Gujarat Corona Update: નવા 263 કેસ, 271 દર્દી રિકવર થયા, 11 જિલ્લામાં એક પણ કેસ નહી

ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો છે. તો કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં 100થી નીચે કેસ આવ્યા છે. આજે રાજ્યમાં નવા 263 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 271 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,59,655 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. આજે એક દિવસમાં 355 કેન્દ્રો પર 5,293 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. આ પ્રકારે કુલ 8,01,912 વ્યક્તિઓનું રસીકરણ પુર્ણ થયું છે. જો કે હજી સુધી એક પણ વ્યક્તિને રસીની આડઅસર જોવા નથી મળી.
Gujarat Corona Update: નવા 263 કેસ, 271 દર્દી રિકવર થયા, 11 જિલ્લામાં એક પણ કેસ નહી

હિતલ પારેખ/ગાંધીનગર : ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો છે. તો કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં 100થી નીચે કેસ આવ્યા છે. આજે રાજ્યમાં નવા 263 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 271 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,59,655 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. આજે એક દિવસમાં 355 કેન્દ્રો પર 5,293 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. આ પ્રકારે કુલ 8,01,912 વ્યક્તિઓનું રસીકરણ પુર્ણ થયું છે. જો કે હજી સુધી એક પણ વ્યક્તિને રસીની આડઅસર જોવા નથી મળી.

રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 97.70 ટકા થઇ ચુક્યો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. જો કે આશ્ચર્યજનક રીતે કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા તે અગાઉ આંકડો દર્શાવાતો હતો. જે હવે બંધ કરી દેવાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર પર ટેસ્ટિંગ ઘટાડીને કેસ ઘટાડવામાં આવી રહ્યા હોવાનાં આરોપો લાગતા રહ્યા છે. તેવામાં ટેસ્ટિંગની સંખ્યા દેખાડવાનું બંધ કરી દેવાતા અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે. તો બીજી તરફ કેટલા લોકોને ક્વોરન્ટાઇન કર્યા તે અંગેની માહિતી પણ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. 

જો કે બીજી તરફ રાજ્યમાં આજે અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, દાહોદ, ડાંગ, નર્મદા, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર અને વલસાડ એમ કુલ 11 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1,699 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 30 છે. જ્યારે 1,669 લોકો સ્ટેબલ છે. 2,59,655 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 4402 લોકોનાં મોત નિપજ્યા છે. આજે કોરોનાના કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 01 વ્યક્તિનું મોત થયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news