ભાજપના ચાણક્યની મોટી ભવિષ્યવાણી, આટલી સીટો જીતીને ત્રીજીવાર PM બનશે નરેન્દ્ર મોદી

ગૃહમંત્રી અમિત શાહે 2024 લોકસભા ચૂંટણીમાં ફરી એકવાર મોદી સરકારની ભવિષ્યવાણી કરી છે. તેમણે જણાવ્યું કે કેટલી સીટો જીતીને નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બનવાના છે. 

ભાજપના ચાણક્યની મોટી ભવિષ્યવાણી, આટલી સીટો જીતીને ત્રીજીવાર PM બનશે નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ Loksabha Election 2024: ગૃહ મંત્રી અમિત શાહે 2024ની લોકસભા ચૂંટણીમાં એકવાર ફરી મોદી સરકારની જીતની ભવિષ્યવાણી કરી છે. અમિત શાહે દાવો કર્યો કે 2024 લોકસભા ચૂંટણીમાં ભાજપ ફરી સત્તામાં આવશે. તેમણે સીટોને લઈને પણ ભવિષ્યવાણી કરી છે. તેમણે જણાવ્યું કે નરેન્દ્ર મોદી કેટલી સીટો જીતીને ફરી પ્રધાનમંત્રી બનવાના છે. 

અસમના ડિબ્રૂગઢમાં એક જનસભાને સંબોધિત કરતા અમિત શાહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પાર્ટી પર નિશાન સાધ્યુ અને કહ્યું કે જલદી દેશમાં તેનો સફાયો થઈ જશે. અસમ રાજ્યના ડિબ્રૂગઢના પ્રવાસ પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ભાજપના પ્રાદેશિક કાર્યાલયની આધારશિલા રાખી હતી. 

તેમણે કહ્યું કે, હું કોંગ્રેસને જણાવવા ઈચ્છીશ કે 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ આસામની 14માંથી 12 સીટ જીતશે. અને મોદી જી 300થી વધુ સીટોની સાથે પૂર્ણ બહુમત મેળવી ત્રીજીવાર પ્રધાનમંત્રી બનશે.

અસમ સરકારની સિદ્ધિઓ ગણાવી
અમિત શાહે મે, 2021માં હિંમત બિસ્વા સરમાના મુખ્યમંત્રીના રૂપમાં કાર્યભાર સંભાળ્યા બાદથી ભાજપના નેતૃત્વવાળી અસમ સરકારની સિદ્ધિઓ અને છેલ્લા બે વર્ષમાં શૂર કરવામાં આવેલી નીતિઓ અને યોજનાઓ પર પ્રકાશ પાડ્યો હતો. અમિત શાહે કહ્યું- હું 2016માં પૂર્વોત્તરમાં ભાજપના વિજય માર્ચ શરૂ કરવા માટે અમસના લોકોનો આભાર માનુ છું. હવે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન અને સહયોગી ક્ષેત્રના દરેક રાજ્યમાં સત્તામાં છે. તો કોંગ્રેસ, પૂર્વોત્તરમાં કેટલાક વર્ષો પહેલા, સૌથી મોટી પાર્ટી રહી, જે હવે સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ ગઈ છે. 

પૂર્વોત્તરમાં સતત છાપ છોડી રહ્યું છે ભાજપ
શાહે યાદ કર્યુ કે કઈ રીતે હાલમાં પૂર્વોત્તરમાં ત્રણ રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ત્રિપુરામાં ભાજપે સતત બીજીવાર સરકાર બાવી. નાગાલેન્ડ અને મેઘાલયમાં સહયોગી દળોની સાથે મળીને સરકાર બનાવી. શાહે સવાલ કર્યો- રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રામાં ભાગ લીધો, પરંતુ ત્રણ પૂર્વોત્તરના રાજ્યોમાં કોંગ્રેસનો સફાયો થઈ ગયો. પરંતુ તે બદલાશે નહીં. રાહુલ વિદેશ જઈને દેશને બદનામ કરે છે. શું કોઈ દેશભક્ત નાગરિક પાસે આ વ્યવહારની અપેક્ષા કરવામાં આવે છે?

રાહુલ ગાંધી હવે બદલાવાનો સમય આવી ગયો- શાહ
શાહે કહ્યુ- રાહુલ હવે તમારે બદલાવાનો સમય આવી ગયો છે. બાકી સમગ્ર દેશમાંથી કોંગ્રેસનો સફાયો થઈ જશે, જેમ પૂર્વોત્તરમાં થયો. પીએમ મોદીએ બહારના ખતરાથી દેશની રક્ષા કરી અને પૂર્વોત્તરમાં શાંતિ લાવી, પરંતુ કોંગ્રેસ તેની કબર ખોદવા ઈચ્છે છે. હું તેને કહી શકુ કે તમે પીએમ મોદીને જેટલી ગાળો આપશો, એટલું કમળ ખિલશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news