કારથી લઈને ટેક્સ સુધી નવા વર્ષમાં થઈ રહ્યાં છે ઘણા ફેરફાર, જાણો તમારા પર શું થશે અસર

2020નું વર્ષ કોરોના કાળની સાથો-સાથ અનેક ચઢાવ-ઉતારવાળું રહ્યું. હવે 2021ની શરૂઆત થઈ રહી છે. ત્યારે નવા વર્ષમાં દેશમાં અનેક એવા બદલાવ થઈ રહ્યાં છે જે તમારા જીવન પર સીધી અસર કરશે. 

 કારથી લઈને ટેક્સ સુધી નવા વર્ષમાં થઈ રહ્યાં છે ઘણા ફેરફાર, જાણો તમારા પર શું થશે અસર

દીપક જીતિયા, અમદાવાદઃ 1 જાન્યુઆરી 2021થી ભારતમાં ફાસ્ટાગ, GST, ગેસ સિલિન્ડર, જીવન વીમા પોલિસી, ચેક પેમેન્ટ, કોલિંગ, વોટ્સએપ, ટ્રેનની ટીકીટની કિંમત સહીત 10 મોટા ફેરફારો આવશે જેની સીધી અસર તમારા જીવન પર પડશે. આ નવા નિયમો તમને રાહત આપશે, બીજી તરફ જો તમે કેટલીક બાબતોનું ધ્યાન રાખશો નહીં તો તમને આર્થિક નુકસાન પણ થઈ શકે છે. ચાલો જાણીએ આ મહત્વપૂર્ણ ફેરફારો વિશે.

નવા વર્ષથી ચેક પેમેન્ટનો નિયમ બદલાશે
નવા વર્ષની શરૂઆત સાથે ચેક પેમેન્ટ સંબંધિત નિયમોમાં મોટો ફેરફાર થવાનો છે. બેંકિંગની છેતરપિંડીને કાબૂમાં લેવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI)એ 1 જાન્યુઆરી 2021થી તપાસની પોઝીટીવ પે સીસ્ટમ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. RBIના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા આ જાહેરાત ઓગસ્ટમાં કરવામાં આવી હતી.

ગુજરાતમાં દેશનું પહેલવહેલું હાઈટેક રેલવે સ્ટેશન...જ્યાં ફાઈવસ્ટાર હોટલની નીચેથી પસાર થશે ટ્રેન, જુઓ PHOTOS

પોઝીટીવ પે સીસ્ટમ શું છે?
પોઝીટીવ પે સીસ્ટમ હેઠળ કોઈ થર્ડ પાર્ટીને ચેક આપતી વ્યક્તિએ પણ તેમના ચેકની માહિતી તેમની બેંકમાં મોકલવી આવશ્યક છે. 50,000 રૂપિયાથી વધુની ચુકવણી વાળા ચેકમાં આ સિસ્ટમથી ફરીથી પુષ્ટિ કરવી પડશે. આ સિસ્ટમ દ્વારા ચેકની મંજૂરીને પણ ઓછો સમય લાગશે. ચેક આપનાર વ્યક્તિએ ચેકની તારીખ, લાભકર્તાનું નામ, પ્રાપ્તકર્તા અને ચુકવણીની રકમ વિશેની માહિતી ઇલેક્ટ્રોનિક માધ્યમથી આપવાની રહેશે.

નીચા પ્રીમિયમ પર ટર્મ પ્લાન ખરીદી શકશો
બધી વીમા કંપનીઓ 1 જાન્યુઆરીથી 'સરલ લાઇફ ઈન્સ્યોરન્સ પોલિસી' આપવાની છે. ઓછા પ્રીમિયમ પર ટર્મ પ્લાન ખરીદવાની તક મળશે. ટર્મ લાઇફ ઈન્સ્યોરન્સને બધા માટે પોસાય તેવો વિકલ્પ બનાવવાના હેતુથી વીમા કંપનીઓ ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા (IRDAI)ની સૂચના પર સરળ જીવન વીમા પોલીસી મળશે. આ કારણોસર, ઓછી આવકના લોકોને સૌથી વધુ ફાયદો થશે. આ પોલિસી માટે તમામ વીમા કંપનીઓના નિયમો અને શરતો સમાન હશે. ખાસ વાત એ છે કે વીમાની રકમની અને પ્રીમિયમ પણ સમાન હશે. આને કારણે દાવાના સમયે વિવાદની સંભાવના ઘણી ઓછી થઈ જશે.

