Gujarat Budget 2021: 2 માર્ચથી શરૂ થશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર, કેટલું અલગ અને કેટલું મહત્ત્વપૂર્ણ હશે?

વર્તમાન સરકાર પોતાના પ્રથમ બજેટમાં શિક્ષણ, આરોગ્ય, સામાજિક ન્યાય અધિકારીતા, કૃષિ વિભાગના બજેટમાં વધારો કરે તેવી સંભાવના જોવામાં આવી રહી છે. ગુજરાતમાં આગામી 3 માર્ચે રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ પ્રથમ  બજેટ રજૂ કરશે.

Gujarat Budget 2021: 2 માર્ચથી શરૂ થશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર, કેટલું અલગ અને કેટલું મહત્ત્વપૂર્ણ હશે?

ઝી ન્યૂઝ/ગાંધીનગર: ગુજરાતમાં આગામી 3 માર્ચે બજેટ રજૂ કરવા જઈ રહી છે. ત્યારબાદ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 31 માર્ચ સુધી કાર્યરત રહેશે. 121 દિવસના શાસનની ઉજવણી કરનાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારનું વર્ષ 2022-23 માટેનું બજેટ સત્ર 2જી માર્ચના બુધવારથી શરૂ થશે, જે 31મી માર્ચ સુધી ચાલશે. 3જી માર્ચે નાણામંત્રી કનુભાઈ દેસાઈ નવી સરકારનું પ્રથમ બજેટ રજૂ કરશે. 

વર્તમાન સરકાર પોતાના પ્રથમ બજેટમાં શિક્ષણ, આરોગ્ય, સામાજિક ન્યાય અધિકારીતા, કૃષિ વિભાગના બજેટમાં વધારો કરે તેવી સંભાવના જોવામાં આવી રહી છે. ગુજરાતમાં આગામી 3 માર્ચે રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ પ્રથમ  બજેટ રજૂ કરશે. આ વખતના બજેટ સત્રમાં શનિ-રવિવારની 8 રજાઓ ઉપરાંત 18મી માર્ચે હોળીની રજા સહિતના 9 દિવસને બાદ કરતાં બાકી રહેતાં 22 દિવસ માટે આ સત્ર કામ કરશે. જેમાં 5થી 8 જેટલી ડબલ બેઠકો પણ યોજાશે.

ગાંધીનગર વિધાનસભામાં રાજ્યપાલના સંબોધન સાથે 2 માર્ચના રોજ વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. ત્યારબાદ સદ્દગત ધારાસભ્યોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. બજેટ સત્રના બીજા દિવસે એટલે કે 3 માર્ચે નાણાં મંત્રી વિધાનસભામાં 2022-23નું બજેટ રજૂ કરશે. 22 દિવસ સુધી ચાલનારા આ બજેટ સત્રમાં શિક્ષણ, આરોગ્ય, સામાજિક ન્યાય અધિકારીતા, કૃષિ વિભાગના બજેટમાં વધારો કરાશે. અંદાજ પત્ર પર 4 દિવસ સુધી વિધાનસભામાં ચર્ચા ચાલશે. જ્યારે રાજ્યપાલના સંબોધન પર 3 દિવસ તેમજ પૂરક માંગણીઓ પર બે દિવસ ચર્ચા ચાલશે.

જોકે આ બજેટ સત્ર દરમિયાન વિપક્ષ કોંગ્રેસ દ્વારા સરકારને વિવિધ મુદ્દાઓ પર ભીંસમાં લેવાનો પ્રયાસ કરવામાં આવશે. જેના કારણે આ સત્ર તોફાની બને તેવી શક્યતા જોવામાં આવી રહી છે.

અંદાજ પત્રની માંગણીઓ પર ચર્ચા માટે 12 દિવસ સુધી ચર્ચા ચાલશે. સરકારી વિધેયકો પર 4 દિવસ ચર્ચા ચાલશે. આ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાયદાઓમાં જરૂરિયા મુજબના સંશોધક વિધેયકો પસાર કરાવવામાં આવશે. ત્યારબાદ 31 માર્ચે છેલ્લા દિવસનો પ્રસ્તાવ રજૂ કરીને બજેટ સત્રનું સમાપન કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news