Surat: વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતાં સ્કૂલ બંધ, મનપાએ ફટકારી નોટીસ, વાલીઓ ડરમાં

કોરોનાના કેસમાં ઘટાડો થતાં સરકારે નિયંત્રણોમાં છૂટછાટ આપી હતી. પરંતુ હવે ધીમે ધીમે કેસ વધી રહ્યા છે તો બીજી તરફ કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોને (Omicron) બિલ્લી પગે ગુજરાતમાં પગપેસારો કરી દીધો છે. ગતકાલે સુરત (Surat) કોર્પોરેશનમાંથી 7 કેસ નોંધાયા છે. જેથી આંકડો વધી 1,44,086 પર પહોંચી ગયો છે.

Surat: વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતાં સ્કૂલ બંધ, મનપાએ ફટકારી નોટીસ, વાલીઓ ડરમાં

ચેતન પટેલ, સુરત: કોરોનાના કેસમાં ઘટાડો થતાં સરકારે નિયંત્રણોમાં છૂટછાટ આપી હતી. પરંતુ હવે ધીમે ધીમે કેસ વધી રહ્યા છે તો બીજી તરફ કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોને બિલ્લી પગે ગુજરાતમાં પગપેસારો કરી દીધો છે. ગતકાલે સુરત કોર્પોરેશનમાંથી 7 કેસ નોંધાયા છે. જેથી આંકડો વધી 1,44,086 પર પહોંચી ગયો છે. નવા નોંધાયેલા કેસમાં બે વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. 

સુરતના અડજાણ પાલમાં આવેલી રિવરડેલ સ્કૂલમાં વિદ્યાર્થી કોરોના (Corona) પોઝિટિવ આવતાં સ્કૂલને બંધ કરવામાં આવી છે. ચાર દિવસ પહેલાં એક વિદ્યાર્થીની કોરોના આવી હતી, જે અંગે વાલીએ સ્કૂલમાં જાણકારી આપી ન હતી. વિદ્યાર્થીઓમાં કોરોના કેસ વધતાં આજે પાલિકા દ્રારા સ્કૂલ બંધ કરવા જણાવાયું છે. 7 દિવસ માટે સ્કૂલ બંધ રાખવા માટે પાલિકા હવે નોટીસ આપશે. 

રિવર ડેલ શાળાની એક વિદ્યાર્થિની છેલ્લા કેટલાક દિવસથી શાળામાં ગેરહાજર હતી.તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આજે સવારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ધોરણ-11 અને 12ના સાયન્સના વિદ્યાર્થીઓનું રેપિડ ટેસ્ટ અને RTPCR ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં ત્રણ જેટલા વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર સફાળું જાગી ગયું છે. ત્રણ જેટલા વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળી આવતાં વિદ્યાર્થીઓ શિક્ષક બેડામાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. 

24 કલાકમાં નોંધાયા આટલા કેસ
અત્રે ઉલ્લેખનીય છે કે ગત 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 61 નવા કેસ નોંધાતા ચકચાર મચી ગઇ છે. તો બીજી તરફ 39 દર્દી રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,339 અત્યાર સુધીમાં કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચી ચુક્યો છે.

જાણો ક્યાં નોંધાયા કેટલા કેસ
હાલ રાજ્યમાં કુલ 372 એક્ટિવ કેસ છે. જે પૈકી 09 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 363 નાગરિકો સ્ટેબલ છે. બીજી તરફ 8,17,339 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10095 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતની વાત છે કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. અમદાવાદ કોર્પોરેશનમાં 25, સુરત કોર્પોરેશન 7, ભાવનગર કોર્પોરેશન 6, વડોદરા કોર્પોરેશન 5, વલસાડ 4, જામનગર કોર્પોરેશન 3, ખેડા-નવસારીમાં 2-2 કેસ નોંધાયા, અમદાવાદ, આણંદ, ગાંધીનગર, જુનાગઢ, કચ્છ, રાજકોટ અને વડોદરામાં 1-1 કેસ નોંધાયા છે. આ પ્રકારે કુલ 61 કેસ નોંધાયા છે.

રસીકરણ મોરચે મજબૂતી
રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 21 ને રસીનો પ્રથમ, 1092 વર્કરને રસીનો બીજો ડોઝ, 45 વર્ષથી વધારે ઉંમરના 12335 નાગરિકોને રસીનો પ્રથમ, 87763 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 40345 નાગરિકોને રસીનો પ્રથમ, 241184 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 3,82,740 રસીના ડોઝ જ્યારે કુલ 8,35,26,458 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news