કોન્ટેક્ટલેસ કાર્ડથી ટ્રાંઝેક્શનની મર્યાદા વધશે
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એટીએમ કાર્ડ અને યુપીઆઈથી સંપર્ક વિનાના વ્યવહારો માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ ડિજિટલ પેમેન્ટ્સને ઝડપથી સલામત રીતે અપનાવવા પર ભાર મૂકતાં કહ્યું હતું કે યુપીઆઈએ સંપર્ક વિનાની લેવડદેવડની મર્યાદા 2000 રૂપિયાથી વધારીને 5000 રૂપિયા કરી દીધી છે. આ સુવિધા 1 જાન્યુઆરી, 2021થી અમલમાં આવશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, સુરક્ષિત રીતે ડિજિટલ ચુકવણી વધારવા માટે યુપીઆઈ અથવા કાર્ડ દ્વારા કોન્ટેક લેસ ટ્રાન્ઝેક્શન દીઠ મર્યાદા એક જાન્યુઆરી 2021થી 2000 રૂપિયાથી વધારીને 5000 રૂપિયા કરવામાં આવશે. તેમણે કહ્યું કે તે ગ્રાહકોની ઇચ્છા પર આધારીત છે. રિઝર્વ બેંકે કહ્યું કે આને લગતી ઓપરેશનલ ગાઇડલાઇન્સ અલગથી જારી કરવામાં આવશે.

ફાસ્ટેગ ફરજિયાત બનશે
કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે 1 જાન્યુઆરી 2021થી તમામ ફોર વ્હીલર્સ માટે ફાસ્ટેગ ફરજિયાત બનાવ્યો છે. ડિજિટલાઇઝેશનને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકાર દેશના તમામ ટોલ પ્લાઝા પર રોકડ વ્યવહારને સંપૂર્ણપણે દૂર કરી રહી છે. આ સંદર્ભમાં NHAIના પ્રોજેક્ટ ડિરેક્ટર એન એન ગિરીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર 31 ડિસેમ્બર સુધીમાં ફાસ્ટેગનો 100% ઉપયોગ કરવા માંગે છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ના અનુસાર, ફાસ્ટાગ ઇ-કોમર્સ વેબસાઇટ એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ અને પેટીએમ પર ઉપલબ્ધ છે. ફાસ્ટેગ બેંકો અને પેટ્રોલ પમ્પથી પણ ખરીદી શકાય છે. બેંકમાંથી ફાસ્ટેગ લેતી વખતે ધ્યાનમાં રાખો કે જ્યાં તમારું એકાઉન્ટ છે ત્યાંથી ફાસ્ટેગની ખરીદી કરો .

આ મોબાઈલ ફોન્સ પર વોટ્સએપ કામ કરશે નહીં
નવા વર્ષથી એન્ડ્રોઇડ 4.3 અને IOS-9, જૂની ઓપરેટીંગ સિસ્ટમ્સવાળા સ્માર્ટફોનમાં વટ્સએપ ચલાવવાનું બંધ થશે. વટ્સએપ દર વર્ષે જૂનું IOS અને એન્ડ્રોઇડ સ્માર્ટફોનને ટેકો આપવાનું બંધ કરે છે. જે ગ્રાહકો જૂની ઓપરેટીંગ સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યાં છે, તેઓએ તેમના ફોનને અપગ્રેડ કરવાની જરૂર છે. તમને જણાવી દઈએ કે વોટ્સએપના વિશ્વભરમાં બે અબજથી વધુ વપરાશકારો છે.

લો બોલો....દારૂ પીવા માટેની વયમર્યાદામાં હવે થશે ઘટાડો! ખુલ્લેઆમ દારૂ વેચવાની તૈયારી?

નાના વેપારીઓ માટે સરકારે QRMP યોજના શરૂ કરી
ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ(GST) પ્રક્રિયાને વધુ સરળ બનાવવા વેચાણ રિટર્ન ફાઇલ કરવાના મામલે વધુ પગલા ભરવાની તૈયારી ચાલી રહી છે. પાંચ કરોડ રૂપિયા સુધીના વાર્ષિક ટર્નઓવરવાળા નાના ઉદ્યોગપતિઓએ આવતા વર્ષે જાન્યુઆરીથી માત્ર ચાર વેચાણ રિટર્ન ફાઇલ કરવાના રહેશે. હાલમાં આ વેપારીઓએ માસિક ધોરણે 12 વેચાણ રિટર્ન ફાઇલ કરવા પડે છે. માસિક ટેક્સ ચુકવણી યોજના સાથે ત્રિમાસિક રિટર્ન (QRMP ) ફાઇલ કરવાની યોજનાની અસર લગભગ 94 લાખ કરદાતાઓને અસર કરશે. તે GST હેઠળ નોંધાયેલા કરદાતાઓમાં લગભગ 92 ટકા છે. એટલે કે GSTમાં નોંધાયેલા વેપારીઓને મોટી સંખ્યામાં આ યોજનાનો લાભ મળશે. આમ આવતા વર્ષે જાન્યુઆરીથી નાના વેપારીઓએ એક વર્ષમાં ચાર GSTR-3 બી અને ચાર GSTR-1 રિટર્ન ભરવાના રહેશે.

