'હાથી પાછળ કૂતરા ભસ્યા કરે, ચૈતરની કોઈ હેસિયત નથી કે જીતી શકે: સરકારના આંકડા બોલે છે'

સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, ભરૂચ દુધધારા ડેરીમાં પણ બરોડા ડેરી જેવા ભાવ આપવા જોઈએ. મારા વિરોધમાં પત્રો પણ લખે છે, પણ હાથી પાછળ કૂતરા ભસ્યા કરે.

'હાથી પાછળ કૂતરા ભસ્યા કરે, ચૈતરની કોઈ હેસિયત નથી કે જીતી શકે: સરકારના આંકડા બોલે છે'

ઝી બ્યુરો/નર્મદા: નર્મદા જિલ્લા ભાજપ દ્વારા ડેડીયાપાડા ખાતે લાભાર્થી સંમેલન યોજાયું હતું. જ્યાં ભરૂચ સાંસદ મનસુખ વસાવા સંમેલનમાં હાજર રહ્યા હતા. સાંસદ મનસુખ વસાવાએ પોતાના સંબોધન દરમિયાન પિત્તો ગુમાવ્યો હતો. 

સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, ભરૂચ દુધધારા ડેરીમાં પણ બરોડા ડેરી જેવા ભાવ આપવા જોઈએ. મારા વિરોધમાં પત્રો પણ લખે છે, પણ હાથી પાછળ કૂતરા ભસ્યા કરે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચૈતરની કોઈ હેસિયત નથી કે જીતી શકે, ડેડીયાપાડા બેઠક હારી ગયા તો મારા માથે અને નિલ રાવના માથે હારનો ટોપલો નાખે છે. 

તેમણે જણાવ્યું કે, મારે નહોતું બોલવું પણ વર્ષોથી સહન કર્યું અને આજે બોલવું પડ્યું... મારા લોહીનું ટપકું પણ હિન્દુ હિન્દૂ જ બોલે, હું એક ઉદ્યોગપતિનું નાક દબાવુ તો કરોડો રૂપિયા કમાઈ શકું છું, પણ આ મારું કામ નથી. હું સેટિંગ કરવા વાળો માણસ નથી. સરકારના આંકડા બોલે છે કે નર્મદા અને છોટાઉદેપુરમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે. શિક્ષણમાં શિક્ષકોની ઘટ છે તો પુરી કરીશું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news