GUJARAT CORONA UPDATE: નવા 11 કેસ, 19 દર્દી સાજા થયા, એક પણ મોત નહી

રાજ્યમાં કોરોનાના નવા 11 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ રાજ્યના કોરોનાના 19 દર્દીઓ સાજા થયા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ વધીને 98.76 પર પહોંચી ચુક્યો છે. અત્યાર સુધીમાં 8,15,405 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં 153 એક્ટિવ કેસ છે. જે પૈકી 04 નાગરિકો વેન્ટીલેટર પર છે. 149 નાગરિકો સ્ટેબલ છે. 8,15,386 નાગરિકો અત્યાર સુધી કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. 
GUJARAT CORONA UPDATE: નવા 11 કેસ, 19 દર્દી સાજા થયા, એક પણ મોત નહી

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના નવા 11 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ રાજ્યના કોરોનાના 19 દર્દીઓ સાજા થયા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ વધીને 98.76 પર પહોંચી ચુક્યો છે. અત્યાર સુધીમાં 8,15,405 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં 153 એક્ટિવ કેસ છે. જે પૈકી 04 નાગરિકો વેન્ટીલેટર પર છે. 149 નાગરિકો સ્ટેબલ છે. 8,15,386 નાગરિકો અત્યાર સુધી કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. 

જો કે કોરોનાને કારણે અત્યાર સુધીમાં 10082 નાગરિકોનાં મોત નિપજ્યાં છે.જો કે આજે કોરોનાને કારણે એક પણ મોત નથી થયું જે ખુબ જ રાહતના સમાચાર ગણાવી શકાય. અત્રે નોંધનીય છે કે, છેલ્લા ઘણા સમયથી કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નિપજ્યું નથી. જે ગુજરાત માટે રાહતના સમાચાર છે.

જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 39 કર્મચારીને રસીનો પ્રથમ અને 2517 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવી ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 41668 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 45523 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના 1,23,223 નાગરિકોને રસીનો પ્રથમ અને 165024 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે કુલ 3,77,994 નાગરિકોનું રસીકરણ થઇ ચુક્યું છે. અત્યાર સુધીમાં કુલ 5,29,55,628 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news