Sumul Dairy Controversy માં માનસિંગ પટેલ માટે 'હાથે કરેલા હૈયે વાગ્યા જેવો ઘાટ', તપાસનો રેલો સુરત પહોંચ્યો, ખુલાસો માંગ્યો

સુમુલ ડેરીના ચેરમેન માનસિંગ પટેલ દ્વારા ફક્ત સુરત જ નહીં, પરંતુ દક્ષિણ ગુજરાતના 2.5 લાખ પશુપાલકોની જીવાદોરી સમાન સુમુલ ડેરીના નિયામકોની ચૂંટણી સમયે પૂર્વ સુમુલના પ્રમુખ અને હાલ ઉપપ્રમુખ રાજુ પાઠક પર કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો.

Sumul Dairy Controversy માં માનસિંગ પટેલ માટે 'હાથે કરેલા હૈયે વાગ્યા જેવો ઘાટ', તપાસનો રેલો સુરત પહોંચ્યો, ખુલાસો માંગ્યો

ચેતન પટેલ/સુરત: સુમુલ ડેરીના ચેરમેન માનસિંગ પટેલ દ્વારા સુમુલના નિયામકોની ચૂંટણી સમયે તત્કાલીન પ્રમુખ રાજુ પાઠક પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જોકે, આરોપ પર કોઈ તપાસ ન થતા હવે સહકારી આગેવાન દર્શન નાયકે આ અંગે તપાસની માગણી કરી હતી. આ વિવાદ દિલ્હી અને ગાંધીનગર સુધી પહોંચ્યો હતો. હવે આ દિશામાં એક નવો ફણગો ફૂટ્યો છે. માનસિંગ પટેલે દિલ્લીમાં પ્રધાનમંત્રીને લેખિતમાં કરેલી ફરિયાદનો રેલો તપાસ સ્વરૂપે સુરત પાછો આવ્યો છે.

9 જૂન 2020 ના રોજ સુમુલ ડેરીના ચેરમેન માનસિંગ પટેલ દ્વારા રાજુ પાઠક પર ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ લગાવતા પ્રધાનમંત્રીને લેખિતમાં ફરિયાદ કરી હતી. દોઢ વર્ષ બાદ પ્રધાનમંત્રી કાર્યાલયથી સહકાર વિભાગને ફરિયાદ બાબતે તપાસ કરવા આદેશ અપાયો છે. આદેશ દિલ્લીથી ગાંધીનગર, અને ગાંધીનગરથી સુરત જિલ્લા રજિસ્ટારને સોંપવામાં આવી છે. જિલ્લા રજિસ્ટારે સુમુલ પાસે ખુલાસો માંગ્યો છે. માનસિંગ પટેલ માટે હાથે કરેલા હૈયે વાગ્યા જેવો ઘાટ સર્જાયો છે. હાલ તેઓ સુમુલના ચેરમેન છે અને તેમની નિગરાનીમાં જ તપાસ કરી રિપોર્ટ આપવાનો છે.

પુરુષ વેશ્યા તરીકે યુવકને નોકરીની ઓફર કરીને સ્વરૂપવાન યુવતીએ નગ્ન વીડિયો મંગાવ્યો અને પછી...

સુમુલ ડેરીના ચેરમેન માનસિંગ પટેલ દ્વારા ફક્ત સુરત જ નહીં, પરંતુ દક્ષિણ ગુજરાતના 2.5 લાખ પશુપાલકોની જીવાદોરી સમાન સુમુલ ડેરીના નિયામકોની ચૂંટણી સમયે પૂર્વ સુમુલના પ્રમુખ અને હાલ ઉપપ્રમુખ રાજુ પાઠક પર કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. જોકે, ચૂંટણી પૂર્ણ થયા બાદ આ આરોપોની કોઈ તપાસ કરવામાં ન આવતા સુરત જિલ્લા પંચાયતના પૂર્વ વિરોધ પક્ષના નેતા અને સહકારી આગેવાન દર્શન નાયક દ્વારા રાષ્ટ્પતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમ જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને આ મામલે તટસ્થ તપાસની માંગ કરી હતી.

સમગ્ર મામલો શું હતો?
ભાજપના પૂર્વ સાંસદ અને હાલ વર્તમાન સુમુલના ચેરમેન માનસિંગ પટેલ દ્વારા સુમુલ ડેરીના નિયામકોની ચૂંટણી વખતે 9 જૂન 2020એ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવ્યો હતો, જેમાં તત્કાલીન ચેરમેન અને હાલ વાઈસ ચેરમેન પદ પર બેઠેલા રાજુ પાઠક સામે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. માનસિંગ પટેલના આરોપથી ખળભળાટ મચી ગયો હતો. જોકે, ત્યારબાદ થયેલી નિયામકની ચૂંટણીમાં ભીનું સકેલી લેવામાં આવ્યું હતું અને ભાજપના આગેવાનો દ્વારા માનસિંગ પટેલને પ્રમુખ અને રાજુ પાઠકને ઉપપ્રમુખ બનાવી સમગ્ર મામલો દબાવી દીધો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news