મોબાઇલ પર લેન્ડલાઇનથી કોલિંગ કરતાં પહેલાં ઝીરો લગાવવો પડશે
દેશભરમાં લેન્ડલાઇનથી મોબાઇલ ફોનમાં કોલિંગ કરવા માટે ગ્રાહકોને 1 જાન્યુઆરીથી નંબર પહેલાં શૂન્ય લગાવવો ફરજિયાત રહેશે. દૂરસંચાર વિભાગે આ સાથે જોડાયેલા ટ્રાઇના પ્રસ્તાવને સ્વીકાર્યો છે. ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (ટ્રાઇ) એ આવા 29 કોલ કર્યા છે. દૂરસંચાર વિભાગે 20 નવેમ્બરના રોજ જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે લેન્ડલાઇનથી મોબાઈલમાં ડાયલિંગ નંબરોની સંખ્યામાં ફેરફાર કરવા માટે ટ્રાઇની ભલામણો સ્વીકારવામાં આવી છે. આનાથી મોબાઇલ અને લેન્ડલાઇન સેવાઓ માટે પૂરતા નંબરો બનાવવાની સુવિધા મળશે. પરિપત્ર મુજબ નિયમ લાગુ કર્યા પછી કોઈને લેન્ડલાઇનથી મોબાઇલ પર કોલ કરવા માટે નંબર પહેલાં શૂન્ય ડાયલ કરવો પડશે.

રાશિફળ 31 ડિસેમ્બર 2020: વર્ષના છેલ્લા દિવસે આ રાશિના જાતકોના નસીબ આડેથી પાંદડું હટશે, ભાગ્ય ચમકશે

નવા વર્ષથી વાહનો મોંઘા થઈ જશે
આવતા મહિનાથી ઘણી કાર કંપનીઓ તેમના ગ્રાહકોને મોટો આંચકો આપશે. 1 જાન્યુઆરી 2021થી 10 મોટી કાર કંપનીઓ તેમની કારના ભાવમાં વધારો કરવા જઈ રહી છે. ઉત્પાદન ખર્ચ અને કાચા માલ (સ્ટીલ, એલ્યુમિનિયમ અને પ્લાસ્ટિક)ની કિંમત વધારાના કારણે ભાવ વધારા પાછળનું મોટું કારણ છે. આવી સ્થિતિમાં જો તમારે હાલની કિંમતે આ કાર ખરીદવી હોય, તો તમારે તે 31 ડિસેમ્બર સુધીમાં ખરીદવી પડશે.

1 જાન્યુઆરી 2021થી કંપની તેની કારના ભાવમાં ત્રણ ટકાનો વધારો કરી શકે છે. જો કે વધેલા ભાવો અને મોડેલો અનુસાર બદલાશે. એમજી મોટર ઇન્ડિયા ભારતીય બજારમાં એમજી હેક્ટર, એમજી ઝેડએસ ઇવી અને એમજી ગ્લોસ્ટર જેવી કારની કીમતમાં પણ વધારો થશે. રેનો ઇન્ડિયા 1 જાન્યુઆરી 2021થી તેની કારના ભાવમાં 28,000 રૂપિયા સુધી વધારો કરશે. જો કે વધેલા ભાવો અને મોડેલો અનુસાર બદલાશે. રેનો ઇન્ડિયા ભારતીય બજારમાં ક્વિડ, ડસ્ટર અને ટ્રિબર જેવી કારનું વેચાણ કરે છે.

LPGના ભાવ
ઓઇલ કંપનીઓ દર મહિનાની શરૂઆતમાં LPG સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે. આવતીકાલથી દેશમાં LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર થશે. તે જાણીતું છે કે દરેક રાજ્યમાં ટેક્સ અલગ હોય છે અને આ પ્રમાણે LPGની કિંમત બદલાય છે. હાલમાં સરકાર એક વર્ષમાં દરેક ઘર માટે 14.2 કિગ્રાના 12 સિલિન્ડરો પર સબસિડી પૂરી પાડે છે. જો ગ્રાહકો આના કરતા વધારે સિલિન્ડર લેવા માંગતા હોય તો તેઓ તેને બજાર ભાવે ખરીદે છે. તેની કિંમતો સરેરાશ આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક અને વિદેશી વિનિમય દરોમાં ફેરફાર જેવા પરિબળો નક્કી કરે છે.

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનાં નિયમો
સેબીએ મલ્ટિકેપ મ્યુચ્યુઅલ ફંડ્સ માટે સંપત્તિ ફાળવણીના નિયમોમાં ફેરફાર કર્યા છે. આ મુજબ હવે 75% ભંડોળ ઇક્વિટીમાં રોકાણ કરવું પડશે. હાલમાં તેની લઘુત્તમ હિસ્સો 65 ટકા છે. નવા નિયમો અનુસાર મલ્ટિકેપ ફંડ્સનું સ્ટ્રક્ચર બદલાશે. મિડકેપ અને સ્મોલકેપમાં 25-25% રોકાણ કરવા માટે ભંડોળની આવશ્યકતા રહેશે, જ્યારે 25% મોટા કેપ્સમાં રોકાણ કરવું પડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news