Gujarat નું પ્રાચીન નામ શું? ઈતિહાસમાં છૂપાયેલા છે અનેક ચોંકાવનારા રહસ્યો

Gujarat Ancient Name: ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્ય ગુજરાત ઉત્તર પૂર્વમાં પાકિસ્તાન અને રાજસ્થાન, પૂર્વમાં મધ્ય પ્રદેસ અને દક્ષિણમાં મહારાષ્ટ્ર તથા કેન્દ્રશાસિત પ્રદેશ દીવ, દમણ, દાદરા અને નગર હવેલીની સાથે સરહદો શેર કરે છે. ગુજરાત અનેક વર્ષો પહેલા ગુર્જરોની ભૂમિ કહેવાતી હતી.

Gujarat નું પ્રાચીન નામ શું? ઈતિહાસમાં છૂપાયેલા છે અનેક ચોંકાવનારા રહસ્યો

Gujarat Ancient Name: ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્ય ગુજરાત ઉત્તર પૂર્વમાં પાકિસ્તાન અને રાજસ્થાન, પૂર્વમાં મધ્ય પ્રદેસ અને દક્ષિણમાં મહારાષ્ટ્ર તથા કેન્દ્રશાસિત પ્રદેશ દીવ, દમણ, દાદરા અને નગર હવેલીની સાથે સરહદો શેર કરે છે. ગુજરાત અનેક વર્ષો પહેલા ગુર્જરોની ભૂમિ કહેવાતી હતી. રાજ્યનું નામ પણ તેના પરથી લેવાયું છે એવું મનાય છે. 700 અને 800ના દાયકા દરમિયાન આ વિસ્તાર પર ગુર્જરોએ શાસન કર્યું હતું. 

ગુજરાતમાં સૌથી પહેલા વસનારા ગુર્જરો હતા જે ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના એક જાતીય સમૂહ હતા. આ કબીલા હૂણ આક્રમણ સમયે ઉત્તરી ભારત અને સૌરાષ્ટ્રમાં જોવા મળ્યા. શરૂઆતના પુરાતત્વિક નિશાન સિંધુ ઘાટી સભ્યતાના સંકેત આપે છે કારણ કે પાષણ યુગની વસ્તીઓ સાથે ઐતિહાસિક અવશેષ ગુજરાતમાં સાબરમતી અને મહી નદીઓની આજુબાજુ મળી આવે છે. તેના મૂળિયા લોથલ, રામપુર, આમરી અને અન્ય સ્થળો પર મળી આવેલા હડપ્પાના નિશાનોમાં પણ છે. 

પ્રાચીન ગુજરાત પર મૌર્ય રાજવંશનું શાસન હતું. સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યએ ગુજરાતમાં અનેક જગ્યાએ વિજય પ્રાપ્ત કર્યો. જ્યારે તેમના પૌત્ર રાજા અશોકે ગુજરાતમાં પોતાનું સામ્રાજ્ય વધાર્યું. પહેલા ત્રણ મોર્યોનું શાસનકાળ મહત્વનું હતું પરંતુ ઈ.સં પૂર્વ 232માં અશોકના મૃત્યુ સાથે મૌર્ય સામ્રાજ્યનો અંત શરૂ થઈ ગયો. જેનાથી રાજનીતિક વિઘટન થયું. મૌર્યોના ઉત્તરાધિકારી શુંગોએ રાજનીતિક એક્તાની ઝલક જાળવી રાખવા માટે અસફળ કોશિશ કરી. 

મૌર્ય સામ્રાજ્યના પતન બાદ, શક કે સિંથિયને 130 ઈસ થી 390 ઈ.સ સુધી આ ક્ષેત્રને નિયંત્રિત કર્યો. રુદ્ર દમન હેઠળ તેમના સામ્રાજ્યમાં માળવા (મધ્ય પ્રદેશમાં), સૌરાષ્ટ્ર, કચ્છ અને રાજસ્થાન સામેલ હતા. 300 અને 400ના દાયકા દરમિયાન આ ક્ષેત્ર ગુપ્ત સામ્રાજ્યનો એક ભાગ બની ગયો. ત્યારબાદ મૈત્રક રાજવંશનો ઉત્તરાધિકારી બન્યો. ધ્રુવસેન મૈત્રકના શાસનકાળ દરમિયાન જ મહાન ચીની યાત્રી અને દાર્શનીક હ્વેન ત્સાંગે 640 ઈ.સમાં ભારતનો પ્રવાસ ખેડ્યો હતો. 

મૌર્ય શક્તિના પતન અને સૌરાષ્ટ્રના ઉજ્જૈનના સંપ્રતિ મૌર્યોને આધીન આવનારા વચ્ચે, ડેમેટ્રિયસના નેતૃત્વમાં ગુજરાતમાં યુનાની આક્રમણ થયું. હિન્દુઓની ત્રણ શાહી જાતિઓ ચાવુરા, સોલંકી અને બધિલાએ ક્રમિક રીતે શાસન કર્યું. 900 ના દાયકા દરમિયાન સોલંકી રાજવંશ સત્તામાં આવ્યો હતો. સોલંકી રાજવંશ હેઠળ ગુજરાત પોતાની સૌથી મોટી સરહદ સુધી પહોંચ્યું. એવું માનવામાં આવે છે કે ગુર્જર આ સોલંકી રાજવંશના હતા કારણ કે પ્રતિહાર, પરમાર અને સોલંકી શાહી ગુર્જર હતા. 

પ્રાચીન ગુજરાતના અંતિમ હિન્દુ શાસક 960 ઈસથી ઈસ 1243 સુધી રાજપૂતોના સોલંકી વંશ હતા. વાઘેલા વંશના કર્ણદેવ ગુજરાતના અંતિમ હિન્દુ શાસક હતા અને તેમને 1297માં દિલ્હીથી અલાઉદ્દીન ખિલજીની સેનાએ હટાવ્યા હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news