પાંચ વર્ષમાં એકવાર પણ મતદાન ન કરીએ તો શિક્ષિત હોવાનો શું અર્થ?

પાંચ વર્ષમાં એકવાર પણ મતદાન ન કરીએ તો શિક્ષિત હોવાનો શું અર્થ?
  • પહેલીવાર વોટિંગ કરીને કેવુ લાગ્યુ? યુવા મતદારોએ આપ્યો આ જવાબ 
  • મહાનગરપાલિકાની ચૂંટણીમાં યુવા અને વયોવૃદ્ધ મતદારો લોકશાહીને જીવંત રાખતા જોવા મળ્યાં
  • જીવનના પ્રથમવાર મતદાનનો લ્હાવો લેતા સુરતના યુવાઓનો ઉત્સાહ પણ અનેરો જોવા મળ્યો

તેજશ મોદી/સુરત :આજે ગુજરાતની 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. ઘણા એવા મતદારો છે, જે પહેલીવાર વોટિંગ કરી રહ્યાં છે. મતદાનનો આ તેમનો પહેલો અનુભવ છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં જીવનના પ્રથમવાર મતદાનનો લ્હાવો લેતા યુવાઓનો ઉત્સાહ પણ અનેરો જોવા મળ્યો હતો. આંગળી પર પહેલીવાર નિશાન કરવાનો ઉત્સાહ (first time voter) તેમનામાં જોવા મળ્યો હતો. સુરતના પાલ સ્થિત વેસ્ટર્ન સિટી એપાર્ટમેન્ટમાં રહેતી 20 વર્ષીય દિવ્યા અશોકભાઈ કોટક પ્રથમવાર મતદાન કરવાં અડાજણની એલ.પી. સવાણી સ્કુલના મતદાન મથક પર પહોંચી ત્યારે ખુબ જ ખુશ હતી. તેણે કહ્યું કે, ‘લોકશાહી દેશમાં મતદાન કરવું એ માત્ર આપણી ફરજ જ નથી, પરંતુ દેશના નાગરિક તરીકે જવાબદારી છે. જો પાંચ વર્ષમાં એક વાર મતદાનની ફરજ પણ ન અદા કરી શકીએ તો શિક્ષિત હોવાનો શો અર્થ?’ 

આ પણ વાંચો : જામનગર મ્યુનિ. ચૂંટણી : ભાજપના ઉમેદવારે ઘોડા પર સવાર થઈને મતદાન કર્યું 

માતાપિતા પહેલીવાર વોટિંગ કરવા પહોંચી પ્રિયાંશી 
‘પ્રથમ વાર મતદાન કરવાથી અનેરો આનંદ થયો છે અને હવે હું હરહંમેશ મતદાન કરીશ. મતાધિકારનો ઉપયોગ કરી દેશના વિકાસમાં ભાગીદાર બનવાનો આ અવસર છે.’ આ શબ્દોથી ઉમંગ અને ઊર્જાથી ભરેલી 22 વર્ષીય પ્રિયાંશી ગઢિયાએ અન્ય મતદારોને પ્રેરણા પૂરી પાડી હતી. સમ્રાટ કેમ્પસ અડાજણમાં પરિવાર સાથે રહેતી અને ઈલેક્ટ્રોનિક એન્ડ કમ્યુનિકેશનનો અભ્યાસ કરતી પ્રિયાંશી તેના માતાપિતા સાથે પહેલીવાર વોટિંગ કરવા આવી હતી. તેણે જણાવ્યું કે, 'મોટી સંખ્યામાં મતદાન થાય એ જ દેશની જાગૃત્તિ કહી શકાય. હવે યુવાનો પણ મતદાન પ્રત્યે જાગૃત બન્યાં છે. મેં મારી સોસાયટીમાં તેમજ સગાસંબંધીઓને એમ સૌને મતદાન કરવાની અપીલ કરી હતી.

આ પણ વાંચો : રાજકોટ : માથાભારે તત્ત્વોની આપના કાર્યાલયમાં તોડફોડ, ઉગ્ર બોલાચાલી બાદ મામલો બિચક્યો  

પહેલીવાર મતદાન કરીને સારું લાગ્યું 
પ્રથમવાર મતદાન કરનાર 18 વર્ષીય સલોની કોન્ડાળકર અડાજણના અલ્પેશનગરમાં રહે છે. તે બી.કોમ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છે. મતદાન કર્યા બાદ ખુશીભર્યો પ્રતિભાવ આપતા જણાવ્યું કે, આપણો એક-એક મત અતિ કિંમતી છે. જેને વેડફવાને બદલે લોકશાહીને મજબૂત કરવામાં ઉપયોગ કરીએ તે જ યથાયોગ્ય છે. ખાસ તો, દેશનું ભવિષ્ય એવા યુવા મતદારોએ લોકશાહીની ગરિમા ટકાવી રાખવા અવશ્ય મતદાન કરવું જ જોઈએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news