મુંગેર હિંસા: બબાલ બાદ પોલીસ સ્ટેશનમાંથી ગાયબ થયા કારતૂસ-હથિયાર

જે વસ્તુઓ ગાયબ છે તેમાં એસએલઆરના 100 રાઉન્ડ કારતૂસ, બે મેગેઝીનના ઈન્સાસના 40 રાઉન્ડ કારતૂસ પણ સામેલ છે. પૂરબસરાય પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ મૃત્યુંજયકુમારે આ વાતની જાણકારી આપી છે.

મુંગેર હિંસા: બબાલ બાદ પોલીસ સ્ટેશનમાંથી ગાયબ થયા કારતૂસ-હથિયાર

પ્રશાંત કુમાર, મુંગેર: બિહાર (Bihar) ના મુંગેર (Munger) જિલ્લામાં વિસર્જન દરમિયાન થયેલી હિંસા બાદ ઊભી થયેલી બબાલ શાંત થવાનું નામ લેતી નથી. ગુરુવારે એસપી અને એસડીઓની ઓફિસમાં તોડફોડ થયા બાદ પોલીસ સ્ટેશનમાંથી અનેક વસ્તુઓ ગાયબ છે. 

જે વસ્તુઓ ગાયબ છે તેમાં એસએલઆરના 100 રાઉન્ડ કારતૂસ, બે મેગેઝીનના ઈન્સાસના 40 રાઉન્ડ કારતૂસ પણ સામેલ છે. પૂરબસરાય પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ મૃત્યુંજયકુમારે આ વાતની જાણકારી આપી છે. ગઈ કાલે ઉપદ્રવીઓએ મુંગેરમાં એસપી અને એસડીઓના કાર્યાલયમાં ખુબ તોડફોડ કરી હતી. ગુસ્સે ભરાયેલા લોકોએ પુરબસરાય પોલીસ વાહનમાં આગ લગાવી દીધી હતી  અને પોલીસ સ્ટેશન ઉપર પથ્થરમારો પણ કર્યો હતો. 

પૂરબસરાય પોલીસ સ્ટેશન ઈન્ચાર્જનું કહેવું છે કે આ દરમિયાન પોલીસ સ્ટેશનથી ઉપરોક્ત સામાન ગાયબ થયો છે. હકીકતમાં 28 ઓક્ટોબરના રોજ મુંગેરમાં પહેલા તબક્કાના મતદાનના કારણે મોટી સંખ્યામાં જવાનો મુંગેર આવ્યા હતા. આથી પુરબસરાય પોલીસ સ્ટેસનમાં ભારે સંખ્યામાં કારતૂસ વગેરે રાખ્યા હતા. અત્રે જણાવવાનું કે મુંગેરમાં ગુરુવારે હિંસા ભડકવાના મામલે ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી હતી. 

ચૂંટણી પંચે ત્યાંના એસપી લીપિ સિંહ અને ડીએમ રાજેશ મીણાને તત્કાળ પ્રભાવથી હટાવી દીધા. સોમવારે મોડી રાતે વિસર્જન દરમિયાન પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં ગોળી વાગતા એક યુવકનું મોત થયું હતું. તથા અનેક લોકો ઘાયલ થયા હતા. ચૂંટણી પંચે મગધ કમિશનર ચુબા આઓને સમગ્ર તપાસના આદેશ આપ્યા છે. આ સાથે જ ચૂંટણી પંચે તેમને સાત દિવસની અંદર કમિશનરને રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news