New Rules from 1st October: વીજળીના બિલથી RBI નિયમો...આજથી થયા આ 9 મોટા ફેરફાર, સીધા તમારા ખિસ્સા પર કરશે અસર

આજથી દેશમાં અનેક મોટા ફેરફાર થઈ ગયા છે. તેની સીધી અસર હવે તમારા ખિસ્સા પર પડશે. આ ફેરફારો અંતર્ગત હવે ગાડીઓના ભાવમાં વધારો, દિલ્હીમાં વીજળી સબસિડીના બદલાયેલા નિયમ, તમારા ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ સંલગ્ન નિયમો, મ્યુચ્યુઅલ ફંડના નિયમ, અટલ પેન્શન યોજના સહિત અનેક ફેરફાર સામેલ છે. અમે તમને 10 એવા મહત્વના ફેરફાર વિશે જણાવીશું જે તમારા માટે જાણવા જરૂરી છે. 

New Rules from 1st October: વીજળીના બિલથી RBI નિયમો...આજથી થયા આ 9 મોટા ફેરફાર, સીધા તમારા ખિસ્સા પર કરશે અસર

New Rules from 1st October: આજથી દેશમાં અનેક મોટા ફેરફાર થઈ ગયા છે. તેની સીધી અસર હવે તમારા ખિસ્સા પર પડશે. આ ફેરફારો અંતર્ગત હવે ગાડીઓના ભાવમાં વધારો, દિલ્હીમાં વીજળી સબસિડીના બદલાયેલા નિયમ, તમારા ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ સંલગ્ન નિયમો, મ્યુચ્યુઅલ ફંડના નિયમ, અટલ પેન્શન યોજના સહિત અનેક ફેરફાર સામેલ છે. અમે તમને 10 એવા મહત્વના ફેરફાર વિશે જણાવીશું જે તમારા માટે જાણવા જરૂરી છે. 

1 દિલ્હીમાં ફ્રી વીજળી બંધ
દિલ્હીમાં ફ્રી વીજળીની સુવિધાનો લાભ ઉઠાવવાના નિયમમાં ફેરફાર થયો છે. વીજળી બિલ પર દિલ્હી સરકાર તરફથી મળનારી સબસિડી 31 સપ્ટેમ્બર બાદ બંધ કરી દેવાઈ છે. હવે સબસિડી માટે અરજી કરનારા ગ્રાહકોને જ તે યોજનાનો લાભ મળશે. મુખ્યમંત્રી અરવિંદ  કેજરીવાલે થોડા દિવસ પહેલા આ નવા નિયમ અંગે જાણકારી આપી હતી. 

2. GRAP અને દિલ્હી સરકારનો વિન્ટર એક્શન પ્લાન
હવે શિયાળો નજીક છે. આ દરમિયાન દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણ જોખમી સ્થિતિમાં પહોંચી જાય છે. આવામાં લોકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાના હેતુસર અને એર પોલ્યુશન વિરુદ્ધ જંગ હેઠળ દિલ્હી અને આસપાસ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) લાગૂ થશે. આ પ્લાન હેઠળ તે તમામ કામ પર રોક લાગશે જે પ્રદૂષણ વધારે છે. આવામાં દિલ્હીમાં ટ્રકોની એન્ટ્રી બંધ થશે. માત્ર જરૂરી સામાનની હેરફેર કરનારા ટ્રક જ અવરજવર કરી શકશે. ઈન્ડસ્ટ્રી અને ફેક્ટ્રી બંધ થઈ જશે. કંસ્ટ્રક્શન-ડિમોલિશન ઉપર રોક લાગૂ રહેશે. જો કે હાઈવે, રસ્તા, ફ્લાઈઓવર, અને બ્રિજ બનાવવાનું કામ ચાલુ રહેશે. ધુમાડો ફેલાવનારા જનરેટરોથી લઈને તમારા વાહનો પર તેની અસર પડશે. 

3. ડેબિટ-ક્રેડિટ કાર્ડ સંલગ્ન નિયમ બદલાયો
આજથી ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સંલગ્ન નિયમ બદલાયો છે. RBI નું કહેવું છે કે એક ઓક્ટોબરથી ટોક્નાઈઝેશન સિસ્ટમમાં ફેરફાર બાદ કાર્ડ ધારકોને પેમેન્ટ કરવામાં નવો અનુભવ મળશે. અત્રે જણાવવાનું કે અગાઉ તમે  અત્યાર સુધી જ્યારે ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરતા હતા ત્યારે તમારા કાર્ડની જાણકારી સંબંધિત વેબસાઈટમાં સેવ થતી હતી. આવામાં ઓનલાઈન ફ્રોડના કેસ રોકવા માટે કેન્દ્ર સરકારે નિયમોમાં ફેરફાર કર્યો છે. આજથી પેમેન્ટ કરવા પર  ટ્રાન્ઝેક્શન દરમિયાન એક ટોકન જનરેટ થશે અને તેનાથી પેમેન્ટ થઈ શકશે. તેનાથી અગાઉની સરખામણીમાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી ટ્રાન્ઝેક્શન કરવું વધુ સુરક્ષિત થશે. 

4. મ્યુચ્યુઅલ ફંડના નિયમોમાં ફેરફાર
આજથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારાઓ માટે નોમિનેશન ડિટેલ આપવી જરૂરી બની છે. આમ ન કરનારા રોકાણકારોએ એક ડેક્લેરેશન ભરવું પડશે. ડેક્લેરેશનમાં નોમિનેશનની સુવિધા નહીં લેવાની જાહેરાત કરવી પડશે. જો તમે પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા હોવ તો તેનું જરૂર ધ્યાન રાખો. 

