બાબરી મસ્જિદઃ નિર્માણથી ધ્વંસ સુધીની ટાઈમલાઈન

6 ડિસેમ્બર, 1992ના રોજ બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી હતી. બાબરી મસ્જિદનું નિર્માણ 1528માં મોઘલ બાદશાહ બાબરના કમાન્ડર મીર બાકી દ્વારા કરવામાં આવ્યું છે. બાબરી મસ્જિદના ધ્વંસ બાદ તેના ઉપર આજ સુધી રાજકારણ ગરમાયેલું રહ્યું છે ત્યારે આવો જાણીએ તેના નિર્માણથી આજ સુધીની તવારીખી સફર...

બાબરી મસ્જિદઃ નિર્માણથી ધ્વંસ સુધીની ટાઈમલાઈન

અમદાવાદઃ આજે 6 ડિસેમ્બરની તારીખ બાબરી મસ્જિદના વિવાદિત માળખાને તોડી પાડવાની વર્ષગાંઠ છે. બાબરી મસ્જિદને 6 ડિસેમ્બર, 1992ના રોજ તોડી પાડવામાં આવી હતી. બાબરી મસ્જિદ તોડી પાડવાની ઘટનામાં ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી સહિત ભાજપના 13 નેતાઓ સામે ગુનાહિત કાવતરું ઘડવાનો કેસ ઘડવામાં આવ્યો હતો. આ સાથે જ બાબરી મસ્જિદના વિવાદિત સ્થળ અંગે પણ સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આવો જાણીએ બાબરી મસ્જિદના નિર્માણથી માંડીને આજ સુધીની તવારિખી સફર...

બાબરી મસ્જિદનું નિર્માણ  
- 1528 : મોઘલ બાદશાહ બાબરના કમાન્ડર મીર બાકી દ્વારા નિર્માણ
- 1853 :  નિર્મોહી અખાડાના દાવા પ્રમાણે, બાબરના સમયમાં મંદિરનો ધ્વંસ કરીને મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું. 
- 1859 :  તત્કાલીન બ્રિટિન સરકારના સ્થાનિક વહીવટી તંત્રે દિવાલ બનાવીને મસ્જિદ પરિસરમાં પૂજા કરવાના સ્થાનને અલગ કરી આપ્યું. મુસ્લિમોને અંદરના ભાગની તથા હિન્દુઓને બહારના ભાગના વપરાશની છૂટ આપવામાં આવી હતી. 
- 1885 :  મહંત રઘુબર દાસે પ્રથમ વખત કેસ દાખલ કર્યો હતો. જેમાં મસ્જિદની બહારના ભાગમાં રામ ચબુતરા પર છતરી મૂકવાની મંજૂરી મગાઈ હતી. તત્કાલિન ફિરોઝાબાદ જિલ્લા કોર્ટે આ અરજીને નામંજૂર કરીને ફગાવી દીધી હતી. 

68 વર્ષ પહેલા રામ લલ્લાની મૂર્તિને મસ્જિદમાં કરાઈ સ્થાપિત 
- 1949 : રામલલાની મૂર્તિને અડધી રાત્રે મસ્જિદમાં લાવીને સ્થાપિત કરવાનો એક હિન્દૂ જૂથ પર આરોપ લગાવાયો. આથી કોર્ટે વિસ્તારને વિવાદાસ્પદ પરિસર જાહેર કરી ગેટ પર તાળું મારાવી દીધું હતું. 
- 1950 : ગોપાલસિંહ વિષારદ તથા મહંત પરમહંસ રામચંદ્ર દાસે ફિરોઝાબાદની કોર્ટ પાસેથી જન્મસ્થળે પૂજા માટે મંજૂરી માગી. અંદર તાળું હોવા છતાં આ મંજૂરી આપી દેવામાં આવી. 
- 1959 : નિર્મોહી અખાડાએ ત્રીજો કેસ દાખલ કર્યો. જેમાં વિવાદસ્પદ ભાગ પર હક માંગવામાં આવ્યો, સાથે જ રામ જન્મભૂમિના સંરક્ષક હોવાનો દાવો કરવામાં આવ્યો. 
- 1981 : સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે મસ્જિદની અંદર મૂર્તી રાખવા સામે કેસ દાખલ કર્ય. સાથે જ મસ્જિદ હોવાનો દાવો કર્યો. તેની ચારેય બાજુની જમીનને કબ્રસ્તાન ઠેરવી.

