અમ્ફાન તોફાનથી બંગાળમાં 72 લોકોના મોત, પીએમ મોદી કરે રાજ્યનો પ્રવાસઃ મુખ્યમંત્રી મમતા બેનર્જી


પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દાવો કર્યો કે, અમ્ફાનથી રાજ્યમાં 72 લોકોના મોત થયા છે. મમતા બેનર્જીએ પ્રધાનમંત્રી પાસે રાજ્યના પ્રવાસ કરવાની માગ કરી છે. 

 અમ્ફાન તોફાનથી બંગાળમાં 72 લોકોના મોત, પીએમ મોદી કરે રાજ્યનો પ્રવાસઃ મુખ્યમંત્રી મમતા બેનર્જી

કોલકત્તાઃ અમ્ફાન તોફાને પશ્ચિમ બંગાળમાં મોટી તબાહી મચાવી છે. 160થી 180 કિલોમીટરની ઝડપે ફુકાયેલા પવને કોલકત્તા એરપોર્ટને પણ નુકસાન પહોંચાડ્યું છે. કોલકત્તાના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. પશ્ચિમ બંગાળમાં આ તોફાનથી કેટલું નુકસાન થયું તેનો અંદાજ તો લગાવવાનો બાકી છે. પરંતુ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, અમ્ફાનથી રાજ્યમાં 72 લોકોના મોત થયા છે. મમતા બેનર્જીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે રાજ્યનો પ્રવાસ કરવાની માગ કરી છે. 

મમતા બેનર્જીએ કહ્યું કે, હજુ સ્થિતિ સારી નથી. હું પીએમ મોદી પાસે માગ કરુ છું કે તે અહીંનો પ્રવાસ કરે. હું પણ હવાઈ સર્વેક્ષણ કરીશ. પરંતુ સ્થિતિ સારી થાય તેની રાહ જોઈ રહી છું. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને રૂપિયા 2 લાખનું વળતર આપવાની પણ જાહેરાત કરી છે. 

સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે, આજે પણ અમારી આવક શૂન્ય છે અને અમારે પડકારોનો સામનો કરવો પડશે. બંગાળમાં 72 લોકોના મૃત્યુ થયા છે. મમતા બેનર્જી પ્રમાણે કોલકત્તામાં 15, હાવડામાં 7, નોર્થ 24 પરગનામાં 17, ઈસ્ટ મિદનાપુરમાં 6, સાઉથ 24 પરગનામાં 18 અને હુગલીમાં બે લોકોના મોત થયા છે. 

બંગાળમાં સૌથી વધુ નુકસાન
મહત્વનું છે કે બુધવારે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં અમ્ફાન તોફાન પહોંચ્યું હતું. 160થી 180 કિમીની ઝડપે આવેલા તોફાને બંગાળ અને ઓડિશામાં નુકસાન કર્યું છે. કોલકત્તાના ઘણા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. 6 કલાક સુધી ચાલેલા ઝડપી પવનોને કારણે કોલકત્તા એરપોર્ટને પણ નુકસાન પહોંચ્યું છે. ચારે બાજી પાણી પાણી જોવા મળી રહ્યું છે. 

અમ્ફાનનો સૌથી વધુ કહેર પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગના, દક્ષિણ 24 પરગના, મિદનાપુર અને કોલકત્તામાં રહ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news