GUJARAT CORONA UPDATE: ગુજરાતમાં કોરોનાનો 'ગરબો' ઘેર, આજે નોંધાયા માત્ર નામના કેસ, રિકવરી રેટ વધ્યો

બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 299 એક્ટિવ કેસ છે. જે પૈકી 02 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 297 નાગરિકો સ્ટેબલ છે. જ્યારે 12,12,565 નાગરિકો અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. 

GUJARAT CORONA UPDATE: ગુજરાતમાં કોરોનાનો 'ગરબો' ઘેર, આજે નોંધાયા માત્ર નામના કેસ, રિકવરી રેટ વધ્યો

ગાંધીનગર: ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. આજે કોરોનાના માત્ર 16 નવા કેસ આવ્યા હતા. તો બીજી તરફ 25 દર્દીઓ રિકવર પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,12,565 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.08 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 1,89,649 નાગરિકોનું રસીકરણ થયું છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) March 23, 2022

બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 299 એક્ટિવ કેસ છે. જે પૈકી 02 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 297 નાગરિકો સ્ટેબલ છે. જ્યારે 12,12,565 નાગરિકો અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 10,942 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે.  આજે રાજ્યમાં કોરોના કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશન 4, રાજકોટ કોર્પોરેશન 2, વડોદરા 2 એમ કુલ 16 કેસ નોંધાયા છે. 

શાળામાં વિદ્યાર્થીઓની 100% હાજરી મુદ્દે સરકારે જોખમ ન લેવું જોઈએ, વાલીઓ પર નિર્ણય છોડો..

રસીકરણના મોરચે સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 18 વર્ષથી વધારેની ઉંમરના 2561 ને રસીનો પ્રથમ અને 22182 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 2654 ને રસીનો પ્રથમ અને 11114 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ ઉપરાંત 13239 ને પ્રિકોર્શ ડોઝ અને 12-14 વર્ષના તરૂણો પૈકી 137899 ને રસીનો પ્રથમ ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ 1,89,649 રસીના ડોઝ આજના દિવસમાં અને અત્યાર સુધીમાં કુલ 10,50,83,628 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news