અબ્બાસ-મસ્તાનની થ્રીલર ફિલ્મને પણ ટક્કર મારે એવો 4 વર્ષ જૂનો કેસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઉકેલ્યો!

ચોર ટોળકીએ વૃદ્ધને બેભાન કરવા ઈન્જેક્શન મંગાવ્યું. ચોર ટોળકીના મુખિયા પર જ ઈન્જેક્શનનો ટ્રાયલ કરવામાં આવ્યો. બેભાનના બગલે ચોર ટોળકીના મુખિયાનું મોત થઈ ગયુ. ટોળકીએ પોતાના મુખિયાની ડેડ બોડી કચરાના ઢગલામાં ફેંકી દીધી...4 વર્ષે ટોળકી ઝડપાઈ...અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હત્યાનો ગુનો દાખલ કર્યો...

અબ્બાસ-મસ્તાનની થ્રીલર ફિલ્મને પણ ટક્કર મારે એવો 4 વર્ષ જૂનો કેસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઉકેલ્યો!
  • મિસ્ટ્રી મર્ડરનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલ્યો...
  • ફિલ્મી સ્ટાઈલ ને ટક્કર માટે તેવી હત્યાનો બનાવ સામે આવ્યો...
  • વૃદ્ધના ઘરે ચોરી કરવા માટે પાંચ આરોપી પ્લાન કર્યો હતો..
  • વૃદ્ધને બેભાન કરવા ચોરે ઈન્જેક્શન મંગાવ્યા
  • ઈન્જેક્શનનો ટ્રાયલ ચોરે પોતાની પર જ કરાવ્યો
  • ઈન્જેક્શન લીધા બાદ મોતને ઘાટ ઉતરી ગયો ચોરનો મુખિયો

ઉદય રંજન, અમદાવાદઃ અમદાવાદના “શાહીબાગ  પોલીસ સ્ટેશન જાણવા જોગ ના કામે ગુમ થનાર નિલેષ કાળીદાસ પરમારનાને ૨૦૨૦ ના માર્ચ મહીનામા આંબાવાડી પરીમલ ગાર્ડનની આજુબાજુમા આવેલ ક્રિષ્ણા ફ્લેટ ખાતેથી ભારતીબેન નામની મહીલા તથા પ્રવીણ દુબે તથા બીજા બે માણસોએ ભેગા મળીને રિક્ષામા આ નિલેષ કાળીદાસ પરમારને બેભાન હાલતમા રિક્ષામા નાખીને કોઇ જગ્યાએ લઇ ગયેલ ત્યારથી આ નિલેષ ગુમ થયેલ છે. 

