CAAને સમર્થન આપતું બિલ વિધાનસભામાં બહુમતીથી પસાર, ગુજરાત બન્યું દેશનું પ્રથમ રાજ્ય

આજે (10 જાન્યુઆરી)એ ગુજરાત વિધાનસભામાં એક દિવસીય સત્ર મળ્યું હતું. જેમાં ભાજપ સરકાર કેન્દ્ર સરકારે પારિત કરેલા સીએએના કાયદાને સમર્થન આપતો પ્રસ્તાવ લાવ્યા હતા. 

CAAને સમર્થન આપતું બિલ વિધાનસભામાં બહુમતીથી પસાર, ગુજરાત બન્યું દેશનું પ્રથમ રાજ્ય

હિતલ પારેખ/ગાંધીનગર : આજે (10 જાન્યુઆરી)એ ગુજરાત વિધાનસભામાં એક દિવસીય સત્ર મળ્યું હતું. જેમાં ભાજપ સરકાર કેન્દ્ર સરકારે પારિત કરેલા સીએએના કાયદાને સમર્થન આપતો પ્રસ્તાવ લાવ્યા હતા. આ સત્ર દરમિયાન કોંગ્રેસ ગુજરાતમાં બાળકોના મોત અને ABVP-NSUIના ઘર્ષણ મુદ્દે આક્રમક વલણ અપનાવી કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવાનો પ્રયાસ અને વોકાઆઉટ કરવામાં આવ્યું હતું. જેના કારણે એક દિવસીય સત્ર તોફાની બન્યું હતું. જો કે વિપક્ષનાં તમામ ધમપછાડા છતા પણ આખરે રૂપાણી સરકાર દ્વારા સીએએનાં કાયદાને સમર્થન આપતું બિલ આખરે બહુમતીથી વિધાનસભામાં પાસ થઇ ગયું હતું. 

નાગરિક સંશોધન કાયદો ના સમર્થન આપતો પ્રસ્તાવ અને અભિવાદન કરતો પ્રસ્તાવ બહુમતીથી પસાર કરવામાં આવ્યો હતો. આ સાથે જ ગૃહની આજની કાર્યવાહી પુર્ણ જાહેર કરવામાં આવી હતી. હવે પછી 24 ફેબ્રુઆરીએ બજેટ સત્રની શરૂઆત સાથે ગૃહની કાર્યવાહી ચાલુ થશે. અત્રે ઉલ્લેખનીય છે, સીએએના સમર્થનમાં બિલ પાસ કરનારું ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્ય બન્યું છે. 

વિધાનસભા સત્ર અંતર્ગત કામકાજ સલાહકાર સમિતિની એક બેઠક મળી હતી. બેઠકમાં વિપક્ષ દ્વારા પ્રજાના વિવિધ પ્રશ્નો પર વધુ ચર્ચા કરવા માટે અધ્યક્ષ સમક્ષ વિધાનસભાનું સત્ર લંબાવવાની વાત કરવામાં આવી હતી. જોકે શાસક પક્ષે દર વખતની જેમ આ વખતે પણ વિપક્ષની માગનો અસ્વીકાર કર્યો હતો. આ સંજોગોમાં કોંગ્રેસના નેતાએ કહ્યું કે જો સરકાર સત્રના દિવસોમાં વધારો કરે તો પ્રજાહિતના પ્રશ્નોની ચર્ચા કરી શકાય. સામા પક્ષે વિપક્ષે ગૃહમાં નવજાત શિશુના મોત મુદ્દે પણ ચર્ચાની માગ કરી હતી, પરંતુ શાસક પક્ષે આ માગને પણ ફગાવી દીધી છે.

આ પછી 24 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનુ બજેટ સત્ર મળશે. રાજ્યના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ વર્ષ 2019-20નું ખર્ચનુ પુરકપત્ર અને વર્ષ 2020-21નુ અંદાજપત્ર રજૂ કરશે. તા.31મી માર્ચે વિધાનસભાનુ બજેટસત્રનુ સમાપન થશે. 25 દિવસીય બજેટ સત્રમાં કુલ મળીને 27 બેઠકો મળશે. રાજ્યપાલના સંબોધન પરના આભાર પ્રસ્તાવની ચર્ચા માટે ત્રણ બેઠકો ફાળવાઇ છે.પુરક માંગણીઓ પરની ચર્ચા અને મતદાન માટે બે બેઠકો,અદાજપત્રની સામાન્ય ચર્ચા માટે ચાર બેઠકો અને વિભાગવાર માંગણીઓ પર ચર્ચા અને મતદાન માટે 12 બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. આમ, કુલ 25 દિવસ સુધી બજેટ સત્ર ચાલશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news