TMC માં પાછા ફર્યા Mukul Roy, કહ્યું- બાદમાં જણાવીશ 'ઘર વાપસી' નું કારણ

મુકુલ રોયે (Mukul Roy) ભારતીય જનતા પાર્ટી (BJP) છોડી દીધી છે અને ફરી એક વખત તૃણમૂલ કોંગ્રેસમાં (TMC) જોડાયા છે. શુક્રવારે બપોરે પશ્ચિમ બંગાળના (West Bengal) સીએમ મમતા બેનર્જીએ (Mamata Banerjee) પત્રકાર પરિષદ યોજીને આ અંગેની જાહેરાત કરી છે

TMC માં પાછા ફર્યા Mukul Roy, કહ્યું- બાદમાં જણાવીશ 'ઘર વાપસી' નું કારણ

કોલકાતા: મુકુલ રોયે (Mukul Roy) ભારતીય જનતા પાર્ટી (BJP) છોડી દીધી છે અને ફરી એક વખત તૃણમૂલ કોંગ્રેસમાં (TMC) જોડાયા છે. શુક્રવારે બપોરે પશ્ચિમ બંગાળના (West Bengal) સીએમ મમતા બેનર્જીએ (Mamata Banerjee) પત્રકાર પરિષદ યોજીને આ અંગેની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે મુકુલ રોય અમારો પુત્ર છે, તે ઘરે પરત આવ્યો છે.

'પછીથી જણાવીશ ઘરે પાછા ફરવાનું કારણ'
ત્યારે મુકુલ રોયે કહ્યું, 'હું ખુશ છું કે હું જૂની પાર્ટીમાં પાછો આવ્યો છું. બંગાળ તેની સ્થિતિ પર પાછા ફરવા માંગે છે, અને અમે તેનું નેતૃત્વ કરીશું. આ દરમિયાન રોયે ભાજપ પર નિશાન સાધતા કહ્યું હતું કે, 'બંગાળમાં જે સ્થિતિ છે, ભાજપમાં કોઈ રહેશે નહીં.' જોકે, જ્યારે ZEE મીડિયાની સંવાદદાતા પૂજા મહેતાએ મુકુલ રોયને 4 વર્ષ પછી ફરીથી ટીએમસીમાં જોડાવાનું કારણ પૂછ્યું ત્યારે તેમણે કહ્યું, 'હું મારા ઘરે પાછા આવવાનું કારણ પછી કહીશ.'

'વિશ્વાસઘાતીઓ માટે TMC માં ફરી જગ્યા નથી'
બુધવારે, ટીએમસીના વરિષ્ઠ નેતા સૌગાતા રોયે સંકેત આપ્યો હતો કે મુકુલ રોય પાર્ટીમાં પાછા ફરશે. તેમણે કહ્યું હતું કે, 'મુકુલ રોય કદાચ ટીએમસી છોડીને ભાજપમાં ગયા હતા, પરંતુ તેમણે મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ કશું કહ્યું નહીં.' જોકે શુક્રવારે રોયને ટીએમસીમાં જોડાવા માટે ઔપચારિક જાહેરાત કરવામાં આવી છે. પરંતુ મમતા બેનર્જીએ સ્પષ્ટ કર્યું કે વિશ્વાસઘાતીઓને ફરીથી પાર્ટીમાં સ્થાન નહીં મળે.

2017 માં તોડી નાખ્યા હતો TMC થી સંબંધ
ઉલ્લેખનીય છે કે મુકુલ રોય વર્ષ 2017 માં ટીએમસી છોડીને ભાજપમાં જોડાયા હતા, અને આ વર્ષે રાજ્યમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે ટીએમસીના ઘણા નેતાઓને ભાજપમાં જોડાવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા કહેવામાં આવી રહી હતી. પરંતુ ચૂંટણી બાદ મુકુલ રોયનો ભાજપથી 'ભ્રમ' થયાના અહેવાલો આવ્યા હતા. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, જ્યારે મુકુલ રોય અને તેમની પત્ની કોરોના સંક્રમણની લપેટમાં આવ્યા, ત્યારે ભાજપના નેતાઓએ તેમની શોધમાં વધુ સમય લીધો ન હતો. પરંતુ બાદમાં જ્યારે મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી તેમને મળવા આવ્યા ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુકુલ રોય સાથે ફોન પર વાત કરી. જો કે તે સમયે રોયે ટ્વીટના આ અહેવાલોને ફગાવી દીધા હતા અને પોતાને ભાજપનો સૈનિક ગણાવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news