રુંવાડા ઉભા કરે તેવું મોત, પિતાએ વળગાડ દૂર કરવા 14 વર્ષની દીકરીને મોત આપીને પ્લાસ્ટિકમાં વીંટીને અંતિમવિધિ પણ કરી નાંખી

14 year old Daughter Was Tortured By Father : ગીર સોમનાથની 14 વર્ષની માસુમ ધૈર્યા હત્યાકાંડમાં મોટો ખુલાસો થયો છે. આરોપી પિતાએ નરપિશાચ બની વળગાડ કાઢવા માટે પુત્રી પર સતત 7 દિવસ અમાનુશી અત્યાચાર આચાર્યો હતો, આખરે દીકરીનું મોત થતા તેને ચેપી રોગ થયો હોવાનુંક કહીને બારોબાર અંતિમ વિધિ કરાવી નાંખી

રુંવાડા ઉભા કરે તેવું મોત, પિતાએ વળગાડ દૂર કરવા 14 વર્ષની દીકરીને મોત આપીને પ્લાસ્ટિકમાં વીંટીને અંતિમવિધિ પણ કરી નાંખી

ગીર સોમનાથ :ગીરસોમથના તલાલાના ધાવા ગામમાં 14 વર્ષીય બાળકીની તેના પિતાએ જ બલી ચઢાવી હોવાની વાત વહેતી થઈ હતી. ધાવા ગામમાં 14 વર્ષીય સગીરાની હત્યા થઈ હોવાની પોલીસને આશંકા હતી. 5 દિવસ પહેલા બલી ચડાવવા બાળકીની હત્યા થઈ હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી. જે બાદ પોલીસે પરિવારની પૂછપરછ શરૂ કરી હતી. પોલીસ પૂછપરછમાં બાળકીના પિતાએ હત્યાનો ગુનો કબૂલ્યો છે. બાળકીના પિતા સહિત કેટલાક શખ્સોની પોલીસે અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે ક્રુર પિતાએ અમાનુષી અત્યાચાર કરીને સગી દીકરીને મોતને ઘાટ ઉતારી તે જાણીને તમારા રુંવાડા ઉભા થઈ જશે. એટલુ જ નહિ, મોટા બાપુજી પણ આ ઘટનામાં સામેલ હતા. 

હત્યારા પિતા ભાવેશ અકબરીએ પોલીસ સમક્ષ પોતે હત્યા કરી હોવાનું કબૂલ્યુ હતું. ત્યારે ધૈર્યા હત્યાકાંડમાં મોટો ખુલાસો થયો છે. આરોપી પિતાએ નરપિશાચ બની વળગાડ કાઢવા માટે પુત્રી પર સતત 7 દિવસ અમાનુશી અત્યાચાર આચાર્યો હોવાનું સામે આવ્યું છે.  

ભાવેશ અકબરીએ તેની 14 વર્ષની દીકરી ધૈર્યાના શરીરમાં કોઇ વળગાડ હોય તેવી મનમાં શંકા રાખી હતી. તેના ભાઈ દિલીપ અકબરી સાથે તાંત્રિક વિધીમાં અંધશ્રદ્ધા રાખી હીત. ધૈર્યાના શરીરમાંથી વળગાડ કાઢવા માટે તારીખ 1 ઓક્ટોબરના રોજ બપોરે 3 વાગ્યાથી તારીખ 7 ઓક્ટોબર સુધી સવારે 10.00 કલાક દરમ્યાન પોતાની ચકલીધાર નામે ઓળખાતી વાડીએ ધૈર્યાને લાવવામાં આવી હતી. આ સમય દરમિયાન ધૈર્યાના જુના કપડા સળગાવી ધૈર્યાને આગ પાસે બે કલાક સુધી ઉભી રાખી હતી. નરાધમ પિતા આટલેથી અટક્યો ન હતો. તેણે શેરડીના વાડમાં લાકડી તથા વાયરથી ધૈર્યાને ઢોર માર માર્યો હતો. આટલેથી પણ પિતાને સંતોષ ન થયો તો, વાળમાં લાકડી બાંધી બે ખુરશી વચ્ચે ભુખ્યા તરસ્યા બેસાડી રાખી હતી. આ રીતે માસમુ પર અમાનુષી અત્યાચાર ગુજારાતા તેનું મોત નિપજાવ્યું હતું. 

દીકરીને મોતને ઘાટ ઉતારી પિતાના કલેજાને ઠંડક વળી ન હતી, પોતાનું પાપ છુપાવવા અને કોઈને જાણ ન થાય તે માટે મૃતક ધૈર્યાની લાશને પ્લાસ્ટિકમાં વીંટી ગોદડા તથા બ્લેન્કેટ નાંખી લાશને ફોર વ્હીલરની ડેકીમાં મુકી સ્મશાન ગૃહ લઈ ગયો હતો. દીકરીને ચેપી રોગ થયો છે તેવી વાત કરી બારોબાર સ્મશાને લઈ જઈ તેની અંતિમ વિધિ કરી હતી. આમ, કોઈને ખબર ન પડે તે માટે તમામ પુરાવાનો નાશ કર્યો હતો.  કાતિલ પિતાએ માસૂમની કરેલી હત્યાની સમગ્ર ઘટનાથી તેની પત્નીને અજાણ રાખેલી. તેના છાનેછૂપે કરાયેલા અગ્નિસંસ્કાર બાદ જ જનેતાને મૃત્યુની જાણ કરી હતી. 

આ હચમચાવી નાખતા ઘટસ્ફોટ બાદ માસૂમ દીકરીના નાનાએ તેના જમાઈ અને તેના મોટા ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. હાલ દીકરીના પિતા અને મોટા બાપુજી પોલીસના સકંજામાં છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news