નીતિશકુમારે PM પદની દાવેદારી પર આપ્યું મોટું નિવેદન, '2014માં જે આવ્યા હતા તેઓ 2024માં...'

નીતિશકુમારે આઠમીવાર બિહારના સીએમ પદના શપથ લીધા. શપથગ્રહણ બાદ નીતિશકુમારે રાજ ભવનમાં મીડિયા સાથે વાતચીત કરી. આ દરમિયાન તેઓ ભાજપ પ્રત્યે કડક તેવર અપનાવતા જોવા મળ્યા. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેઓ 2024માં લોકસભા ચૂંટણીમાં વિપક્ષ તરફથી પીએમ પદના ઉમેદવાર હશે તો તેમણે જવાબમાં મોટું નિવેદન આપ્યું.

નીતિશકુમારે PM પદની દાવેદારી પર આપ્યું મોટું નિવેદન, '2014માં જે આવ્યા હતા તેઓ 2024માં...'

બિહારમાં એકવાર ફરીથી સત્તા પરિવર્તન થઈ ગયું છે. જો કે આ એક એવું સત્તા પરિવર્તન છે કે મુખ્યમંત્રી તો એના એજ રહ્યા એટલે કે નીતિશકુમાર પરંતુ અન્ય પાત્રો બદલાઈ ગયા છે. નીતિશકુમારે ભાજપને મોટો ઝટકો આપતા ગઠબંધન તોડી નાખ્યું અને હવે લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડી સાથે મળીને સરકાર બનાવી લીધી. આજે તેમણે આઠમી વાર સીએમ પદના શપથ લીધા. આરજેડી નેતા તેજસ્વી યાદવે ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા. 

નીતિશકુમારે આઠમીવાર બિહારના સીએમ પદના શપથ લીધા. શપથગ્રહણ બાદ નીતિશકુમારે રાજ ભવનમાં મીડિયા સાથે વાતચીત કરી. આ દરમિયાન તેઓ ભાજપ પ્રત્યે કડક તેવર અપનાવતા જોવા મળ્યા. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેઓ 2024માં લોકસભા ચૂંટણીમાં વિપક્ષ તરફથી પીએમ પદના ઉમેદવાર હશે તો તેમણે જવાબમાં મોટું નિવેદન આપ્યું. પહેલા તો તેમણે કહ્યું કે અમારી એવી કોઈ દાવેદારી નથી. પરંતુ આગળ જે કહ્યું તે બધાને વિચારતા કરી નાખે તેવું છે. 

— ANI_HindiNews (@AHindinews) August 10, 2022

નીતિશકુમારે કહ્યું કે અમારી કોઈ પણ પદ માટે કોઈ દાવેદારી નથી. પરંતુ જે 2014માં આવ્યા તેઓ 2024 બાદ રહી શકશે કે નહીં? એટલે કે તેમણે હાલની કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 2024ની લોકસભા ચૂંટણીમાં જીત ઉપર સવાલ ઉભા કરી દીધા છે. બિહારના સીએમ નીતિશકુમારનું આ નિવેદન એટલા માટે પણ મહત્વનું ગણવામાં આવી રહ્યું છે કે તેઓ સામાન્ય રીતે આ પ્રકારના નિવેદનોથી અંતર જાળવે છે. આ સાથે જ 2013માં જ્યારે નરેન્દ્ર મોદીને ભાજપનો ચહેરો જાહેર કરાયા હતા ત્યારથી નીતિશકુમાર સાથે ભાજપના સંબંધ સારા નથી. નીતિશે પહેલા પણ ભાજપ સાથે આ મુદ્દે જ ગઠબંધન તોડ્યું હતું. 

હવે જ્યારે નીતિશકુમારે એકવાર ફરીથી ભાજપ સાથે અંતર જાળવ્યું છે તો તેમણે નામ લીધા વગર પીએમ મોદી પર નિશાન  સાધ્યું છે. નીતિશકુમારના વિરોધીઓ સતત તેમના પર પીએમ પદ માટે દાવેદારીની મહત્વકાંક્ષા હોવાનો આરોપ પણ લગાવતા રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news