રાજકોટમાં ભારત-બાંગ્લાદેશ વચ્ચે કરો યા મરોની સ્થિતી, બંન્ને ટીમોએ પાડ્યો પરસેવો

બાંગ્લાદેશની ટીમ ટી20માં પહેલીવાર ભારત સામે જીતી છે જેના કારણે તેના આત્મવિશ્વાસમાં સાતમાં આસમાને પહોંચી ચુક્યો છે

રાજકોટમાં ભારત-બાંગ્લાદેશ વચ્ચે કરો યા મરોની સ્થિતી, બંન્ને ટીમોએ પાડ્યો પરસેવો

રાજકોટ : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીયેશન સ્ટેડીયમ ખાતે ૭ નવેમ્બરે ભારત બાંગલાદેશ વચ્ચે સીરીઝની બીજી ટી-૨૦ મેચ યોજાવા જઇ રહી છે. આ મેચ અગાઉ રાજકોટ આવી પહોંચેલી ભારત અને બાંગ્લાદેશની ટીમોએ નેટ પ્રેક્ટિસ કરી હતી. ખંડેરી સ્ટેડિયમ ખાતે બંન્ને ટીમના ખેલાડીઓ પરસેવો પાડતા જોવા મળ્યા હતા. જો કે નેટ પ્રેકટીસ બાદ બાંગલાદેશી પ્લેયર આફીફ હુસેને જણાવ્યું કે રાજકોટની વિકેટ દિલ્હી કરતા સારી છે. શ્રેણી જીતવા તનતોડ મેહનત કરીશું. 

જયારે ભારતીય ટીમના ખેલાડી યજુવેન્દ્ર ચહલે જણાવ્યું કે સીરીઝમાં પ્રથમ મેચ અમે હાર્યા છીએ. જો કે આવું કદાચ પહેલીવાર થયું છે. ભુતકાળમાં ક્યારે પણ બાંગ્લાદેશ સામે આપણી ટીમ હારી નથી. રાજકોટની પીચ અનુસાર ખેલાડીઓને ઉતારવામાં આવશે અને ભારતીય ટીમ નિશ્ચિત રીતે ન માત્ર આ મેચ પરંતુ સમગ્ર સીરીઝ જીતશે.અત્રે ઉલ્લેખનીય છે કે, બંન્ને ટીમો કરો યા મરોના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news