શનિવારથી રાજકોટમાં ગોરસ લોકમેળાનો પ્રારંભ, સુરક્ષા માટે 3000 પોલીસકર્મિઓ રહેશે તૈનાત

શનિવારથી શરૂ થનારો આ ગોરસ લોકમેળો પાંચ દિવસ ચાલશે. 
 

  શનિવારથી રાજકોટમાં ગોરસ લોકમેળાનો પ્રારંભ, સુરક્ષા માટે 3000 પોલીસકર્મિઓ રહેશે તૈનાત

રાજકોટઃ શનિવારથી રાજકોટના રેષકોર્ષ ગ્રાઉન્ડ ખાતે પાંચ દિવસ ચાલનારા ગોરસ લોકમેળાનો પ્રારંભ થઈ રહ્યો છે. શનિવાર 1 સપ્ટેમ્બરથી પાંચ સપ્ટેમ્બર સુધી આ મેળો ચાલશે. આ મેળામાં સૌરાષ્ટ્રભરમાંથી લાખો લોકો આવતા હોય છે. ત્યારે ટ્રાફિકને લઈને કોઈ સમસ્યા ન થાય તે માટે રાજકોટ પોલીસ કમિશનરે એક ખાસ પ્રકારનો પ્લાન બનાવ્યો છે. 

મેળામાં સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઇ રહે તે માટે 3 DCP અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો તેની સાથે 10 એસીપી, 37 પીઆઇ, 112 પીએસઆઇ, 4 એસઆરપીની ટુકડી, હોમગાર્ડના 400 જવાનો, જીઆરડીના 100 જવાનો અને મહિલા પોલીસ કર્મી સાથે 3000નો સ્ટાફ તૈનાત રહેશે. રેષકોર્ષ રિંગ રોડના બે રોડમાંથી એક રોડ રાત્રે 1 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. આ સાથે રેષકોર્ષ અને તેની આસપાસના વિસ્તારોને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. 

મેળામાં સીસીટીવીથી રખાશે બાજ નજર
આ સાથે આ વખતે મેળામાં પ્રથમવાર આવનારા નિયમ ઉંમરના બાળકોને ઓળખ કાર્ડ બનાવી આપવામાં આવશે. જેથી કોઈ બાળક વિખુટું પડી જાય તો તેનું ઓળખ કાર્ડ વાંચીને જાહેરાત કરવામાં આવશે અને તેના માતા-પિતાને શોધવામાં આવશે. આ સાથે મેળામાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે અને પોલીસ કંટ્રોલ રૂમ પણ તૈનાત રહેશે. કોઈ યુવતીઓની છેડતી ન થાય તે માટે સિવિલ ડ્રેસમાં મહિલા પોલીસને તૈનાત કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news