ગુજરાત સહિત દેશ પર અત્યાર સુધીમાં કેટલા વાવાઝોડા ત્રાટક્યા? આ હતું સદીનું સૌથી ભયાનક, કર્યું હતું મોતનું તાંડવ

હજુ બિયરજોય વાવાઝોડાની યાદો ભૂલાઈ નથી ત્યાં દક્ષિણ ભારત પર મિચૌંગ વાવાઝોડાએ તાંડવ કર્યુ. ત્યારે ગુજરાત સહિત દેશ પર અત્યાર સુધીમાં કેટલા વાવાઝોડા આવ્યા અને કેટલો વિનાશ વેર્યો છે. 

ગુજરાત સહિત દેશ પર અત્યાર સુધીમાં કેટલા વાવાઝોડા ત્રાટક્યા? આ હતું સદીનું સૌથી ભયાનક, કર્યું હતું મોતનું તાંડવ

ઝી બ્યુરો/અમદાવાદ: દેશ પર તો જાણે પનૌતી બેઠી છે. કારણ કે એક બાદ એક વાવાઝોડા આવી રહ્યા છે. હજુ બિયરજોય વાવાઝોડાની યાદો ભૂલાઈ નથી ત્યાં દક્ષિણ ભારત પર મિચૌંગ વાવાઝોડાએ તાંડવ કર્યુ. ત્યારે ગુજરાત સહિત દેશ પર અત્યાર સુધીમાં કેટલા વાવાઝોડા આવ્યા અને કેટલો વિનાશ વેર્યો છે. 

9 જૂન 1998
એ દિવસ હતો મંગળવારનો, પરંતુ લોકો ક્યાં જાણતા હતા કે મંગળવારનો દિવસ તેમના માટે 'અ'મંગળ સાબિત થવાનો છે. 9 જૂન 1998ના દિવસે ચૌદશ હતી અને દરિયામાં પૂનમની ભરતી હતી. લોકો જેઠ મહિનાની ગરમી દઝાડતી હોવાથી સૌ કોઈ ચાતક નજરે મેઘરાજાની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ કુદરત તો કંઈક અલગ જ ધારીને બેઠી હતી. 

150 કિ.મી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો પવન
જ્યારે વાવાઝોડું કંડલા પરથી પસાર થયુ ત્યારે પવનની ગતિ 150 કિલોમીટર પ્રતિ કલાકની હતી. વાવાઝોડું પોતાની ભયંકર ગતિ સાથે જ કંડલા પર ત્રાટક્યુ. અરબી સમુદ્રમાંથી આવેલું એ વાવાઝોડું પોરબંદર, રાજકોટ, જામનગર અને અંતે કચ્છના કંડલા પર ત્રાટક્યું અને હજારોના જીવ લઈ ગયું. 

29 ઓક્ટોબર 1999
દક્ષિણ ભારત પર આવેલા મિચૌંગ વાવાઝોડાએ દેશ પર આવેલા અનેક વાવાઝોડાઓની યાદ તાજી કરી દીધી છે. 29 ઓક્ટોબર 1999ના રોજ સવારે 10:30 વાગ્યે આ વાવાઝોડું ઓડિશાના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. અને જોતજોતામાં વિનાશ વેરીની નીકળી ગયુ હતુ. 

260 કિ.મી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો પવન
1999નું એ સુપર સાઇક્લોન જ્યારે ઓડિસા સાથે ટકરાયુ ત્યારે પવનની ગતિ 260 કિલોમીટર પ્રતિ કલાકની હતી. સત્તાવાર આંકડો જોઈએ તો ત્યારે લગભગ 10 હજાર જેટલા લોકોના મોત થયા હતા. જો કે વાસ્તવિક મૃત્યુઆંક 50 હજારનો હોવાનો પણ દાવો કરાયો હતો. 

1970: ભોલા વાવાઝોડું 
1970માં આવેલા આ ભોલા નામના વાવાઝોડાએ પશ્ચિમ બંગાળમાં ભારે તબાહી મચાવી હતી. એટલું જ નહીં તે સમયના પૂર્વી પાકિસ્તાન એટલે કે બાંગ્લાદેશમાં પણ વિનાશ વેર્યો હતો. 1970નું એ વાવાઝોડું ઉત્તર હિંદ મહાસાગરમાં ઉદભવેલું સૌથી ખતરનાર વાવાઝોડું હતુ. જેણે લગભગ 4થી 5 લાખ લોકોના જીવ લીધા હતા. 

2005: પ્યાર વાવાઝોડું
સપ્ટેમ્બર 2005માં ત્રાટકેલા આ વાવાઝોડાએ બંગાળની ખાડીમાં ઉત્તર-પૂર્વથી લઈને દક્ષિણ-પશ્ચિમ સુધીના વિસ્તારને ઘમરોળ્યુ હતુ. અને છેલ્લે આંધ્રપ્રદેશના કલિંગપટ્ટનમ પર લેન્ડફોલ થયુ હતુ. પ્યાર નામના વાવાઝોડાએ આંધ્રપ્રદેશ અને ઓડિસાના આસપાસના વિસ્તારમાં 65 લોકોના જીવ લીધા હતા. 

