દિવાળીની રાતે મંગેતર બની કાતિલ, પ્રેમી સાથે મળીને યુવકના કાંટો કાઢી નાંખ્યો

સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામ નજીક દિવાળીની રાત્રે હત્યા થયેલ યુવકની લાશ મળી હતી. આ મામલે પોલીસે સઘન તપાસ હાથ ધરીને ગણતરીના દિવસોમાં જ આરોપીને પકડી પાડ્યો છે. ત્યારે પ્રેમ સંબંધોમાં નિર્દોષ યુવકનો ભોગ લેવાયો હોવાનું ખૂલ્યું છે. મંગેતરે તેના પ્રેમી સાથે મળીને દિવાળીના દિવસે જ પતિની હત્યા કરી હતી. ત્યારે પતિ, પત્ની ઔર વોનો કિસ્સો ભારે ચર્ચા જગાવે તેવો છે.  
દિવાળીની રાતે મંગેતર બની કાતિલ, પ્રેમી સાથે મળીને યુવકના કાંટો કાઢી નાંખ્યો

કેતન બગડા/અમરેલી :સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામ નજીક દિવાળીની રાત્રે હત્યા થયેલ યુવકની લાશ મળી હતી. આ મામલે પોલીસે સઘન તપાસ હાથ ધરીને ગણતરીના દિવસોમાં જ આરોપીને પકડી પાડ્યો છે. ત્યારે પ્રેમ સંબંધોમાં નિર્દોષ યુવકનો ભોગ લેવાયો હોવાનું ખૂલ્યું છે. મંગેતરે તેના પ્રેમી સાથે મળીને દિવાળીના દિવસે જ પતિની હત્યા કરી હતી. ત્યારે પતિ, પત્ની ઔર વોનો કિસ્સો ભારે ચર્ચા જગાવે તેવો છે.  

સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામ નજીક દિવાળી રાતે છરીના ઘાથી મોત નિપજાવેલ એક લાશ મળી હતી. સાવરકુંડલા પોલીસ અને એસઓજી ટીમે તપાસ હાથ ધરતા યુવકનું નામ મનીષભાઈ જંતીભાઈ હોવાનુ ખૂલ્યુ હતું. તે સાવરકુંડલાના સીતાપરા ગામનો વતની હતો. તેના પિતાએ પોતાના પુત્રની હત્યા થયાની ફરિયાદ સાવરકુંડલા રૂલર પોલીસમાં નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે તપાસ કરી તો ખુલાસો થયો કે, મનીષની સગાઈ ગારીયાધાર તાલુકાના બેલા ગામે જાગૃતિ નામની યુવતી સાથે કરવામાં આવી હતી. મનીષ સુરત ખાતે હીરા ઘસવાનું કામ કરતો હતો અને દિવાળીના તહેવારોમાં પોતાના વતન ધજડી ગામે આવ્યો હતો. દિવાળીની આગલી રાત્રે પોતાના સસરાને ઘરે બેલા ગયો હતો અને દિવાળીના દિવસે સવારે બેલા ગામથી પોતાને ઘરે આવવા માટે મોટરસાયકલ પર પરત ફરી રહ્યો હતો તે દરમિયાન પીઠવડી ગામ નજીક કોઈ અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયાર છરીથી  તેની હત્યા નિપજાવી હતી અને ત્યાંથી ફરાર થયા હતા.

આ બાદ પોલીસે મનીષના મોબાઇલની કોલ ડિટેઈલની તપાસ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે તેની મંગેતર જાગૃતિ સાથે જ છેલ્લી વાત થઇ હતી. જેના આધારે પોલીસે તેની મંગેતરના ફોનની પણ કોલ ડિટેઈલ મેળવી હતી.  ટેકનિકલ સિસ્ટમના ઉપયોગથી મંગેતર જાગૃતિએ આ સમય દરમિયાન અન્ય કોની કોની સાથે વાત કરી છે તે તમામ તપાસ કરી હતી. 

જેમાં જાણવા મળ્યુ કે જાગૃતિએ પ્રેમી રાજુ રાઠોડ સાથે ત્રણેક વખત વાત કરી હતી. જેના આધારે પોલીસે રાજુની ધરપકડ કરી અને પૂછપરછ દરમિયાન આરોપી રાજુ રાઠોડ પોલીસ સામે પોપટની જેમ બધું જ બોલી ગયો હતો. રાજુ રાઠોડ અને જાગૃતિને પ્રેમસંબંધ હતા. તેથી બંનેએ મળીને મનીષનો કાંટો કાઢી નાંખવાનું કાવતરું ઘડ્યુ હતું. જેથી દિવાળીના દિવસે જ તેની હત્યા નિપજાવી હતી. આમ સાવરકુંડલા પોલીસે રાજુ રાઠોડ અને તેમની પ્રેમિકા જાગૃતિની ધરપકડ કરી છે અને રાજુ રાઠોડને સાવરકુંડલા કોર્ટે 6 દિવસના રિમાન્ડ આપ્યા છે. તેમજ તેમની પ્રેમિકા જાગૃતિને અમરેલી સબ જેલ હવાલે કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news