5. અટલ પેન્શન યોજનામાં ફેરફાર
સરકારે અટલ પેન્શન યોજનાના નિયમોમાં ફેરફાર કર્યો છે. ટેક્સપેયર્સ હવે તેનો ફાયદો ઉઠાવી શકશે નહીં. એટલે કે જો તમે આવકવેરાના દાયરામાં આવતા હોવ તો આ યોજનાનો ફાયદો ઉઠાવી શકશો નહીં. હાલમાં જ કેન્દ્ર સરકારે કહ્યું હતું કે એક ઓક્ટોબર 2022 બાદ કોઈ પણ ટેક્સપેયર અટલ પેન્શન યોજનામાં સામેલ થવાને પાત્ર રહેશે નહીં. આવામાં જો કોઈ સબ્સ્ક્રાઈબર આ તારીખ કે તે પહેલા ટેક્સપેયર જણાશે તો તેનું અટલ પેન્શન યોજનાનું ખાતું બંધ કરી દેવાશે અને તે દિવસ સુધી જમા તેની પેન્શનની રકમ પાછી આપી દેવાશે. 

6. ડિમેટ ખાતાના નિયમમાં ફેરફાર
તમારું ડિમેટ ખાતું પહેલા કરતા વધુ સુરક્ષિત બન્યું છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના નિર્ણય મુજબ 30 સપ્ટેમ્બર સુધીમાં ડિમેટ એકાઉન્ટમાં ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન અનેબલ કરવું જરૂરી હતી. તેના વગર આજથી ડિમેટ એકાઉન્ટ યૂઝર્સ લોગઈન કરી શકશે નહીં. એટલે કે ખાતામાં લોગઈન કરવા માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન અને પછી પાસવર્ડ નાખવો જરૂરી રહેશે. 

7 5જી સેવા લોન્ચ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારતમાં જેની કાગડોળે રાહ જોવાઈ રહી છે તે 5જી સેવાઓની શરૂઆત કરશે. એક સરકારી નિવેદન મુજબ પ્રધાનમંત્રી કેટલાક ગણતરીના શહેરોમાં આજથી 5જી સેવાઓની શરૂઆત કરાવશે. ત્યારબાદ આગામી કેટલાક વર્ષોમાં સમગ્ર દેશમાં 5જી સેવાનો વિસ્તાર કરવામાં આવશે. 

8. ફોક્સવેગન કાર મોંઘી બનશે
ઓટો કંપની ફોક્સવેગનની કારો આજથી એટલે કે એક ઓક્ટોબરથી મોંઘી થઈ છે. ભાવમાં ફેરફાર તમને કંપનીના કોટેશનમાં જોવા મળશે. કંપનીના વરિષ્ઠ અધિકારીએ હાલમાં જ જણાવ્યું હતું કે તેણે પોતાની તમામ ગાડીઓના ભાવમાં એક ઓક્ટોબરથી 2 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. 

9. કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવ ઘટ્યા
ઓઈલ ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓએ આજેથી મહાનગરોમાં 19 કિલોગ્રામ કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેર (IOCL) ની વેબસાઈટ મુજબ LPG ના આ સિલિન્ડરના  ભાવમાં ઘટાડો થયો છે. ઓઈલ કંપનીઓ દ્વારા શેર કરાયેલી માહિતી મુજબ આજથી દિલ્હીમાં 25.50 રૂપિયા ભાવ ઘટતા 19 કિલો કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ 1885 રૂપિયાની જગ્યાએ 1859.50 રૂપિયા હશે. કોલકાતામાં 19 કિલોના એલપીજી સિલિન્ડરનો ભાવ 36.50 રૂપિયા ઘટીને 1995.50 રૂપિયા, મુંબઈમાં 35.50 રૂપિયા ઘટીને 1811.50 રૂપિયા અને ચેન્નાઈમાં ભાવ 35.50 રૂપિયા ઘટતા 2009.50 રૂપિયા હશે. 

અહીં એ વાત ખાસ જણાવવાનું કે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર નથી. આ સિલિન્ડર હજુ પણ 6 જુલાઈના રોજ જે ભાવ હતો તે જ ભાવે મળી રહ્યો છે. 6 જુલાઈના રોજ ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયા વધારો થયો હતો.

સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સ પર વ્યાજ
સરકાર તરફથી નાની બચત યોજનાઓ પર વ્યાજની દર ત્રણ મહિનામાં સમીક્ષા કરવામાં આવે છે. આ સમીક્ષા દરમિયાન વ્યાજ દર વધારવા, ઘટાડવા કે સ્થિર રાખવા પર નિર્ણય લેવાય છે. નાણા મંત્રાલય તરફથી આ વ્યાજ દરો નિર્ધારિત કરાય છે. હાલમાં સમીક્ષા ઓક્ટોબરથી ડિસેમ્બર 2022 ત્રિમાસિક માટે થવાની છે. આ બચત યોજનાઓમાં પબ્લિક પ્રોવિડન્ડ ફંડ (PPF), સુકન્યા સમૃદ્ધિ યોજના, સિનિયર સિટિઝન્સ સેવિંગ્સ સ્કીમ (SCSS), નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ્સ (NSC) સામેલ છે. સરકારી બોન્ડ યીલ્ડમાં તેજી આવી રહી છે એથી માનવામાં આવી રહ્યું છે કે નાની બચત યોજનાઓ પર વ્યાજ દરમાં વધારો થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news