અડવાણીના નેતૃત્વમાં આંદોલન
- 1984 : એક હિન્દી જૂથે રામ મંદિર બનાવવા માટે કમિટીનું ગઠન કર્યું. તે સમયે અડવાણીના નેતૃત્વમાં મંદિર આંદોલને પણ વેગ પકડ્યો. 
- 1986 : હરિશંકર દુબે નામના શખ્સની અરજી પર ડિસ્ટ્રિક્ટ કોર્ટે મસ્જિદના દરવાજા ખોલવાના આદેશ આપ્યા તથા હિન્દુઓને પૂજા કરવાની મંજૂરી આપી. 
- મુસ્લિમોએ તેનો વિરોધ કર્યો. દરમિયાનમાં બાબરી મસ્જિદ એક્શન કમિટી બની. 
- 1989 : વિશ્વ હિન્દુ પરિષદે બાબરી મસ્જિદની પાસેની જમીન પર રામ મંદિર બનાવવા માટે ખાતમૂહુર્ત કર્યું. 
- વિહિપના પૂર્વ અધ્યક્ષ જસ્ટિસ દેવકી નંદન અગ્રવાલે પિટિશન દાખલ કરીને પૂછ્યું, મસ્જિદને અન્યત્ર ખસેડી શકાય? ફિરોઝાબાદ કોર્ટમાં પેન્ડિંગ ચાર કેસને હાઈકોર્ટની સ્પેશિયલ બેન્ચને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા. 
- 14 ઓગસ્ટ, 1989 : અલાહાબાદ હાઈકોર્ટે વિવાદાસ્પદ માળખાની યથાવત સ્થિતિ રાખવાનો આદેશ આપ્યો. 
- 1990માં વિહિપ (વિશ્વ હિન્દુ પરિષદ)ના કેટલાક કાર્યકરોએ મસ્જિદના કેટલાક ભાગને નુકસાન પહોંચાડ્યું. તત્કાલીન વડાપ્રધાન ચંદ્રશેખરે પરસ્પર વાટાઘાટો દ્વારા ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો, જે નિષ્ફળ રહ્યો. 
- સપ્ટેમ્બર, 1990 : અયોધ્યામાં રામ મંદિરના નિર્માણના હેતુ સાથે અડવાણીએ દેશભરની રથયાત્રા શરૂ કરી. સોમનાથથી તેનો પ્રારંભ કરાયો. 
- નવેમ્બર, 1990 : અડવાણીના રથને બિહારના સમસ્તીપુરમાં અટકાવી દેવાયો.

યુપીમાં ભાજપની સરકાર બન્યા બાદ વિવાદ વકર્યો
- 1991 :  ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર બની. જેના કારણે મોટી સંખ્યામાં મંદિર નિર્માણ માટે કારસેવકો અયોધ્યા પહોંચવા લાગ્યા. 
- 6 ડિસેમ્બર 1992 : વિહિપ, ભાજપ, શિવસેનાના કાર્યકરોએ વિવાદાસ્પદ બાબરી મસ્જિદનું માળખું તોડી પાડ્યું.  
- 16 ડિસેમ્બર, 1992 : તત્કાલીન વડાપ્રધાન નરસિંમહારાવે અયોધ્યા કેસની તપાસ કરવા માટે લિબ્રાહન પંચનું ગઠન કર્યું. 
- 2001 : વિશ્વ હિંદુ પરિષદે ફરીથી મંદિર નિર્માણ માટે પ્રયાસ કર્યો, પરંતુ ખાસ સફળતા ન મળી. 
- 2002 : ગુજરાતના ગોધરામાં એક ટ્રેન પર હુમલો થયો. જેમાં અયોધ્યાથી પરત ફરી રહેલા કારસેવકો સહિત 58 લોકો જીવતાં ભૂંજાઈ ગયાં.  
- જેના કારણે ગુજરાતમાં કોમી તોફાનો ફાટી નીકળ્યા. પોલીસ ગોળીબાર તથા હિંસામાં એક હજારથી વધુ લોકોનાં મોત થયા. 
- દરમિયાન હાઈકોર્ટે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI)ને વિવાદાસ્પદ સ્થળે મંદિર હતું કે નહીં, તે નક્કી કરવાનું કામ સોંપ્યું. 
- એપ્રિલ 2002 : અલાહાબાદ હાઈકોર્ટના ત્રણ જ્જોની બેન્ચે જગ્યાની માલિકી સંબંધે કેસ પર સુનાવણી હાથ ધરી.

મસ્જિદની નીચે મંદિર હતું: ASI
- 2003 :  ASIએ જણાવ્યું કે મંદિરની નીચે હિન્દુ મંદિર હોવાના અવશેષ મળ્યા છે. 
- સપ્ટેમ્બર મહિનામાં કોર્ટે સાત હિન્દુ નેતાઓ પર કેસ ચલાવવાનો આદેશ આપ્યો. 
- એ સમયે અડવાણી નાયબ વડાપ્રધાન હતા, એટલે એમની ઉપર કોઈ આરોપ ન લાગ્યો.