“ વિગેરે હકીકત જણાવેલ હોય, જે બાબતે તપાસ કરવા ક્રીષ્ણા ફ્લેટ ખાતે, જતા આ ભારતીબેન નામના મહીલા અગાઉ પહેલા માળે રહેજે હકીકત આધારે મહીલા પોલીસ કોન્સટેબલ સાથે સ્પ્રીંગવેલી ટાવર જતા સિક્યુરીટી  ફ્લેટ ખાતે જતા ત્યા ભારતીબેન નામની મહીલા હાજર મળી આવેલ હોય, બહેનને આ શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતેની જાણવા જોગ બાબતે ઉંડાણ પુર્વક પુછપરછ કરતા ભારતીબેન નાઓએ હકીકત જણાવેલ કે “સને ૨૦૧૮ મા તેઓને નુકશાન વધુ થયો હોય જે જેમા તેઓને રૂપીયા ૨૪ લાખ જેમા ફયૂચરમેકરમા રૂપીયા ૬ લાખ તથા ઓ-સારથી મા ૧૨ લાખ રૂપીયા તેમજ કલિકીંગમા રૂપીયા ૬ લાખ એમ કુલ ૨૪ લાખ દેવુ થઇ જતા તેઓએ તેમનુ સ્ત્રીધન ગોલ્ડ મુથુટ ફાઇનાન્સમા ગિરવે મુકી લોન લીધેલ હોય જેનુ દર મહીને વ્યાજ વધુ આવતુ હોય જેથી પોતાના ઓળખીતા પ્રવિણ દુબે કે જેઓને ઘણા વર્ષથી ઓળખતા હોય જેઓની સાથે મળીને ડીસેમ્બર ૨૦૧૯ મા સ્પ્રીંગવેલી એપાર્ટમેન્ટમા બી  બ્લોકમા ૧૦ મા માળે રહેતા રત્નાબેનના મકાનમા ચોરી કરી પોતાનુ દેવુ ચુકવવા સારૂ પ્લાન કરેલ હોય જે પ્રવીણ દુબે ને જાણ કરતા પ્રવીણ દુબે એ યોગેશ ઉર્ફે ભુરા નો સંપર્ક કરાવે જે યોગેશ ઉર્ફે ભુરા સાથે તેઓને અવાર નવાર વાત થતી હોય જે દરમ્યાનમા આ ભારતીબેન નાઓએ પોતાનુ મકાન બદલી ક્રીષ્ણા ફ્લેટ આંબાવાડી ખાતે રહેવા સારૂ જતા રહેલ હોય, બાદ આ ભારતીબેન તથા યોગેશ ઉર્ફે ભુરો અવાર નવાર ટેલીફોનીક સંપર્કમા રહેલ હોય, જે યોગેશ ઉર્ફે ભુરો તથા ભારતીબેન બન્ને ભારતીબેનની એક્ટીવા ઉપર પાલડી ભઠ્ઠા ખાતે રહેતા ભાવીનીબેન કોઠારી જેઓ રામજી મંદીરની સામે રહેતા હોય જેઓના સસરા ઘરે એકલા રહેતા હોય જેઓને ત્યા ચોરી કરવાનુ નક્કી કરેલ અને આ ચોરી કરવા સારૂ યોગેશ ઉર્ફે ભુરાએ કમલેશ સોલંકી નામના માણસ સાથે ભારતીબેનને સંપર્ક કરાવેલ જે કમલેશ સોલંકીએ આગળ ચોરી કરવા માટે તેના મિત્રો જીગર ઉર્ફે જીગો તથા નીલેશ પરમાર સાથે ઓળખાણ કરાવી ભારતીબેનના ઘરે મળી ચોરી કરવાનો પ્લાન બનાવેલ હોય જે પ્લાન પાર પાડવા સારૂ આ ભારતીબેન  પ્રવીણભાઇ દુબે ને  હોસ્પીટલમા રૂબરૂ મળી પ્લાનની હકીકત જણાવી પ્રવીણદુબે પાસે થી બેભાન કરવાની MIDAZ નામની કાચની ૨ ML બોટલ ઇન્જેકશન લઇ આવેલ હોય જે ઇન્જેશન આ ભારતીબેન નાઓને પોતાના ઘરે રાખેલ હોય અને ગઇ તા: ૧૨/૦૩/૨૦૨૦ ના રોજ નીલેશ પરમાર આ ભારતીબેન ના ક્રિષ્ણા ફ્લેટ ના સરનામે તેઓના ઘરે ગયેલ તે વખતે આ બેભાન કરવાનુ ઇન્જેકશન કામ કરે છે કે કેમ ? તે તપાસવા સારૂ પોતાના હાથ ઉપર પોતાની જાતે આ ઇન્જેશનનો ડોઝ લીધેલ બાદ તે ભાનમા ન આવતા આ ભારતીબેન નાઓએ પ્રવીણ દુબે તથા યોગેશ ઉર્ફે ભુરા  ને ફોન કરી પોતાના ઘરે બોલાવી હકીકતથી જાણ કરી આ વખતે પ્રવીણ દુબેએ આ નિલેશ પરમાર ને ચેક કરતા તે મરણ ગયેલ હોય જેથી ભારતીબેન નાઓએ સમાજમા પોતાની બદનામી ન થાય તેમજ પોતાના ઘરેને કોઇને ખબર ન પડે તે સારૂ આ મરણ ગયેલ નિલેશ પરમારની ડેડ બોડીને  પ્રવીણ દુબે તથા યોગેશ ઉર્ફે ભુરો તથા તેનો મિત્ર રાકેશ કોષ્ટી જે રિક્ષા લઇ આવેલ હોય જેઓને આ મરણ ગયેલ નિલેશ પરમારની ડેડબોડીને કોઇ અવાવરૂ જગ્યાએ નાખી દેવા સારૂ નક્કી કરી આ મરણ ગયેલ નિલેશ પરમારની ડેડબોડીને અસલાલી પીરાણા રોડ ઉપર ખેતર પાસે ફેકી દિધેલ હોવાની હકીકત પોતાના નિવેદનમા જણાવેલ હતી.