2008: નિશા વાવાઝોડું
ડિસેમ્બર 2008માં નિશા નામના વાવાઝોડાએ તબાહી મચાવી હતી. નિશા વાવાઝોડાના ટાર્ગેટ પર ભારતના તમિલનાડુંના વિસ્તાર અને શ્રીલંકાનો અમુક ભાગ હતો. જે ગતિએ આ વાવાઝોડા તમિલનાડું અને શ્રીલંકામાંથી પસાર થયુ તેમાં અંદાજે 200 લોકોએ પોતાનો જીવ ખોયો હતો. 

2009: ફ્યાન વાવાઝોડું
4 નવેમ્બર 2009ના રોજ શ્રીલંકામાં કોલંબોના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારના દરિયામાં ફ્યાન નામના વાવાઝોડાએ જન્મ લીધો. આ વાવાઝોડાની ચપેટમાં તમિલનાડુ, મહારાષ્ટ્ર સહિત ગુજરાતના પણ અમુક ભાગ આવ્યા હતા. તો આ વાવાઝોડાના પગલે કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પર મૂશળધાર વરસાદ પડ્યો હતો. 

2012: નીલમ વાવાઝોડું 
31 ઓક્ટોબર 2012ના રોજ નીલમ નામના વાવાઝોડાએ પોતાનો વિનાશ વેર્યો હતો. આ વાવાઝોડાએ 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તમિલનાડુંના મહાબલીપુરમ સાથે ટકરાયુ હતુ. ભારે પવન અને મજબૂતી સાથે નીલમ વાવાઝોડાએ લેન્ડફોલ કરતા અંદાજે 75 જેટલા લોકોના મૃત્યુ થયા હતા. 

2013: ફૈલિન વાવાઝોડું
1999માં ઓડિસામાં આવેલા વાવાઝોડા બાદ ભારતમાં ભૂસ્ખલન કરનારું આ સૌથી શક્તિશાળી વાવાઝોડું હતુ. તીવ્ર ઉષ્ણબંધીય ગણાતા ફૈલિન વાવાઝોડાએ 45 લોકોના જીવ લીધા હતા. 

2019:ફાની વાવાઝોડું
ફાનીને ખુબ જ ભયંકર વાવાઝોડું ગણવામાં આવ્યુ હતુ. જે મે મહિનામાં ઓડિસા રાજ્ય સાથે ટકરાયુ હતુ. આ વાવાઝોડામાં ઉચ્ચ શ્રેણીના 4 પ્રમુખ વાવાઝોડા જેટલી શક્તિ હતી. ત્યારે આ વાવાઝોડાએ 40થી વધુ લોકોને મોતના મુખમાં ધકેલ્યા હતા. 

2017: ઓખી વાવાઝોડું
વર્ષ 2017માં આવેલું ઓખી નામનું વાવાઝોડું સૌથી ભયંકર સાબિત થયુ હતુ. કારણ આ વાવાઝોડાએ અંદાજે 245 લોકોના જીવ લઈ લીધા હતા. ઓખીએ માત્ર કેરળ જ નહીં તમિલનાડુ અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વિનાશ વેર્યો હતો. 

2020: અમ્ફાન વાવાઝોડું
અમ્ફાન નામનું વાવાઝોડું એક શક્તિશાળી અને ભયંકર વાવાઝોડું હતુ . કારણ કે તેને સુપર સાયક્લોનિક વાવાઝોડાની શ્રેણીમાં આંકવામાં આવ્યું હતુ. મે 2020માં ત્રાટકેલા આ વાવાઝોડાએ પૂર્વ ભારત અને બાંગ્લાદેશમાં પોતાનો વિનાશ વેર્યો હતો. 

2021: તૌકતે વાવાઝોડું
તૌકતે નામનું વાવાઝોડું ગુજરાત માટે આફત સાબિત થયુ હતુ. 17 મે 2021ના રોજ આ તૌકતે વાવાઝોડું સીધુ જ ગુજરાતના દરિયાઈ કાંઠા સાથે ટકરાયુ હતુ. આ વાવાઝોડાએ ભારે વિનાશ તો વેર્યો હતો. સાથે જ ગુજરાત સહિત 3 રાજ્યોમાં અંદાજે 24 લોકોના જીવ લીધા હતા. 

2021: યાસ વાવાઝોડું
વર્ષ 2021માં ભારતે બે વિનાશક વાવાઝોડાનો સામનો કર્યો. જેમાં તૌકતે બાદ યાસ વાવાઝોડાએ તબાહી મચાવી હતી. 26 મે 2021ના રોજ યાસ વાવાઝોડું ઓડિસાના ભદ્રક જિલ્લા પરથી 130થી 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પસાર થયુ. પરંતુ સદનસીબે થોડા જ સમયમાં આ વાવાઝોડું નબળું પડ્યુ હતુ. જેથી ખાનાખરાબી સૌથી ઓછી થઈ હતી. 

આ ઉપરાંત દેશ પર મોચા, બિપરજોય, તેજ, હમૂન અને મિછલી નામના પણ વાવાઝોડા ત્રાટકી ચુક્યા છે. ત્યારે હવે આવેલા મિચૌંગ વાવાઝોડાએ પણ ખાના-ખરાબી સર્જી છે. અને લાખો કરોડો રૂપિયાનું નુકશાન કર્યુ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news