સુરત: સીટી બસની ટક્કરે 13 વર્ષીય સગીરનું મોત, રોષે ભરાયેલા સ્થાનિકોએ કર્યો પથ્થરમારો

સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં સીટી બસે સર્જેલા અકસ્માતમાં 13 વર્ષના સગીરનું મોત થયું છે. અકસ્માતમાં 13 વર્ષના મેહુલ રબારી નામના સગીરનું મોત થતા સ્થાનિક રબારી સમાજ દ્વારા રોષે ભરાઇને બસ પર પથ્થરમારો કર્યો હતો. ઘટનાની જાણ થતા રાંદેર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. 

સુરત: સીટી બસની ટક્કરે 13 વર્ષીય સગીરનું મોત, રોષે ભરાયેલા સ્થાનિકોએ કર્યો પથ્થરમારો

ચેતન પટેલ/સુરત: સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં સીટી બસે સર્જેલા અકસ્માતમાં 13 વર્ષના સગીરનું મોત થયું છે. અકસ્માતમાં 13 વર્ષના મેહુલ રબારી નામના સગીરનું મોત થતા સ્થાનિક રબારી સમાજ દ્વારા રોષે ભરાઇને બસ પર પથ્થરમારો કર્યો હતો. ઘટનાની જાણ થતા રાંદેર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. 

સુરતના પાલનપુર જકાતનાકાની ઉગત તકફ જતા રસ્તામાં સીટી બસની અડફેટે 13 વર્ષીય સગીરનું મોત થયું હતું. અકસ્માત થતા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો દ્વારા બસ પર પથ્થરમારો કરતા મામલો બિચક્યો હતો અને મોટી સંખ્યામાં લોકોના ટોળાએ બસનો ઘેરાવો કરતા બસનો ડ્રાઇવર ઘટના સ્થળેથી ફરાર થયો હતો.

કૃષ્ણ જન્મોત્સવ: દ્વારકાધીશને ભક્તે 1 કિલો 930 ગ્રામની ‘ચાંદીની ધજા’ કરી અર્પણ

સુરતની સીટી બસ દ્વારા અવાર-નવાર અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે ફરી એકવાર અકસ્માત સર્જાતા મોટી પાલનપુર વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોમાં રોષ વ્યાપ્યો હતો. અકસ્માતમાં ઘટના સ્થળે જ  13 વર્ષીય સગીરનું મોત થતા પરિવારમાં તંત્ર અને સીટીબસ પર આક્રંદ વ્યક્તિ કર્યો હતો.

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news