ગુજરાતમાં PM મોદી : PM મોદીએ કે.ડી પરવાડીયા હોસ્પિટલનું લોકાર્પણ કર્યું, સુવિધાઓનું નિરીક્ષણ કર્યું

PM Modi In Gujarat : ભાજપના મિશન સૌરાષ્ટ્ર પર આજથી કામ શરૂ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આટકોટમાં કે.ડી પરવાડીયા હોસ્પિટલનું લોકાર્પણ કર્યું. 

ગુજરાતમાં PM મોદી : PM મોદીએ કે.ડી પરવાડીયા હોસ્પિટલનું લોકાર્પણ કર્યું, સુવિધાઓનું નિરીક્ષણ કર્યું

રાજકોટ ભાજપના મિશન સૌરાષ્ટ્ર પર આજથી કામ શરૂ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજકોટ પાસે આવેલ આટકોટમાં કે.ડી પરવાડીયા હોસ્પિટલનું લોકાર્પણ કર્યું છે. જેના બાદ તેમણે હોસ્પિટલનું નિરીક્ષણ કર્યુ હતું. તેમણે હોસ્પિટલના આઈસીયુ વોર્ડ તથા અન્ય સુવિધાનુ નિરીક્ષણ કર્યુ હતું. સાથે જ હોસ્પિટલની અન્ય સુવિધા વિશે પણ માહિતી મેળવી. હોસ્પિટલ ખાતે ટ્રસ્ટીઓ સાથે પણ મુલાકાત કરી હતી. 

રાજકોટ પહોંચેલા પીએમ મોદીનો બાળપ્રેમ ફરી એકવાર જોવા મળ્યો હતો. તેમણે હોસ્પિટલ પહોંચીને એક બાળકનો કાન આમળીને હળવી મસ્તી કરી હતી. એરપોર્ટ પર સીએમ અને સીઆર પાટીલે પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યુ હતું.  

પ્રધાનમંત્રી મોદી જે હોસ્પિટલનું લોકાર્પણ કરવાના છે તેની વિશેષતાની વાત કરીએ તો...

  • 200 બેડની ચેરિટી હોસ્પિટલ 40 કરોડના ખર્ચે બની છે
  • ફાઇવસ્ટાર હોસ્પિટલ જેવી સુવિધાઓ અપાઈ છે
  • કેન્સર સહિતના રોગોની તદ્દન નજીવા દરે થશે સારવાર
  • ફુલટાઈમ ડૉક્ટર તરીકે ગાયનેક તથા આબ્સ કાર્યરત રહેશે
  • સર્જરી, ઓર્થોપેડિક, પીડિયાટ્રિક, મેડિસિન રહેશે કાર્યરત
  • નેફ્રોલોજી, કાર્ડિયોલોજી, ન્યુરોલોજી, ન્યુરો સર્જરી થઈ શકશે
  • રૂમેટોલોજી, યુરોલોજી, ગેસ્ટ્રો સર્જરી, ઓન્ક્રોલોજી કાર્યરત રહેશે
  • જનરલ વોર્ડમાં દર્દી પાસેથી રોજનું 150 ચાર્જ વસુલાશે
  • 150ના ચાર્જમાં દર્દીને ત્રણ ટાઇમ ભોજન પણ અપાશે
  • OPD, સુપર સ્પેશિયાલિટી, રેડિયોલોજી, ICCU
  • ઓપરેશન થિયેટર, પેથોલોજી, ડાયાલિસિસ
  • એન્ડોસ્કોપી, ફિઝિયોથેરપી, NICU, PICU, કેથલેબના હશે વિભાગો
  • મા-અમૃતમ અને આયુષ્યમાન કાર્ડધારકોને મળશે વિનામૂલ્યે સારવાર 

No description available.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આજનું શિડ્યુલ 

  • સવારે 9.30 વાગ્યે રાજકોટ પહોંચશે પ્રધાનમંત્રી મોદી
  • આટકોટમાં હોસ્પિટલનું લોકર્પણ કરી જનસભા સંબોધશે
  • બપોરે 12.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે
  • સાંજે 4 વાગ્યા સુધી રાજભવનમાં રોકાણ કરશે
  • સાંજે 4.30 વાગ્યે મહાત્મા મંદિર સહકાર સંમેલનને સંબોધશે
  • સહકારી ક્ષેત્રના તમામ આગેવાનો સંમેલનમાં રહેશે હાજર
  • પહેલીવાર ગુજરાતમાં સહકારી સંમેલનમાં PM સંબોધન કરશે
  • ગાંધીનગરના કલોલમાં નેનો યુરિયા પ્લાન્ટનું કરશે ઉદ્ધાટન
  • સહકાર સંમેલન બાદ PM અમદાવાદથી દિલ્હી જવા રવાના થશે

રાજકોટના જસદણના આટકોટમાં કે.ડી.પરવાડિયા મલ્ટીસ્પેશ્યલિટી હોસ્પિટલનું 28 તારીખે પ્રધાનમંત્રી લોકાર્પણ કરશે. 40 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ હોસ્પિટલ વિશે તેના મેનેજીંગ ટ્રસ્ટી અને ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોધરાએ જણાવ્યુ કે, સૌરાષ્ટ્રને આરોગ્ય ક્ષેત્રે મોટી ભેટ કહી શકાય. જેમાં કેન્સર, ડાયાલિસીસ સહિત ગંભીર બીમારીઓની સારવાર કરવા માટેની સુવિધા હશે. માત્ર જસદણ જ નહીં અમરેલી અને ભાવનગર જિલ્લાના દર્દીઓને પણ તેમાં સારવાર મળશે. પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જેમાં બાળકો માટે NICUની પણ ખાસ સુવિધા છે. આધુનિક ટેકનોલોજી થી સજ્જ ઓપરેશન થિયેટર છે. આ હોસ્પિટલમાં આયુષમાન ભારત કાર્ડથી પણ સારવાર આપવામાં આવશે. આયુષ્યમાન કાર્ડ ન હોઈ તો કાર્ડ પણ કાઢી આપવામાં આવશે. ગરીબ દર્દીઓને સારવાર મળી રહે તેવો પ્રયાસ કરાશે. જેની પાસે આરોગ્ય માટેના કાર્ડ નહિ હોય તો પણ સારવાર કરવામાં આવશે. જે ગરીબ દર્દી પાસે રૂપિયા નહિ હોય તો પટેલ સેવા સમાજ ટ્રસ્ટ તેનો ખર્ચો ઉપાડશે. દર વર્ષે આ હોસ્પિટલ ચલાવવા પાછળ 1 કરોડનો ખર્ચ થશે. આ હોસ્પિટલથી સૌરાષ્ટ્રમાં આરોગ્યના નામે નવો ઇતિહાસ રચાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ પ્રવાસને લઈને લોકોમાં ઉત્સાહ છે. જેમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા અને કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલા પણ ઉપસ્થિત રહેશે. ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત રાજ્ય સરકારનું મંત્રી મંડળ ઉપસ્થિત રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news