લિબ્રાહન કમિશનના રિપોર્ટમાં ભાજપના નેતાઓ પર આરોપ 
- જૂન 2009 : લિબ્રાહન પંચે તેનો રિપોર્ટ આપ્યો. જેમાં વિવાદાસ્પદ ઈમારતને તોડવા માટે ભાજપના નેતાઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા. આ રિપોર્ટ અંગે સંસદમાં ભારે હોબાળો થયો હતો. 
- 2010 : અલાહાબાદ હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો. જેમાં વિવાદાસ્પદ સ્થળના ત્રણ ભાગ કરવાનું કહ્યું. એક-તૃત્તિયાંશ ભાગ રામલલા વિરાજમાન (હિન્દુ મહાસભા), એક-તૃત્તિયાંશ ભાગ નિર્મોહી અખાડાને આપવાનો આદેશ કર્યો. 
- ડિસેમ્બર મહિનામાં હિન્દુ મહાસભા તથા વક્ફ બોર્ડે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા. 
- મે, 2011 :  સર્વોચ્ચ અદાલતે હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે આપ્યો તથા યથાસ્થિતિ જાળવી રાખવાનો નિર્દેશ આપ્યો.

મોદીના આગમન બાદ મંદિર આંદોલને વેગ પકડ્યો
- 2014 : પૂર્ણ બહુમત સાથે કેન્દ્રમાં મોદીની સરકાર આવી. 
- 2015 : વિહિપે મંદિર આંદોલન માટે સમગ્ર દેશમાંથી પથ્થર એકઠા કરવાની વાત કરી. ડિસેમ્બર મહિનામાં બે ટ્રક ભરીને પથ્થર અયોધ્યા પહોંચ્યા. 
- મહંત નૃત્ય ગોપાલ દાસે દાવો કર્યો હતો કે, મોદી સરકારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લીલીઝંડી દેખાડી દીધી છે. 
- માર્ચ,2017 : સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બાબરી મસ્જિદ તોડી પાડવાના મામલે અડવાણી સહિત અન્ય નેતાઓના નામ હટાવવા ન જોઈએ.

વર્ષ 2018નો ઘટનાક્રમ 
- 8 ફેબ્રુઆરીઃ સુપ્રીમ કોર્ટ દ્વારા નાગિરક અપીલોની સુનાવણી હાથ ધરવામાં આવી. 
- 14 માર્ચઃ સુપ્રીમે સ્વામી સહિતની વચગાળાની અરજીઓને ફગાવી દીધી, જેમાં તેમને એક પક્ષ તરીકે હસ્તક્ષેપ કરવા દેવાની માગ કરાઈ હતી. 
- 6 એપ્રિલ: રાજીવ ધવને સુપ્રીમમાં અરજી કરી કે 1994માં કોર્ટ દ્વારા જે નીરિક્ષણ જાહેર કરાયા હતા તેને ફરીથી સમીક્ષા માટે મોટી બેન્ચને સોંપવામાં આવી. 
- 6 જુલાઈ : ઉત્તરપ્રદેશ સરકારે સુપ્રીમને જણાવ્યું કે, કેટલાક મુસ્લિમ જૂથ 1994ના ચૂકાદાની ફરીથી સમીક્ષા કરવાનું જણાવીને ચૂકાદાને પાછો ઠેલવા માગી રહ્યા છે. 
- 20 જુલાઈઃ સુપ્રીમે પોતાનો ચૂકાદો અનામત રાખ્યો. 
- 19 જુલાઈ : સિનીયર વકીલ કપિલ સિબ્બલે ઉત્તરપ્રદેશ સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડ તરફથી હાજર થતાં સુપ્રીમને આ કેસની સુનાવણી જુલાઈ 2019 બાદ કરવા વિનંતી કરી. તેમણે જણાવ્યું કે, તેનાથી દેશનું ભવિષ્ય નક્કી થવાનું છે. તેની ગંભીર અસરો થવાની છે. આથી ભારતની રાજકીય સ્થિતિને જોતાં કેસની સુનાવણી જુલાઈ, 2019 બાદ હાથ ધરવી જોઈએ.
- 27 જુલાઈ: સુપ્રીમે આ કેસને બંધારણીય બેન્ચને સોંપવાનો ઈનકાર કર્યો અને સુનાવણી માટે ત્રણ ન્યાયાધિશની બેન્ચ બનાવી.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news