અમદાવાદમાં તથ્યકાંડ પછી વડોદરાનું તંત્ર જાગ્યું! 10 ફ્લાય ઓવર પર મુકાશે આ સુવિધા

વડોદરા મહાનગર પાલિકા એક્શનમાં આવી ગયું છે અને વડોદરા શહેરના 10 ફ્લાયઓવર બ્રિજ પર CCTV લગાવવાનો મહત્વનો નિર્ણય લીધો છે. સૌ પ્રથમ શહેરનાં 10 બ્રિજ પર CCTV લગાવાશે.

અમદાવાદમાં તથ્યકાંડ પછી વડોદરાનું તંત્ર જાગ્યું! 10 ફ્લાય ઓવર પર મુકાશે આ સુવિધા

ઝી બ્યુરો/વડોદરા: અમદાવાદમાં તથ્યકાંડ પછી વડોદરા મહાનગર પાલિકાનું તંત્ર જાગ્યું છે. વડોદરાના 10 બ્રિજ પર CCTV લગાવવાની કામગીરી શરૂ કરાઈ છે. મહાનગરપાલિકાએ બ્રિજ પર સીસીટીવી માટેના પોલ લગાવાનું શરૂ કર્યું છે. એક પૉલ પર 4 CCTV લગાવવામાં આવશે. ઓવર સ્પીડમાં વાહન ચલાવતાં લોકો સામે સીસીટીવી કેમેરાની મદદથી તંત્ર કાર્યવાહી કરશે. ફ્લાય ઓવરબ્રિજમાં ટર્નિંગ પર રેડિયમ પણ લગાવાશે. જેથી અકસ્માત ન સર્જાય.

વડોદરા મહાનગર પાલિકા એક્શનમાં આવી ગયું છે અને વડોદરા શહેરના 10 ફ્લાયઓવર બ્રિજ પર CCTV લગાવવાનો મહત્વનો નિર્ણય લીધો છે. સૌ પ્રથમ શહેરનાં 10 બ્રિજ પર CCTV લગાવાશે. શહેરનાં 10 બ્રિજ પર પોલ લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તેમજ દરેક પોલ પર 4 સીસીટીવી લગાવવામાં આવશે. પ્રથમ તબક્કામાં 75 થી વધુ કેમેરા ફ્લાયઓવર બ્રિજ પર લગાવાશે.

આ મુદ્દે વડોદરા મ્યુનિ. કમિશ્નર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે, 10 ફ્લાય ઓવર પર 75થી વધુ કેમેરા મુકાશે. આ પ્રોજેક્ટ શહેરીજનોની સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વનો પ્રોજેક્ટ છે. સીસીટીવી કેમેરા લગાવવાથી ગુનાહિત પ્રવૃતિઓ અટકાવી શકાશે. તેમજ થયેલ ગુનાહિત પ્રવૃતિઓને ડામવા માટે સીસીટીવી ફૂટેજ મહત્વના બની શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news