ધો.10 બોર્ડમાં ગણિતના બે વિકલ્પ મળ્યા પણ સ્ટાન્ડર્ડ ગણિતમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓનું હવે શું થશે?

શિક્ષણ વિભાગે બેઝિક ગણિત સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓને સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા આપવા દેવા પરિપત્ર જાહેર કર્યો છે, ત્યારે સ્ટાન્ડર્ડ ગણિતમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પણ બેઝિક ગણિતની પરીક્ષા આપવાનો વિકલ્પ આપવો જોઈએ.

ધો.10 બોર્ડમાં ગણિતના બે વિકલ્પ મળ્યા પણ સ્ટાન્ડર્ડ ગણિતમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓનું હવે શું થશે?

અતુલ તિવારી/અમદાવાદ: રાજ્યમાં થોડા દિવસો પહેલાં જ ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ધોરણ 10 માં સ્ટાન્ડર્ડ ગણિતમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને બેઝિક ગણિતની પરીક્ષા આપવા દેવા માંગ કરવામાં આવી છે. 

ધોરણ 10 બોર્ડમાં પ્રથમવાર વિદ્યાર્થીઓને ગણિત વિષયમાં સ્ટાન્ડર્ડ અને બેઝિક એમ બે વિકલ્પ આપવામાં આવ્યા હતા. પહેલીવાર બોર્ડ દ્વારા લેવાયેલી સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષામાં 8 હજારથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે, ત્યારે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલ અને બોર્ડનાં મેમ્બર પ્રિયવદન કોરાટ દ્વારા આ માંગ કરાઈ છે. જે વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ ગણિતમાં નાપાસ થયા છે તેમના હિતને ધ્યાન લઈ પૂરક પરીક્ષામાં વિદ્યાર્થીઓને બેઝિક ગણિતનો વિકલ્પ આપવો જોઈએ. 

શિક્ષણ વિભાગે બેઝિક ગણિત સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓને સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા આપવા દેવા પરિપત્ર જાહેર કર્યો છે, ત્યારે સ્ટાન્ડર્ડ ગણિતમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પણ બેઝિક ગણિતની પરીક્ષા આપવાનો વિકલ્પ આપવો જોઈએ. હાલ બોર્ડની કારોબારી ચાલી રહી છે, તો આ પ્રશ્ન અંગે ચર્ચા કરીને નિરાકરણ આવે એવી અપીલ કરીએ છીએ.

ઉલ્લેખનીય છે કે, ધોરણ 10 બોર્ડની પરીક્ષા 7.50 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી અંદાજે 2.10 લાખ વિદ્યાર્થીઓ ગણિત વિષયમાં નાપાસ થયા છે. જ્યારે 2 લાખ જેટલા વિદ્યાર્થીઓ બેઝિક ગણિત રાખવા છતાં નાપાસ થયા છે. 13 હજાર વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ ગણિતમાં 40 કરતા પણ ઓછા માર્કસ મેળવ્યા છે, તો 2.80 લાખ વિદ્યાર્થીઓએ બેઝિક ગણિતમાં 40 કરતા ઓછા માર્કસ મેળવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news