રખડતાં ઢોર બાદ હવે કાપીરાજનો ત્રાસ! આ શહેરમાં જતા પહેલા આ કિસ્સો વાંચી લેજો

વડોદરામાં રખડતાં ઢોર બાદ કાપીરાજનો ત્રાસ જોવા મળી રહ્યો છે. પ્રતાપનગર રોડ પર આવેલ સિંધવાઈ માતાના મંદિરમાં કાપીરાજ ઘૂસી ગયા હતા અને પૂજારીને બચકું ભર્યું હતું.

રખડતાં ઢોર બાદ હવે કાપીરાજનો ત્રાસ! આ શહેરમાં જતા પહેલા આ કિસ્સો વાંચી લેજો

રવિ અગ્રવાલ/વડોદરા: સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં ગ્રીન કવર ઘટતા હવે ખોરાકની શોધમાં ફરતા કપિરાજ વિવિધ વિસ્તારોમાં આતંક પણ મચાવી રહ્યા હોવાના બનાવો સપાટી ઉપર આવી રહ્યા છે. પ્રતાપનગર રોડ પર આવેલ સિંધવાઈ માતાના મંદિરમાં ઘૂસી માનસિક સંતુલન ગુમાવીને કાપીરાજે પૂજારીને બચકું ભર્યું હોવાના સમાચાર મળી રહ્યા છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, વડોદરામાં રખડતાં ઢોર બાદ કાપીરાજનો ત્રાસ જોવા મળી રહ્યો છે. પ્રતાપનગર રોડ પર આવેલ સિંધવાઈ માતાના મંદિરમાં કાપીરાજ ઘૂસી ગયા હતા અને પૂજારીને બચકું ભર્યું હતું. કાપીરાજે પૂજારીને પગના ભારે બચકું ભરતા પૂજારી ડઘાઈ ગયા હતા. 

— Zee 24 Kalak (@Zee24Kalak) August 20, 2022

ઉલ્લેખનીય છે કે, સમગ્ર ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. પૂજારી માતાજીની આરતી કરતાં હતા તે સમયે આ સમગ્ર ઘટના બની હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news