ફિલ્મી સ્ટાઈલ ને ટક્કર માટે તેવી હત્યાનો બનાવ સામે આવ્યો...
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચાર વર્ષ અગાઉ ગુમ થયેલ યુવકની હત્યા થઈ હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. માર્ચ 2020 માં નિલેષ પરમાર ગુમ થયો હોવાની પોલીસ ફરિયાદ થઈ હતી. આ ઇન્જેક્શન માં બેભાન થવા કેટલા સમય અસર રહે છે તેના માટે નિલેષ પર ટ્રાય કર્યો હતો..નીલેષને બેભાન થવાનું ઇન્જેક્શન આપતા મોત નિપજ્યું હતું...આરોપી મહિલા ભારતી જૈન, જીગર ઉર્ફે જીગો,પ્રવીણ દુબે અને યોગેશ પરમાર તેનો મિત્ર રાકેશ કોષ્ટી એ રીક્ષામાં નિલેશની ડેડ બોડી લઈને પીરાણા રોડ ઉપર ખેતરમાં બોડી ફેંકી દીધી હતી.. નિલેષની અકસ્માત મોત થઈ હોવાની ફરિયાદ થઈ હતી..ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરતા ચોરી કરનાર ટોળકી એ નિલેષ નાં મોત થી બચવા આ પ્લાન ઘડ્યો હતો..ક્રાઇમની તપાસમાં હત્યાનું ષડયંત્ર નો ખુલાસો થયો..આરોપી જીગર ઉર્ફે જીગો શાહીબાગના મર્ડરનાં એક કેસમાં જેલમાં છે. ક્રાઇમ બ્રાન્ચે મહિલા સહિત 3 આરોપી કરી ધરપકડ.

તેમજ આ ભારતીબેન નાઓને પોતાના નિવેદનમા જણાવેલ  પ્રવીણ દુબે તથા યોગેશ ઉર્ફે ભુરો તથા કમલેશ પરમાર તથા નીલેશ પરમાર નાઓના નામ સરનામા મેળવી તમામને શોધી કાઢી તમામે ભેગા મળી આ ચોરી કરવા સારૂનો પ્લાન બનાવેલ હતો. જે બાબતે અસલાલી પોલીસ સ્ટેશન ખાતે તપાસ કરતા આ મરણજનાર નિલેશ કાળીદાસ પરમાર બાબતે અસલાલી પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત નં ૧૧/૨૦૨૦ સી.આર.પી.સી કલમ ૧૭૪ મુજબ અકસ્માત મોત દાખલ થયેલ હોવાની હકીકત તપાસમા જણાઇ આવેલ હતી. જે અકસ્માત મોતના કામે મરણજનાર નો ફોટો  તેમજ શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ જાણવા જોગના કામે ગુમથનાર નો ફોટો મેળવવામા આવેલ હોય જે બન્ને ફોટાઓને ભારતીબેન તેમજ પ્રવીણ દુબે તેમજ યોગેશ ઉર્ફે ભુરો તેમજ કમલેશ સોલંકી નાઓને બતાવતા આ બન્ને ફોટોમા જણાવેલ વ્યક્તિ એક્જ હોય અને આ જે અકસ્માત મોતના કામે આ મરણજનાર છે તે નિલેશ પરમાર હોવાની ઓળખ તેઓએ કરેલ હતી.  

આ (૧) ભારતીબેન (૨) પ્રવીણકુમાર ભરતકુમાર દુબે (૩) યોગેશ ઉર્ફે ભુરો નરેશભાઈ કોષ્ટી ઉ.વ.૨૮ (૪) કમલેશ જશવંતભાઈ સોલંકી ઉ.વ. ૩૦ (૫) રાકેશ રવિશંકર કોષ્ટી ઉ.વ.૩૯ આ તમામ તેમજ જીગર ઉર્ફે જીગો કે જે હાલમા શાહીબાગ પોલીસ સ્ટેશનમા મર્ડરના ગુનામા સાબરમતી જેલમા આશરે છ-સાત મહીનાથી કસ્ટડીમા છે. જેઓએ ભેગા મળી અલગ અલગ સમયે ચોરી કરવાનો પ્લાન બનાવી પ્રવીણ દુબે પાસે થી બેભાન કરવાનુ MIDAZ ઇન્જેકશન નંબર ૦૧ નાઓએ પોતાના ઘરમા રાખેલ જેનો ઉપયોગ નિલેશ પરમાર નાએ પોતાની જાતે  પોતાના હાથ ઉપર મ્રુત્યુ થવાનો સંભવ હોવાનુ જાણવા છતા ઇન્જેકશન લગાવ ભાનમા ન આવી મ નાઓએ ભેગા મળી મરણ ગયેલ નિલેશ પરમારની લાશને અસલાલી પીરાણા રોડ ખેતરમા ફેકી દઇ એકસંપ થઇ સમાન ઇરાદો પાર પાડવા સારૂ ગુનાહીત કાવત્રુ રચી પુરાવાનો નાશ કરેલ હોય જેઓએ આ ક્રુત્ય કરવા મા વાપરેલ ઓટો રિક્ષા જીજે-૦૧-બીવાય-૦૦૮૨ સાથે તેઓ વિરૂધ્ધમા યોગ્ય કાર્યવાહી થવા સારૂ  તમામને શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે શોપવા તજવીજ કરેલ હોય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news