BJPના નારાજ ધારાસભ્યે MGVCLના ભટ્ટ જેવા અધિકારીઓને સીધા કરી પગલાં લેવાની કરી માગણી

સાવલી (Savli)નાં ધારાસભ્ય કેતન ઇનામદારે (Ketan Inamdar) બુધવારે રાજીનામુ આપી દેતા ગુજરાત ભાજપ (BJP) માં રાજકીય ભૂકંપ આવી ગયો છે. તેમને મનાવવાના પ્રયત્નો ચાલી રહ્યાં છે. કેતન ઈનામદાર બપોરે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી (Jitu Vaghani) ને સાવલીના ભાદરવા ગામે મળશે જો કે આ મુલાકાતના સ્થાન અંગે પણ હજુ સસ્પેન્સ ચાલી રહ્યું છે. આ સમગ્ર મામલે કેતન ઈનામદારે મોટું નિવેદન આપતા એમ પણ  કહ્યું કે અત્યારે હું રાજીનામું આપ્યા બાદ ધારાસભ્ય નથી. એમજીવીસીએલના એમડી ભટ્ટ (ટી.વાય. ભટ્ટ) સામે પગલાં ભરો. એમજીવીસીએલના એમડીએ જનપ્રતિનિધિનું અપમાન કર્યું છે. 

BJPના નારાજ ધારાસભ્યે MGVCLના ભટ્ટ જેવા અધિકારીઓને સીધા કરી પગલાં લેવાની કરી માગણી

રવિ અગ્રવાલ, વડોદરા: સાવલી (Savli)નાં ધારાસભ્ય કેતન ઇનામદારે (Ketan Inamdar) બુધવારે રાજીનામુ આપી દેતા ગુજરાત ભાજપ (BJP) માં રાજકીય ભૂકંપ આવી ગયો છે. તેમને મનાવવાના પ્રયત્નો ચાલી રહ્યાં છે. કેતન ઈનામદાર બપોરે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી (Jitu Vaghani) ને સાવલીના ભાદરવા ગામે મળશે જો કે આ મુલાકાતના સ્થાન અંગે પણ હજુ સસ્પેન્સ ચાલી રહ્યું છે. આ સમગ્ર મામલે કેતન ઈનામદારે મોટું નિવેદન આપતા એમ પણ  કહ્યું કે અત્યારે હું રાજીનામું આપ્યા બાદ ધારાસભ્ય નથી. એમજીવીસીએલના એમડી ભટ્ટ (ટી.વાય. ભટ્ટ) સામે પગલાં ભરો. એમજીવીસીએલના એમડીએ જનપ્રતિનિધિનું અપમાન કર્યું છે. 

અત્રે જણાવવાનું કે આ અગાઉ કેતન ઇનામદારે Zee 24 kalak સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમનાં વિકાસનાં કામો નહી થતા હોવાનાં કારણે તેમણે રાજીનામું આપ્યું હતું. સરકારી તંત્ર અને વહીવટી તંત્ર સામે તેમણએ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, તેઓએ ઉપર સુધી રજુઆતો કરવા છતાં પણ તેમનાં વિસ્તારમાં વિકાસ કાર્યો નહોતા થતા. આ ઉપરાંત તેમણે વહીવટ તંત્ર સામે પણ પોતાનો રોષ ઠાલવ્યો હતો. જો કે Zee 24 Kalak સાથેની વાતચીતમાં સૌરભ પટેલે અનેક મહત્વના ખુલાસા કરતા રાજીનામાનું સાચું કારણ પણ સામે આવ્યું છે. 

રાજીનામાનું સાચું કારણ
સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે એકાએક રાજીનામું ધરી દેતા રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો છે. ભાજપ હાઈકમાન્ડ હવે કેતન ઈનામદારને મનાવવા આકાશ પાતાળ એક કરી રહ્યા છે ત્યારે zee ૨૪ kalakએ એ સત્ય શોધી કાઢ્યું કે આખરે રાજીનામું આપવા પાછળ સાચું કારણ શું છે? ખાસ કરીને સાવલી નગરપાલિકાનું લાઈટ કનેક્શન કપાઈ જતા તેને ફરી શરુ કરવા ઉર્જા મંત્રી સૌરભ પટેલ સાથે કેતન ઇનામદારે વાત કરી હતી અને સૌરભ પટેલે નિયમ બતાવ્યા હતા. આખરે બંને વચ્ચે શું વાતચીત થઇ હતી અને રાજીનામાં સુધીની નોબત કેમ આવી તેની આખી વિગતો આ પ્રમાણે છે. 

કેતન ઈનામદાર: મેં મંત્રી સૌરભ પટેલ જોડે સાવલી નગર પાલિકાની લાઈટ બીલ અંગે વાત કરી હતી.
સૌરભ પટેલ: બે દિવસ પહેલા કેતન ઈનામદારનો ફોન આવ્યો હતો સાવલી પાલિકાની લાઈટ મુદ્દે.

કેતન ઈનામદાર: મેં નગરપાલિકાની લાઈટ ફરી શરુ કરવા સૌરભભાઈને રજૂઆત કરી હતી 
સૌરભ પટેલ: બીલ 50 થી 60 લાખ જેટલું હતું એટલે મેં ભરવા કહ્યું હતું.

કેતન ઇનામદાર: મેં નિયમ મુજબ 10% રકમ ભરવાની તૈયારી બતાવી હતી 
સૌરભ પટેલ: મેં ચીફ ઓફિસરને બીલ લઈને આવવા કહ્યું હતું 

કેતન ઈનામદાર: પાલિકા અગર બાકી નીકળતી રકમના 10% રકમ ભારે to કનેક્શન ફરી શરુ કરી શકાય 
સૌરભ પટેલ: રકમ મોટી હતી એટલે નિયમ મુજબ કાર્યવાહી કરવા અમે તૈયાર હતા 

જુઓ LIVE TV

કેતન ઇનામદારના રાજીનામાં મુદ્દે આ મુખ્ય કારણ હતું અને આના લીધે જ કેતન ઇનામદારે રાજીનામું ધરી દીધું હતું, જોકે બાદમાં સમગ્ર સાવલીના પ્રશ્નોને આગળ ધરીને પોતે રાજીનામું આપ્યાની વાત કરી હતી.  

કેતન ઇનામદારનો પક્ષને પત્ર
કેતન ઇનામદારે પોતે લખેલા પત્રમાં વસવસો વ્યક્ત કરતા જણાવ્યું કે, હું જે જનતાનો પ્રતિનિધિ છું તેનાં જ કામો નથી થઇ રહ્યા. મારી વારંવાર રજુઆતો કરવામાં આવી હોવા છતા પણ તેમની અવગણના થઇ રહી હોવાનું તેમણે રટણ કર્યું હતું. આ ઉપરાંત અધિકારીઓ પણ તેમની અવગણનાં કરતા હોવાનો વસવસો ઠાલવ્યો હતો. હાલ તો તેમનાં રાજીનામાને પગલે સમગ્ર ભાજપ અને ગુજરાતનું રાજકારણ ગરમાઇ ચુક્યું છે. તેમને મનાવવા માટે ભાજપનાં ઉચ્ચ કક્ષાનાં નેતાઓને તેમનાં સાવલી ખાતેનાં નિવાસ સ્થાને દોડાવવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news