ગુજરાતનો સૌથી મોટો નર્મદા ડેમ હાઈએલર્ટ પર, ગમે ત્યારે દરવાજા ખોલાશે, ગામોને એલર્ટ

Narmada Dam Overflow : સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો..નર્મદા ડેમ સિઝનમાં પ્રથમ વાર 132 મીટરને પાર...મહત્તમ સપાટીથી માત્ર સાત મીટર દૂર છે નર્મદા ડેમ...

ગુજરાતનો સૌથી મોટો નર્મદા ડેમ હાઈએલર્ટ પર, ગમે ત્યારે દરવાજા ખોલાશે, ગામોને એલર્ટ

Narmada River : નર્મદા ડેમમાં મોટી માત્રામાં પાણીની આવક થઈ રહી છે. નર્મદા ડેમના આવતી કાલે દરવાજા ખોલવામાં આવે તેવી શકયતા છે. નર્મદા ડેમમાંથી 95 હજારથી 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી શકે છે. ત્યારે આવતીકાલે વહેલી સવારે ડેમના દરવાજા ખોલવામાં આવી શકે છે.

સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટીમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમ સિઝન માં પ્રથમવાર 132 મીટર પાર નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી માત્ર 7 મીટર દૂર છે. ઉપરવાસમાંથી 392487 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

  • નર્મદા ડેમ 132.46 મીટર
  • નર્મદા ડેમ 70 ટકા ભરાયો
  • નર્મદા ડેમમાંથી પાણી ની જાવક 57733 ક્યુસેક થઈ રહી છે

નર્મદામં સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં 24 કલાકમાં ધરખમ વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટી 2.83 મીટર વધી છે. નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર સપાટી 132.80 મીટર પર પહોંચી છે. ઉપરવાસમાંથી 3,93,213 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. નર્મદા ડેમમાં 3929 mcm લાઈવ સ્ટોરેજ પાણી છે. તો નર્મદા ડેમ 80 ટકા ભરાયો છે. રિવરબેડ પાવરહાઉસમાંથી 43,332 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. કેનાલ હેડ પાવરહાઉસમાંથી 15,121 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. 

પાણી છોડાતા કાંઠાના ગામને એલર્ટ કરાયા
વડોદરાના નર્મદા અને ઢાઢર નદીના કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે. નર્મદા ડેમ અને દેવ ડેમમાથી પાણી છોડવાને લઇ એલર્ટ કરાયા છે. ઢાઢર નદીના કિનારે આવેલ 36 ગામો અને નર્મદા નદીના કિનારે આવેલા 25 ગામોમાં અલર્ટ પર મૂકાયા છે. નદીમાં પૂર આવવાની સ્થિતિમાં સાવચેતી રાખવા તેમજ સુરક્ષિત સ્થળે ખસી જવા તંત્રએ અપીલ કરી છે. 

સરદાર સરોવર ડેમની કુલ સંગ્રહશક્તિ ૯,૪૬૦ મિલિયન ક્યુબીક મીટર છે. હાલમાં સરદાર સરોવર ડેમમાં સંગ્રહ શક્તિના ૭૦ ટકા એટલે કે, ૬,૬૨૨ મિલિયન ક્યુબીક મીટર પાણીનો સંગ્રહ થતા, ડેમમાં પાણીની સપાટી વોર્નિંગ સ્ટેજ પર પહોંચી છે.

સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટીને વોર્નિંગ સ્ટેજથી ઘટાડવા માટે રીવર બેડ પાવર હાઉસના (RBPH) માધ્યમથી આશરે ૨૮,૪૬૪ કયુસેક પાણીને નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે, તેમ સરદાર સરોવર નિગમની યાદીમાં જણાવાયું છે.

ઉકાઈ ડેમના દરવાજા ખોલાયા
ઉકાઈ ડેમના દરવાજા ફરી ખોલવામાં આવ્યા છે. ડેમની સપાટી રૂલ લેવલ નજીક પોહચતા દરવાજા ફરી ખોલાયા છે. ઉકાઈ ડેમના 22 પૈકી 4 દરવાજા ચાર ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડાયું છે. ઉપરવાસમાંથી ઉકાઈ ડેમમાં 60 હજાર 358 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમના 4 દરવાજા ખોલી તાપી નદીમાં 45 હજાર 938 ક્યુસેક પાણી છોડાયું છે. તાપી નદીના કિનારે વસતા ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરાયા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news