ગુજરાત પરથી વાવાઝોડાનું સંકટ ટળ્યું : આ દેશ તરફ ફંટાયું, પણ તેની મોટી અસર જોવા મળશે

Gujarat Weather Forecast :  ડીપ ડિપ્રેશન બાદ હવે સિવિયર સાયક્લોનમાં ફેરવાયું બિપરજોય વાવાઝોડું... પોરબંદરના દરિયા કિનારાથી 900 કિલોમીટર દૂર છે વાવાઝોડું... સંભવિત બિપરજોય વાવાાઝોડા અંગે વલસાડનું તંત્ર એક્શનમાં.. જિલ્લાના દરિયા કિનારાના 28 ગામોને કરાયા અલર્ટ... તો વહીવટી તંત્રે અલગ-અલગ ટીમ બનાવી શેલ્ટર હોમ માટે તૈયારી શરૂ કરી..

ગુજરાત પરથી વાવાઝોડાનું સંકટ ટળ્યું : આ દેશ તરફ ફંટાયું, પણ તેની મોટી અસર જોવા મળશે

Ambalal Patel Prediction : હાલ અરબી સમુદ્રમાં બિપોરજોય વાવાઝોડાની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. પરંતું હાલ પૂરતો ગુજરાત પરથી બિપોરજોય વાવાઝોડાનો ખતરો ટળ્યો છે.હવામાન વિભાગ અને સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલરૂમના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાવાઝોડું ઓમાન તરફ ફંટાયુ છે. હવામાન વિભાગ અને રાજ્ય સરકાર સતત વક્રવાતની મુવમેન્ટ પર નજર રાખી રહ્યા છે. હવે બપોરે 1.30 કલાકે હવામાન વિભાગ દ્વારા નવું બુલેટિન જાહેર કરવામાં આવશે. છતાં રાજ્ય સરકાર દ્વારા તમામ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ છે. જેકે ગુજરાત ઉપર ખતરો નથી. માત્ર વાવાઝોડાની અસરના ભાગરૂપે આગામી ચાર પાંચ દિવસ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો ઉપર ભારેથી અતિ ભારે પવન અને વરસાદ થવાની સંભાવના છે. ગુજરાત કોઈ ખતરો ન હોવાની સત્તાવાર જાહેરાત બપોર બાદ કરવામા આવશે. સૂત્રોના હવાલેથી ખબર આજે મોડી સાંજે કે આવતીકાલ સવાર સુધી સત્તાવાર જાહેરાત થઈ શકે છે. 

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, દક્ષિણપૂર્વી અરબી સમુદ્રમાં ઉદભવેલુ ચક્રવાત બિપરજોય વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થયુ છે. છેલ્લા 6 કલાકમાં ચક્રવાત 7 કિમિ પ્રતિ કલાકની ઝડપે ઉત્તર ઉત્તરપશ્ચિમ દિશા તરફ આગળ આગળ વધી રહ્યું છે. ધીમી ગતિએ પૂર્વમધ્ય અરબી સમુદ્રમાં ચક્રવાત આગળ વધી રહ્યું છે. ચક્રવાત હાલ પોરબંદર દક્ષિણ-દક્ષિણપશ્ચિમ કિનારેથી દરિયામાં 970 કિમિ દૂર છે. આગામી 47 કલાકમાં વધુ ઉત્તરપશ્ચિમ દિશા તરફ આગળ વધશે. પવનની ગતિ તબક્કાવાર 55 કિમિ પ્રતિ કલાકથી 150 કિમિ પ્રતિ કલાક સુધી અને તેથી પણ વધુ પહોંચી શકે છે. 

ચક્રવાત વિશે લેટેસ્ટ અપડેટ એ છે કે, સંપૂર્ણ ચક્રવાતનો બાહ્ય ઘેરાવો દરિયામાં 500 કીમોમીટર કરતા પણ વધુનો છે. જ્યારે ચક્રવાતના કેન્દ્રબિંદુ નો ઘેરાવો અંદાજે 50 કિલોમીટરનો છે. માછીમારોને દક્ષિણપૂર્વી અને નજીકના પૂર્વિમધ્ય અરબી સમુદ્રમાં ન જવા અને જે માછીમારો દરિયામાં હોય એમને પરત આવવા પણ સૂચના અપાઈ છે. હાલ ગુજરાતના દરિયા કાંઠા માટે ચિંતાની કોઈ બાબત નથી. જો ચક્રવાતની આગળ વધવાની દિશા બદલાય તો ગુજરાત માથે મોટું કુદરતી સંકટ આવી શકે છે. હાલ ગુજરાતના તમામ બંદરો પર બે નમ્બરના સિગ્નલ લગાવવામાં આવ્યા છે. હવામાન વિભાગ અને રાજ્ય સરકાર સતત વક્રવાતની મુવમેન્ટ પર નજર રાખી રહ્યા છે. હવે બપોરે 1.30 કલાકે હવામાન વિભાગ દ્વારા નવું બુલેટિન જાહેર કરવામાં આવશે.

બિપોરજોય વાવાઝોડાને લઈ તંત્ર સતર્ક છે. દરિયા કિનારાના જિલ્લાઓને સતર્ક રહેવા સૂચના અપાઈ છે. વાવાઝોડું ઓમાન તરફ ફંટાયું છતા વાવાઝોડાની અસરને લઈ રાજ્ય સરકાર સતર્કતા રાખી રહ્યું છે. હવામાન વિભાગની આગાહીના આધારે જિલ્લા તંત્રને સતર્ક રહેવા સૂચના અપાી છે. સતર્કતાના ભાગરૂપે એનડીઆરએફની ટીમોને પ્રી ડિપ્લોયમેન્ટ કરવામા આવશે. સાથે જ ગુજરાતના દરિયા કિનારાના જિલ્લાઓના સરકારી કર્મચારીઓની રજા રદ્દ કરવામાં આવી છે. દરિયા કિનારાના વિસ્તારોમાં પવન ફૂંકાવાની શક્યતા છે. દરિયો તોફાની બની રહેવાના પગલે તંત્રને એલર્ટ કરવામા આવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news