સુરત બાદ પોરબંદરમાં લવ જેહાદનો કિસ્સો; બાળકનું અપહરણ કરી વિધર્મીએ બહેન સાથે માણ્યું શરીરસુખ

દેશમાં અને ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી લવ જેહાદના કિસ્સાઓ વધી રહયા છે. પોરબંદરમા પણ એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. પોરબંદરના કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં સગીરાના પિતાએ અંદાજે એક માસ પૂર્વે એવી ફરિયાદ નોંધાવવામાં આવી હતી..

સુરત બાદ પોરબંદરમાં લવ જેહાદનો કિસ્સો; બાળકનું અપહરણ કરી વિધર્મીએ બહેન સાથે માણ્યું શરીરસુખ

અજય શીલુ/પોરબંદર: થોડા દિવસો પૂર્વે પોરબંદરના ઇશ્વરીયા ગામે કથિત લવ જેહાદ મામલે બાળકનું વિધર્મી આરોપી દ્વારા અપહરણ કરી બાળકની બહેન સાથે જબરદસ્તી સંબંધ રાખવા માંગતો હતો. તે ઘટનાએ ભારે ચકચાર મચાવી હતી. ત્યાં પોરબંદરમાં ફરી લવ જેહાદને લગતી ઘટના સામે આવી છે. પોરબંદની એક સગીરાનું અપહરણ કરી વિધર્મી પરણિત આરોપી દ્વારા એક માસ સુધી અમદાવાદ પોતાના ઘરે રાખી શારીરિક સંબંધો સહિતનુ ક્રુત્ય કરવામાં આવતા પોલીસે સગીરા તથા આરોપીને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

દેશમાં અને ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી લવ જેહાદના કિસ્સાઓ વધી રહયા છે. પોરબંદરમા પણ એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. પોરબંદરના કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં સગીરાના પિતાએ અંદાજે એક માસ પૂર્વે એવી ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, તેની સગીર વયની પુત્રીનુ અપહરણ થયું છે. આ ફરિયાદને ધ્યાને લઈ પોરબંદર જિલ્લા પોલીસ વડા દ્વારા એલસીબી તથા એસઓજી તથા કીર્તિમંદિર પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમ બનાવી સગીરા અને અપહરણ કરનાર આરોપીને શોધી કાઢવા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. શોધખોળ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, 17 વર્ષિય આ સગીરા અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા અને રીક્ષા ચલાવતા શખ્સ આફતાબ મહમદ અંસારીના ઘરે હોવાનું જાણકારી મળતાં સગીરા અને આરોપી આફતાબને પોરબંદર લાવવામાં આવ્યા હતા.

આરોપી આફતાબ મહમદ અંસારી દ્વારા આ સગીરાને એક માસ જેટલો સમય પોતાના ઘરે રાખી હતી. આરોપી આફતાબ પોતે પરણિત હોવા છતાં સગીરા સાથે સંબંધ બનાવી તેની સાથે શારીરિક સંબંધો પણ બાંધ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા આરોપીના મેડીકલ રીપોર્ટ કરવા સહિતની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. સાથે જ આરોપીને અન્ય કોઈ લોકોએ મદદગારી કરી છે કે તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

17 વર્ષની સગીરાનુ અપહણ કરી તેની સાથે શારીરિક સંબંધ બાંધવા સહિતની કલમો હેઠળ હાલ તો આરોપી વિરુદ્ધ કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પરંતુ આ સમગ્ર મામલામાં લવ જેહાદ ષડયંત્ર અંતર્ગત બન્યો છે કે કેમ તેમજ સગીરાને આરોપી દ્વારા પોતે પરણિત છે તેમજ તેના ધર્મ સહિતની તેની સાચી ઓળખ આપવામાં આવી હતી કે કેમ તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તો લવ જેહાદના તાર પર બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય નહીં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news