાવ્યા. 

કેન્દ્ર સરકારે સોમવારે લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019) રજૂ કર્યું, જે લગભગ આઠ કલાકની ચર્ચા બાદ 12 વાગે પાસ થઇ ગયું. આ બિલને પાસ કરાવવામાં સરકારને મુશ્કેલી પડી નહી, પરંતુ તેના પર લાંબી ચર્ચા ચાલી. સોમવારે રાત્રે લગભગ અગિયાર વાગે ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)એ વિપક્ષી નેતાઓ દ્વારા ઉઠાવવામાં આવેલા વિભિન્ન બિંદુઓનો વિસ્તૃત જવાબ પણ આપ્યો.

તમને જણાવી દઇએ કે સોમવારે રાત્રે લગભગ અગિયાર વાગે ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)એ વિપક્ષી નેતાઓ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા. ત્યારબાદ રાત્રે 11:35 વાગે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે ગૃહમંત્રી તરફથી તમામ બિંદુઓ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. ત્યારબાદ લોકસભા સ્પીકરે બિલ પર વોટિંગ કરાવ્યું. 

લોકસભા સ્પીકરે વારંવાર વિપક્ષી નેતાઓ તરફથી વ્યક્ત કરવામાં આવેલી આપત્તિઓ પર મૌખિક વોટિંગ કરાવીને તેને ક્લિયર કરાવી. બધી આપત્તિ નકારી કાઢ્યા બાદ બિલ પર વિભાજન કરાવવામાં આવ્યું, ત્યારબાદ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ નાગરિકતા સંશોધન બિલ 2019ને પાસ કરાવવાની જાહેરાત કરી. બિલના પક્ષમાં 311 અને વિપક્ષમાં 80 વોટ પડ્યા. ખાસ વાત એ છે કે આ બિલના પક્ષમાં ભાજપની જૂની સહયોગી શિવસેનાએ પણ સહયોગ કર્યો. 

વિપક્ષના પ્રશ્નોના જવાબ આપતાં અમિત શાહ (Amit Shah)એ કહ્યું કે હું પહેલાં જ કહ્યું કે આ બિલ લાખો-કરોડો શરણાર્થીઓને યાતનાપૂર્ણ જીવનમાંથી મુક્તિ અપાવવાનું માધ્યમ બનવા જઇ રહ્યું છે. આ બિલના માધ્યમથી તે શરણાર્થીઓને નાગરિકતા આપવાનું કામ થશે.

પીએમ મોદીએ અમિત શાહના કર્યા વખાણ
નાગરિકતા સંશોધન બિલને લઇને પીએમ નરેંદ્ર મોદી (PM Narendra Modi)એ ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)ના જોરદાર પ્રશંસા કરી છે. પીએમ નરેંદ્ર મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલથી લખ્યું કે ''ખુશી છે કે લોકસભાએ એક સમૃદ્ધ અને વ્યાપક ચર્ચા બાદ નાગરિકતા સંશોધન બિલ 2019 મંજૂર કર્યું છે. હું તમામ સાંસદો અને પાર્ટીઓનો આભાર વ્યક્ત કરું છું જેમણે નાગરિકતા સંશોધન બિલનું સમર્થન કર્યું. આ બિલ ભારતના સદીઓ જૂના લોકાચાર અને માનવીય મૂલ્યોમાં વિશ્વાસના અનુરૂપ છે.''

વધુ એક ટ્વિટમાં પીએમ મોદીએ લખ્યું  ''નાગરિકતા સંશોધન બિલ 2019ના બધા પાસાઓને સ્પષ્ટ રીતે સમજવા માટે હું ગૃહમંત્રી અમિત શાહજીની પ્રશંસા કરવા માંગીશ. તેમણે લોકસભામાં ચર્ચા દરમિયાન સંબંધિત સાંસદો દ્વારા ઉઠાવવામાં આવેલા વિભિન્ન બિંદુઓનો વિસ્તૃત જવાબ પણ આપ્યો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news