‘સંજય રાઉત માફી માંગે, નહિ તો અમદાવાદમાં તેમનું મોઢું કાળું કરીશું....’

સંજય રાઉતના નિવેદનને ભાજપના નેતાઓએ વખોડ્યું છે. ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે (Aplesh Thakor) સંજય રાઉતનું મોઢું કાળુ કરવાની વાત કરી 

‘સંજય રાઉત માફી માંગે, નહિ તો અમદાવાદમાં તેમનું મોઢું કાળું કરીશું....’

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :શિવસેના સાંસદ સંજય રાઉતે અમદાવાદને લઈને બફાટ કર્યો છે. તેઓએ અમદાવાદને મિની પાકિસ્તાન ગણાવી દીધું. કંગના રનૌત (Kangana ranaut) ને પડકાર ફેંકતા સમયે શિવસેના સાંસદ ભાન ભૂલ્યા અને કહ્યું કે, કોઈની હિંમત છે કે અમદાવાદ (Ahmedabad) ને મિનિ પાકિસ્તાન કહી શકે. શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) અભિનેત્રી કંગના રણૌતને પડકારતા સમયે અમદાવાદ વિશે કરી વિવાદીત ટીપ્પણી કરી છે. મહારાષ્ટ્રના (Maharashtra) સાંસદ સંજય રાઉતે અમદાવાદને પાકિસ્તાન સાથે સરખાવી દીધું. સંજય રાઉતના નિવેદનને ભાજપના નેતાઓએ વખોડ્યું છે. ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે (Aplesh Thakor) સંજય રાઉતનું મોઢું કાળુ કરવાની વાત કરી છે. 

શું કહ્યું અમદાવાદ વિશે....
સુશાંત સિંહ રાજપૂત (Shushant case) ની આત્મહત્યા બાદ અભિનેત્રી કંગના રણૌત સતત શિવસેના (Shivsena) પર પ્રહાર કરી રહી છે. કંગનાએ મુંબઇ પર તાજેતરમાં એક નિવેદન આપ્યું હતું જેને લઈને વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. તેણે કહ્યું હતું કે તેને મુંબઇ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર જેવું લાગે છે.  જેનાથી સંજય રાઉત છંછેડાયા હતા. પરંતુ કંગનાના નિવેદનનો જવાબ આપતા સમયે રાઉત ભાન ભૂલ્યા અને અમદાવાદના વિવાદમાં વચ્ચે લાવતા તેમના નિવેદનથી નારાજગી છે. આ મામલે સંજય રાઉતે હવે વિવાદમાં અમદાવાદને પણ ઢસડ્યું છે. કંગનાના નિવેદન પર થયેલા વિરોધ પ્રદર્શનો અને સમગ્ર મામલે શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કહ્યું કે જો તે છોકરી (કંગના રનૌત) મહારાષ્ટ્રની માફી માંગશે તો હું તેને માફી આપવા વિશે વિચારીશ. તે મુંબઇને મીની પાકિસ્તાન કહે છે. પરંતુ શું તેનામાં તે જ રીતે અમદાવાદ વિશે એવું બોલવાની હિંમત છે ખરી? 

— Alpesh Thakor (@AlpeshThakor_) September 6, 2020

અલ્પેશ ઠાકોરે કહ્યું...  
સંજય રાઉતના નિવેદનને ભાજપના નેતાઓએ વખોડ્યું છે. ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે (Alpesh Thakor) ટ્વિટ કરી રાઉત માફી માગે તેવી માંગ કરી છે. તેઓએ ટ્વિટ કરીને કહ્યું કે, ગુજરાત એ ગાંધી અને સરદારની ભૂમિ છે. અમદાવાદ પરાક્રમી અને દાનવીરોની ભૂમિ છે. અમદાવાદ તો દધિચિ જેવા ઋષિમુનીઓની ભૂમિ છે. સંજયજી તમારે આ શબ્દોનો પ્રયોગ કરવા બદલ શરમ આવવી જોઈએ. તમારે અમદાવાદના નાગરિકોની માફી માંગવી જોઈએ. ભાજપ નેતા અલ્પેશ ઠાકોરનો વળતો પ્રહાર કરતા સંજય રાઉતને કહ્યું કે, તેઓના વિવાદમાં અમદાવાદને વચ્ચે લાવવાની જરૂર નથી. જો તેમનાથી ભૂલથી બોલાઈ ગયું હોય તો માફી માંગી લે. અન્યથા તેઓ જ્યારે પણ અમદાવાદ આવશે તો તેમનું મોઢું કાળું કરવામાં આવશે. આ તેઓનું સભાનતાપૂર્વક કરેલું નિવેદન છે, માફી માંગવી જ પડશે...’

તો ભાજપ નેતા મહેશ કસવાલાએ કહ્યું કે, રાઉતે ગુજરાતની જનતાનું અપમાન કર્યુ છે. તેઓએ અમદાવાદને પાકિસ્તાન સાથે સરખાવી ગંભીર અપમાન કર્યું છે. રાઉતે ગુજરાતની જનતાની માફી માગવી જોઈએ. શિવસેના નેતા સંજય રાઉતે અમદાવાદની સરખામણી મીની પાકિસ્તાન સાથે કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news