Monsoon Session: સંસદમાંથી ગાયબ રહેનારા BJP સાંસદોથી નારાજ છે PM મોદી? માંગ્યુ લિસ્ટ


સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી પ્રમાણે, ભાજપ સંસદીય દળની બેઠકમાં તેના પર નારાજગી વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ તે સાંસદોની યાદી મંગાવી છે, જે કાલે બિલ પસાર થવા દરમિયાન સંસદમાં ગેરહાજર હતા. 

Monsoon Session: સંસદમાંથી ગાયબ રહેનારા BJP સાંસદોથી નારાજ છે PM મોદી? માંગ્યુ લિસ્ટ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદમાંથી ગાયબ રહેનારા ભારતીય જનતા પાર્ટી (BJP) ના સાંસદોને લઈને નારાજગી વ્યક્ત કરી છે. તેમણે ગેરહાજર રહેતા સાંસદોનું લિસ્ટ માંગ્યુ છે. પીએમ મોદીએ સોમવારે 'ટ્રિબ્યુનલ્સ રિફોર્મ બિલ, 2021' ને રાજ્યસભામાં સોમવારે પાસ કરાવવા સમયે મોટાભાગના સાંસદોની ગેરહાજરીને લઈને મંગળવારે નારાજગી જાહેર કરી છે. 

સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી પ્રમાણે, ભાજપ સંસદીય દળની બેઠકમાં તેના પર નારાજગી વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ તે સાંસદોની યાદી મંગાવી છે, જે કાલે બિલ પસાર થવા દરમિયાન સંસદમાં ગેરહાજર હતા. 

રાજ્યસભામાં સોમવારે સંક્ષિપ્ત ચર્ચા બાદ વિપક્ષી સભ્યોના હંગામાને કારણે 'ટ્રિબ્યુનલ્સ રિફોર્મ બિલ, 2021' ને મંજૂરી આપી દેવામાં આવી હતી. આ બિલમાં મૂવીઝ એક્ટ, કસ્ટમ એક્ટ, ટ્રેડ માર્ક્સ એક્ટ સહિત ઘણા કાયદામાં સુધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. વિપક્ષે આ બિલને પ્રવર સમિતિમાં મોકલવાનો પ્રસ્તાવ રાખ્યો અને બાદમાં તેના પર મતવિભાજનની માંગ કરી હતી. પરંતુ મતવિભાજનમાં ગૃહમાં 44ના મુકાબલે 79 મતોથી વિપક્ષનો આ પ્રસ્તાવ અસ્વીકાર કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે રાજ્યસભામાં વર્તમાનમાં ભાજપના 94 સાંસદો છે. 

— ANI (@ANI) August 10, 2021

પીએમ મોદીએ ભાજપ સાંસદોને આપ્યા 3 ટાસ્ક
પ્રધાનમંત્રી મોદીએ મંગળવારે ભાજપ સાંસદોને ત્રણ મુદ્દા પર મોટા પાયે અભિયાન ચલાવવાનું કહ્યું છે. તેમાં કુપોષણ નાબૂદી, પોત-પોતાના ચૂંટણી ક્ષેત્રોમાં રમતવિરો અને રમતને પ્રોત્સાહિત કરવી અને આયુષ્માન ભારત યોજના હેઠળ ગોલ્ડન કાર્ડ વિશે જાગરૂકતા ફેલાવવી સામેલ છે. સૂત્રએ કહ્યું કે પીએમ મોદીએ સંસદીય દળની બેઠકને સંબોધિત કરતા કહ્યું કે સાંસદોએ કુપોષણ નાબૂદીનો મુદ્દો ઉઠાવવો જોઈએ અને તે નક્કી કરવું જોઈએ કે પોષણ પ્રદાન કરવાના ઉદ્દેશ્યથી સામાજીક યોજનાઓને જમીન પર લાગૂ કરવામાં આવે. 

યુવાનોને રમતો પ્રત્યે પ્રોત્સાહિત કરવાની જરૂરઃ મોદી
ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં ભારતના પ્રદર્શનને ધ્યાનમાં રાખી પ્રધાનમંત્રીએ કહ્યુ કે યુવાઓને રમતો પ્રત્યે પ્રોત્સાહિત કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે સાંસદોએ તે નક્કી કરવુ જોઈએ કે ગ્રામ પંચાયત સ્તરથી ઉપરની રમત શીખવાડવાની જોગવાઈ છે. ત્રીજો મુદ્દો જેના પર પીએમ મોદી ઈચ્છે છે કે તેમની પાર્ટીના સહયોગી આયુષ્માન ભારતને લાગૂ કરવા પર ધ્યાન આપે અને તે નક્કી કરે કે કેશલેશ સારવારની સુવિધા યોગ્ય લાભાર્થી સુધી પહોંચે. તમને જણાવી દઈએ કે ગોલ્ડન કાર્ડ કે ઈ-કાર્ડ લાભાર્થીઓને કેશલેસ સારવારની મંજૂરી આપે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news