જૂનાગઢઃ બસસ્ટેન્ડ પાસે આવેલા ગેસ્ટહાઉસમાં પ્રેમીપંખીડાએ કર્યો આપઘાત

પ્રાપ્ત વિગત અનુસાર આ યુવક-યુવતી ગત રાત્રે 10 કલાક આસપાસ બાઇક પર ગેસ્ટહાઉસમાં આવ્યા હતા. 

જૂનાગઢઃ બસસ્ટેન્ડ પાસે આવેલા ગેસ્ટહાઉસમાં પ્રેમીપંખીડાએ કર્યો આપઘાત

જૂનાગઃ શહેરના બસસ્ટેન્ડ પાસે આવેલા મુરલીધર ગેસ્ટહાઉસમાં પ્રેમીઓએ દવા ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાની જાણ થતા પોલીસ ગેસ્ટહાઉસ પહોંચી હતી. બંન્ને પ્રેમીપંખીડાનો મૃતદેહ કબજે કરીને પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે મોકલી આપવામાં આવ્યો છે. 

પ્રાપ્ત વિગત અનુસાર આ યુવક-યુવતી ગત રાત્રે 10 કલાક આસપાસ બાઇક પર ગેસ્ટહાઉસમાં આવ્યા હતા. આ બંન્નેએ ત્યાં 21 નંબરનો રૂમ બુક કરાવ્યો હતો. સવારે જ્યારે ગેસ્ટહાઉસના કર્મીએ દરવાજો ખખડાવ્યો પરંતુ અંદરથી કોઈ જવાબ ન મળતા તેણે સંચાલકને જાણ કરી હતી. બાદમાં ગેસ્ટહાઉસ સ્ટાફે દરવાજો તોડ્યો હતો. ત્યાં બંન્ને મૃત હાલતમાં જોવા મળ્યા હતા. ત્યારબાદ આ ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી હતી. 

આ મૃતક યુવતીનું નામ જીલુબેન ડોબરીયા (ઉંમર વર્ષ 17) અને જામનગરમાં રહેતા યુષ્યત અકબરી (ઉંમર વર્ષ 21) હોવાનું સામે આવ્યું છે. જાણવા મળ્યું કે, બંન્નેને સમાજ કે પરિવાર એક નહીં થવા દે તેના ડરથી આત્મહત્યા કરી લીધી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news