ભાવનગરનાં 2 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી, 1 દર્દીનું નિપજ્યું મોત

ભાવનગરના ભીલવાડા વિસ્તારમાં રહેતા કોરોના દર્દી અશરફ હારૂન ઓનેસ્ટનું (ઉં.વ 50) સારવાર દરમિયાન આજે આઇસોલેશ વોર્ડમાં મોત નિપજ્યું હતું. કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા 29 માર્ચથી આઇશોલેશન વોર્ડમાં તેની સારવાર ચાલી રહી હતી. અશરફભાઇને ડાયાબિટીસની પણ બિમારી હતી. 13 એપ્રિલથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ભાવનગર જિલ્લામાં કોરોનાને કારણે આ ત્રીજી વ્યક્તિનું મોત નિપજ્યું છે.
ભાવનગરનાં 2 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી, 1 દર્દીનું નિપજ્યું મોત

રાજકોટ : ભાવનગરના ભીલવાડા વિસ્તારમાં રહેતા કોરોના દર્દી અશરફ હારૂન ઓનેસ્ટનું (ઉં.વ 50) સારવાર દરમિયાન આજે આઇસોલેશ વોર્ડમાં મોત નિપજ્યું હતું. કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા 29 માર્ચથી આઇશોલેશન વોર્ડમાં તેની સારવાર ચાલી રહી હતી. અશરફભાઇને ડાયાબિટીસની પણ બિમારી હતી. 13 એપ્રિલથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ભાવનગર જિલ્લામાં કોરોનાને કારણે આ ત્રીજી વ્યક્તિનું મોત નિપજ્યું છે.

ભાવનગર માટે વધુ સારા સમાચાર આવ્યા છે. કોરોના પોઝિટિવ આવેલા બે દર્દીઓનાં રિપોર્ટ પોઝિટિવ આવતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં સાત દર્દીઓ કોરોના પોઝિટિવમાંથી મુક્ત થયા છે. ભાવનગરમાં સાંઢીયાવાડમાં રહેતા 65 વર્ષીય ઉસ્માનભાઇ મુલતાનીનો પોઝિટિવ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

સાંઢીયાવાડમાં રહેતા સબાનાબેન મુલતાણી નામની 20 વર્ષીય યુવતી રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. જેના પગલે તેને આઇશોલેશન વોર્ડમાં ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં તબીબોની સધન સારવાર બાદ બંન્ને બે વાર રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news