સુરતી એન્જીનિયરની કમાલ, દરિયાના ખારા પાણીને બનાવ્યું અમૃત જેવું મીઠું

આ પ્લાન્ટને ટૂંક સમયમાં સુરતના કાંઠા વિસ્તાર હજીરામાં વિકસાવવામાં આવશે. જેથી દરિયાકાંઠે રહેતી મહિલાઓને મીઠા પાણી માટે અનેક કિલોમીટર દૂર જવાની નોબત આવશે નહીં. દેશનો આ પહેલો સોલાર પ્લાન્ટ છે.

સુરતી એન્જીનિયરની કમાલ, દરિયાના ખારા પાણીને બનાવ્યું અમૃત જેવું મીઠું

ચેતન પટેલ, સુરત:  સંપૂર્ણ પણે સોલાર સિસ્ટમથી દરિયાના ખારા પાણીને મીઠું કરવાનો પ્લાન્ટ સુરતના ચાર એન્જીનિયર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટને ટૂંક સમયમાં સુરતના કાંઠા વિસ્તાર હજીરામાં વિકસાવવામાં આવશે. જેથી દરિયાકાંઠે રહેતી મહિલાઓને મીઠા પાણી માટે અનેક કિલોમીટર દૂર જવાની નોબત આવશે નહીં. દેશનો આ પહેલો સોલાર પ્લાન્ટ છે. જેના થકી ખારા પાણીમાંથી મીઠા થયેલા પાણીને WHO પ્રમાણે ગુણવત્તા ધરાવતા મિનરલ વોટરની શ્રેણી મળી છે.

સુરતના ચાર એન્જિનિયર દ્વારા એક એવો પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે જે સંપૂર્ણ રીતે સોલાર સિસ્ટમથી ચાલે છે. આ પ્લાન્ટ થકી શરૂઆતમાં 1500 લિટર જેટલું મિનરલયુક્ત પાણી દરિયાના ખારા પાણીથી તબદીલ થઇ લોકોને મળી રહેશે. સુરતના યશ તરવાડી,ભૂષણ પર્વતે, જાહ્નવી રાણા અને નિલેશ શાહે આ કમાલ કરી બતાવી છે. આવનારા વર્ષોમાં પાણીની અછત જો ભારતમાં સર્જાય તો વિકલ્પ રૂપે કેવી રીતે આ સમસ્યાને દૂર કરી શકાય આ વિચારથી આ ચારેય એન્જીનિયરો દ્વારા આ પ્લાન્ટ તૈયાર કરાયો છે. 

ભારત મોટાભાગે દરિયાઈ કાંઠા વિસ્તારથી ઘેરાયેલો દેશ છે ત્યારે દરિયાના પાણીનો ઉપયોગ કેવી રીતે પાણીની અછતની સમસ્યાને દૂર કરવા માટે કરી શકાય ઉદ્દેશથી આ ચારેય એન્જીનિયર દ્વારા સંપૂર્ણ રીતે સોલાર સિસ્ટમથી ચાલતો પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. યશ તરવાડીએ જણાવ્યું હતું કે,અમે  સમુદ્રના ખારા પાણી ને મીઠા પાણીમાં રૂપાંતર કરે તેવો સોલાર થર્મલ ડી સેલીટાઇઝેશન પ્લાન્ટ બનાવ્યો છે. 

આ પ્લાન્ટની મદદથી દરિયાકાંઠાના કોઈપણ વિસ્તારમાં રહેતા લોકોને મળતા ખારા પાણીને રૂપાંતરિત કરી મીઠુ પાણી આપી શકાય છે. નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે 2030 સુધીમાં ભારતના 40 ટકા લોકોને પાણી મળશે નહીં. વર્ષ 2040 સુધી સંપૂર્ણ ભારતમાં નદીનું પાણી પૂરૂ થઈ જશે જેનું મુખ્ય કારણ વસ્તીનો વધારો છે. વિશ્વના અન્ય દેશોમાં હાલ જ પાણીની અછત સર્જાઈ છે. 

ખાસ કરીને દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં આ સ્થિતિ જોવા મળી છે. ત્યાં ડેમમાં પાણી નથી લોકોને આપવા માટે.. આવી કટોકટી ભારતમાં ન સર્જાય એ આ હેતુસર આ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. હાલ આ પ્રોડક્શન 16 લીટર સુધીનું છે. જે આવનાર દિવસોમાં 1500 લિટર સુધી વધારવાની તૈયારી કરી લેવામાં આવી છે. હજીરા ખાતે આ પાઇલટ પ્રોજેક્ટ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. 

હજીરા ખાતે આ પ્લાન્ટ વિકસાવવામાં આવશે જેથી દરિયા કાંઠે રહેતા લોકોને સસ્તા દરે મીઠુ પાણી મળી શકે અને મહિલાઓને દૂર સુધી પાણીના અછતને લઈ જવું ન પડે. સૌથી અગત્યની વાત આ છે કે ખારા પાણીને મીઠુ કરવા માટે જે પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે ભારતનો પહેલો પ્લાન્ટ છે જે સંપૂર્ણ પણે સોલારથી ચાલે છે. જેને વિજળીની જરૂરીયાત પડશે નહીં.

સોલાર પ્લાન્ટથી જે પાણી ખારા થી મીઠુ થાય છે તેને મિનરલાઈઝ કરવામાં આવે છે. આરઓ સિસ્ટમ જે ઘરમાં વાપરવામાં આવે છે તેમાં મિનરલ હોતા નથી . જે લાંબા ગાળે જઈ સ્વાસ્થ્ય માટે લાભકારી પણ થતું નથી. આ સોલાર પ્લાન્ટ માંથી જે પણ પાણી મળશે તે મિનરલયુક્ત રહેશે. તેમાં કોપરની ગુણવત્તા મળશે જે સ્વાસ્થ્ય માટે સારી છે અને પાણીજન્ય રોગોથી પણ બચાવી શકે છે.

આ સ્ટાર્ટઅપને યુનાઇટેડ નેશન દ્વારા આયોજિત યુથ કોલેબ અને નીતિ આયોગ અને અટલ ઇનોવેશન મિશનમાં ટોપ 12 ટીમમાં સિલેક્ટ કરવામાં આવ્યા છે.ખારા પાણીને કન્ટેનર એટલે કે રીસીવરમાં લેવામાં આવે છે. આ પ્લાન્ટમાં સોલાર કોન્સન્ટ્રેટર નામનું ડિવાઇસ છે. જે સોલાર થી ચાલે છે આ ડિવાઇસ સૂર્યના કિરણોને સિંગલ વોકલ પર  કેન્દ્રિત કરે છે.

જેનાથી ખારા પાણીમાંથી મીઠું અલગ થઈ જાય છે. મીઠું અને અન્ય પાર્ટ રીસીવર માં રહી જાય છે.. માત્ર સ્ટીમ આગળ વધે છે. સ્ટીમને હિટ એક્સચેન્જર નામના ડીવાઇસ દ્વારા વાયુ માંથી પ્રવાહી સ્વરૂપમાં લાવવમાં આવે છે. મહત્વની વાત આ છે કે આ પાણી દરેક પ્રકારના મિનરલયુક્ત છે અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ગુણવત્તામાં ખરું ઉતર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news