GUJARAT CORONA UPDATE: નવા 18 કેસ, 21 સાજા થયા, એક પણ મોત નહી

ગુજરાતમાં કોરોના હવે તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના આજે નવા 18 કેસ મળી આવ્યા છે. તો બીજી તરફ 21 દર્દી સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.76 ટકા પર પહોંચ્યું છે. રાજ્યમાં આજના દિવસમાં કુલ 5,58,054 ડોઝ રસીના અપાઇ ચુક્યા છે. તો 8,15,296 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. 
GUJARAT CORONA UPDATE: નવા 18 કેસ, 21 સાજા થયા, એક પણ મોત નહી

ગાંધીનગર : ગુજરાતમાં કોરોના હવે તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના આજે નવા 18 કેસ મળી આવ્યા છે. તો બીજી તરફ 21 દર્દી સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.76 ટકા પર પહોંચ્યું છે. રાજ્યમાં આજના દિવસમાં કુલ 5,58,054 ડોઝ રસીના અપાઇ ચુક્યા છે. તો 8,15,296 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. 

જો એક્ટિવ કેસની વાત કરીએ તો 149 કેસ છે. જે પૈકી 06 નાગરિકો વેન્ટીલેટર પર છે. 143 સ્ટેબલ છે. 8,15,296 નાગરિકો ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યા છે. 10082 નાગરિકોના અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ મોત થઇ ચુક્યા છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ મોત નથી થયું તે રાહતના સમાચાર કહી શકાય. અમદાવાદ કોર્પોરેશનમાં આજના દિવસમાં 7 કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 3, કચ્છમાં 2, નવસારીમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 2 અને ગાંધીનગર કોર્પોરેશન અને તાપીમાં 1-1 કેસ નોંધાયા હતા. 

જો રસીકરણની વાત કરીએ રાજ્યમાં હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 22ને પ્રથમ ડોઝ અને 4360 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. 45વર્ષથી વધારેની ઉંમરના 84514 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 72775 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના પ244418 નાગરિકોને રસીનો પ્રથમ અને 151965 નાગરિકોને રસીનો બીજો ડોઝ આજના દિવસમાં અપાયા હતા. જે પૈકી 5,58,054 નાગરિકોને રસી આપવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news