GUJARAT CORONA UPDATE: નવા 70 કેસ,128 દર્દીઓ સાજા થયા,2 દર્દીઓના મોત

ગુજરાતમાં કોરોના તબક્કાવાર કાબુમાં આવી રહ્યો છે. બીજી તરફ સરકાર દ્વારા રસીકરણ પણ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. આજના દિવસમાં 2,65,648 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું. તો બીજી તરફ કોરોનાથી સાજા થવાનાં દરમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.48 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાના આજે માત્ર 70 કેસ જ આવ્યા છે. 128 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં 8,11,297 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 
GUJARAT CORONA UPDATE: નવા 70 કેસ,128 દર્દીઓ સાજા થયા,2 દર્દીઓના મોત

ગાંધીનગર : ગુજરાતમાં કોરોના તબક્કાવાર કાબુમાં આવી રહ્યો છે. બીજી તરફ સરકાર દ્વારા રસીકરણ પણ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. આજના દિવસમાં 2,65,648 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું. તો બીજી તરફ કોરોનાથી સાજા થવાનાં દરમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.48 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાના આજે માત્ર 70 કેસ જ આવ્યા છે. 128 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં 8,11,297 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 

જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં 2467 એક્ટિવ કેસ છે. જે પૈકી 10 વેન્ટીલેટર પર છે. 2457 લોકો સ્ટેબલ છે. 811298 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યા છે. 10069 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 2 લોકોનાં મોત નિપજ્યાં છે. 

જો રસીકરણની વાત કરીએ તો ફ્રન્ટલાઇન વર્કર્સ અને હેલ્થકેર વર્કર્સ પૈકી 200ને પ્રથમ ડોઝ અને 6626 લોકોને રસીો બીજો ડોઝ આજે અપાયો હતો. 45 વર્ષથી વધારે ઉંમરના 44506 લોકોને પ્રથમ ડોઝ અને 69328 લોકોને રસીનો બીજો ડોઝ આજે અપાયો હતો. 18 વર્ષથી વધારેની ઉંમરના 139401 લોકોને પ્રથમ ડોઝ અને 5586 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news