અંકલેશ્વરમાં માતાએ બે બાળકો સાથે ટ્રેન નીચે પડતુ મૂક્યું, ઘટનામાં ત્રણેયના મોત

એક દીકરી અને એક દીકરા સાથે આત્મહત્યા કરનાર મહિલા મૂળ ઉત્તરપ્રદેશની રહેવાસી હતી. અને અંકલેશ્વર નજીક આવેલા કોસમડી ગામના ગોપાલનગર વિસ્તારમાં રહેતી હતી.

અંકલેશ્વરમાં માતાએ બે બાળકો સાથે ટ્રેન નીચે પડતુ મૂક્યું, ઘટનામાં ત્રણેયના મોત

અંકલેશ્વરઃ અંકલેશ્વર ગરીબ નવાજ મસ્જિદની સામે રેલ્વે ઉપર સુરતથી વડોદરા તરફ જતી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન નીચે એક મહિલાએ બે બાળકો સહિત પડતું મૂક્યું હતું. ઘટનાની જાણ થતાં અંકલેશ્વર પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

મહિલાએ બે બાળકો સાથે આત્મહત્યા કરતા આસપાસના વિસ્તારના લોકો રેલવે ટ્રેક પર એકત્ર થઇ ગયા હતા. અને તેઓએ તુરંત પોલીસને જાણ કરી દીધી હતી. એક દીકરી અને એક દીકરા સાથે આત્મહત્યા કરનાર મહિલા મૂળ ઉત્તરપ્રદેશની રહેવાસી હતી. અને અંકલેશ્વર નજીક આવેલા કોસમડી ગામના ગોપાલનગર વિસ્તારમાં રહેતી હતી. મહિલાએ કયા કારણોસર આત્મહત્યા કરી દીધી છે. તે હજુ સુધી જાણી શકાયુ નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news