મિત્રની પુત્રીના અનૈતિક સંબંધો વિશે અફવા ફેલાવવી પડી ભારે, થઇ એવી હાલત કે...

પોતાના મિત્રની પુત્રીઓ સાથે તેના વાડી માલિક અને અન્ય એક વ્યક્તિ ને અનેતિક સબંધ હોવાની ગામમાં ખોટી અફવા ફેલાવનાર આધેડ ને ગળાટુંપો આપી ત્રણ શખ્સોએ મોત ને ઘાટ ઉતારી દીધા હતા

મિત્રની પુત્રીના અનૈતિક સંબંધો વિશે અફવા ફેલાવવી પડી ભારે, થઇ એવી હાલત કે...

જુનાગઢ : પોતાના મિત્રની પુત્રીઓ સાથે તેના વાડી માલિક અને અન્ય એક વ્યક્તિ ને અનેતિક સબંધ હોવાની ગામમાં ખોટી અફવા ફેલાવનાર આધેડ ને ગળાટુંપો આપી ત્રણ શખ્સોએ મોત ને ઘાટ ઉતારી દેતા સમગ્ર જૂનાગઢ પંથકમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસે હત્યાના ગુનામાં ત્રણની ધરપકડ કરી આગળ ની તપાસ શરૂ કરી છે. ત્રણેય આરોપીઓ પોલીસ ગિરફત માં રહેલ આ ત્રણેય આરોપીઓ ઉપર આધેડ ની હત્યા કરવાનો આરોપ છે. માંગરોળ ના દિવાસા ગામ પાસે ની એક ખુલ્લી ગટર માં ત્રણ ચાર દિવસ પહેલા પોલીસ ને એક લાશ મળી હતી. જેનો કબજો લઈ પી એમ કરાવવામાં આવ્યું હતું. જે લાશ દિવાસા ગામમાં રહેનાર રામજી મેપા પરમાર નામના આધેડની હોવાનું ખૂલ્યું હતું. પી એમ રિપોર્ટ માં મરનાર રામજીભાઈને ગળાટુંપો આપી હત્યા કરવાનું ખૂલ્યું હતું. જેના આધારે પોલીસ તપાસ શરૂ કરી હતી.

ગુજરાત : બેટી બચાવો, બેટી પઢાઓની ગુલબાંગો વચ્ચે ડ્રોપ આઉટ રેશિયો ભયજનક સ્તરે પહોંચ્યો
 
પોલીસ આ હત્યા ના ગુના માં આજ ગામ ના ત્રણ શખ્સો ની અટકાયત કરી છે.. ગામના આગેવાન જીવાભાઇ કોળી, રજાકભાઈ અને ભાર્ગવ નામના ત્રણ શખ્સોએ મળી ને આધેડ રામજી પરમાર ની હત્યા કરી હતી. પોલીસ આગવી ઢબે પૂછપરછ કરતાં આ ત્રણેય શખ્સો એ ગુનો કબૂલી લીધો હતો. કારણ જાણી પોલીસ પણ આશ્ચર્ય માં પડી ગઈ હતી. ભાર્ગવ ના પિતા અશોકભાઇ અને મરનાર રામજીભાઈ બંને મિત્રો હતા. અશોકભાઇ અમદાવાદ રહે છે. પરંતુ દિવાસા ખાતે ભાર્ગવ અને તેની બંને બહેનો સાથે રહેતો હતો અને છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા..

ત્રણેય સંતાનો ની દેખરેખ રાખવાની જવાબદારી ભાર્ગવના પિતા અશોકભાઇ એ રામજીભાઈ ને આપી હતી. ભાર્ગવ જીવાભાઇ કોળી અને રજાકભાઈ ને ત્યાં પોતાની બહેન ને લઈને મજૂરી જતો હતો. ત્યારે રામજી મેપા પરમારે જીવાભાઇ કોળી, રજાકભાઈ ને ભાર્ગવ ની બહેનો સાથે અનેતિક સંબધ હોવાની વાતો ગામમાં ફેલાવી હતી. જે અંગે ભાર્ગવ ને ખબર પડી જતાં તેમને બદલો લેવાનું નક્કી કર્યું હતું. અને મોકો જોઈને તેણે રામજી પરમાર ને જીવા કોળી, રજાક ની મદદ થી મોત ને ઘાટ ઉતારી દીધો હતો. અને લાશ ને ગટર માં નાખી આવ્યા હતા. આમ, પોતાની બહેન વિષે અને પોતાના માલિક વચ્ચે આડાસબંધ ની ખોટી વાતો કરનાર ને મોત ને ઘાટ ઉતારી દીધા બાદ આ ત્રણેય શખ્સો હાલ તો પોલીસ રિમાન્ડ માં છે. હજુ તપાસ ચાલી રહી છે. રામજી પરમાર ને આવી ખોટી અફવા ફેલાવવા પાછળ નું કારણ પણ પોલીસ તપાસ કરી રહી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news